• વ્રજ પાણખાણીયા, ચેરમેન, વેસ્ટકોમ્બ ગ્રુપ અને ફાઉન્ડેશન

મારે તમને એ કહેવાની જરૂર નથી કે આપણો દેશ મોંઘવારીના ખપ્પરમાં હોમાયેલો છે. 2022ના ચોથા ક્વાર્ટરની શરૂઆતમાં ફુગાવો 41-વર્ષના ઉચ્ચ સ્તરે 11% પર પહોંચ્યો હતો. આ નાણાકીય વર્ષના અંત સુધીમાં વાસ્તવિક ઘરગથ્થુ આવકમાં ઘટાડો થવાની ધારણા છે. અને ગ્રેટ બ્રિટનમાં 90% થી વધુ વયસ્કોએ છેલ્લા વર્ષમાં તેમના જીવનજરૂરી ખર્ચમાં વધારો થતો જોયો છે.

આની સૌથી વધુ અસર સૌથી સંવેદનશીલ લોકો પર પડી છે. ઓછી આવક ધરાવતા પરિવારો એનર્જી અને ખાદ્યપદાર્થો પર સરેરાશ કરતાં વધુ ખર્ચ કરે છે, તેથી તેઓ ભાવ વધારાથી વધુ પ્રભાવિત થાય છે.

ફૂડ બેંક ચેરીટી સંસ્થાઓ માંગમાં થતો વધારો જોઈ રહી છે: ટ્રસેલ ટ્રસ્ટના અહેવાલ મુજબ ગયા વર્ષે તેમના ફૂડ પાર્સલની માંગમાં ભારે વધારો થયો હતો, જે રોગચાળા પહેલાના આંક કરતા 50% વધુ હતો. જ્યારે ચેરિટી શેલ્ટરના નવા આંકડાઓ દર્શાવે છે કે જીવન ખર્ચની કટોકટી સંપૂર્ણ અમલમાં આવે તે પહેલાં જ 2022માં ઘરવિહોણા લોકોની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે.

જો આપણે આ કટોકટી કે અન્ય પ્રણાલીગત સમસ્યાઓનો સામનો કરવા માટે ગંભીર હોઈએ, તો બોજ ફક્ત સખાવતી સંસ્થાઓ પર છોડી શકાય નહીં. સરકાર તેના સપોર્ટ પેકેજો દ્વારા ટેકો આપે તે અલબત્ત પ્રોત્સાહક છે. આ ચિત્રમાંથી શું ખૂટે છે? ખાનગી ક્ષેત્રની સ્પષ્ટ ભૂમિકા.

નફો એ ‘ગંદો’ શબ્દ ન હોવો જોઈએ, પરંતુ નાણાકીય સફળતાની ઉજવણી કરવી જોઈએ. અહીં યુકેમાં એશિયન સમુદાય ખાસ કરીને સારી કામગીરી બજાવે છે. અદ્ભુત એશિયન બિઝનેસ એવોર્ડ્સ તેના પચીસમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે.

આ સફળતા સાથે સમાજના તે ભાગો સુધી સમૃદ્ધિનો તેજસ્વી પ્રકાશ પહોંચે તે સુનિશ્ચિત કરવાની નૈતિક જવાબદારી પણ આવે છે કે જેને ઘણીવાર અવગણવામાં આવે છે.

છેવાડાના પ્રદેશોમાં રોકાણ કરીને અને ઉદ્યોગો સુધી પહોંચવા માટેના મુશ્કેલ માર્ગો પ્રદાન કરીને સામાજિક ગતિશીલતાની સુવિધા આપીને, જ્યારે બિઝનેસીસ સફળ થાય છે, ત્યારે સમુદાયો અને સમગ્ર દેશને પણ ફાયદો થાય છે. જો કે આ આપણી સફળતાના બાય પ્રોડક્ટ્સ છે. પરંતુ હજુ પણ આપણે પાછુ આપવા માટે વધુ કરી શકીએ છીએ.

મારા પ્રારંભિક વર્ષોમાં ગરીબીના મારા અનુભવો મારી સમગ્ર કારકિર્દી દરમિયાન મારી સાથે જોડાયેલા છે. મને સારી રીતે યાદ છે કે તેમની પાસે ઘણું ન હોવા છતાં મારા પિતાએ સમાજને ઘણું પાછું આપ્યું છે. આમ, મેં મારા પુત્રો, કમલ અને સુનીલમાં સકારાત્મક પરિવર્તન લાવવાની એ જ સળગતી ઈચ્છાને પાર પાડવાનો હંમેશા સભાન પ્રયાસ કર્યો છે.

પાછુ આપવાની આ ઝંખનાએ મને 2008માં વેસ્ટકોમ્બ ફાઉન્ડેશનની સ્થાપના કરવા પ્રેર્યો હતો. ત્યારથી, પાનખાણીયાઓએ યુકે, કેન્યા, ભારત અને નેપાળમાં શૈક્ષણિક, આરોગ્યસંભાળ, ધાર્મિક અને સખાવતી પ્રયાસોમાં રોકાણ કર્યું છે.

તાજેતરના મહિનાઓમાં ફાઉન્ડેશને ઝડપથી વધતા હોમલેસનેસ થવાના જોખમ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બધા લોકો એવી જગ્યાએ રહેતા નથી જેને તેઓ ઘર કહી શકે. અમે માનીએ છીએ કે હોમલેસનેસનો અનુભવ કરતા તમામ લોકો આધાર અને સહાય માટે હકદાર હોવા જોઈએ.

તેથી જ, 2023માં, અમે વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા શક્ય તેટલી ઝડપથી લોકોને શેરીઓમાં અને તેમના પોતાના ઘરોમાં મદદ કરવાના અમારા પ્રયત્નોને બમણા કરી રહ્યા છીએ.

કઠોર વાસ્તવિકતા એ છે કે હવે લોકોની સખત જરૂર છે. એક સમુદાય તરીકે આપણે આપણી આસપાસના લોકોને મદદ કરવા માટે નવી અને નવીન રીતો શોધવા માટે આપણા ઉદ્યોગસાહસિક ઉત્સાહનો ઉપયોગ કરવો જોઈએ.

સકારાત્મક પરિવર્તન કરવાની તકો પુષ્કળ છે, છતાં ઘણી વખત તેની અવગણવામાં આવે છે. અમે માત્ર બિઝનેસ લીડર્સ નથી, પરંતુ કોમ્યુનિટી લીડર્સ છીએ. આપણા ટોળામાં સૌથી વધુ સંવેદનશીલ લોકો માટે આપણે આ તકો શોધવા માટે સમય કાઢવો જોઈએ.

LEAVE A REPLY

15 − 7 =