The knee joint is structurally complex.
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ડો. યુવા અય્‍યર, આયુર્વેદિક ફિઝિ‌શિયન

રચનાની દૃષ્ટિએ ઘૂંટણનો સાંધો જટીલ છે. શરીરનાં અન્ય સાંધાઓ કરતા સૌથી વધુ કાર્યરત સાંધો છે. હલન-ચલન અને ઉભા રહેવા દરમ્યાનપણ ઘૂંટણનો સાંધો ગતિ અને સ્થિતિ બંને માટે મહત્વપૂર્ણ કામ કરે છે. આજની આધુનિક શૈલીથી જીવાતા જીવનમાં ઘૂંટણનાં સાંધામાં ધસારો અને દુઃખવાની ફરિયાદ વધુ જોવા મળે છે.

* ઘુંટણનાં સાંધા વિશે સમજીએ

ઘૂંટણનો સાંધો શરીરનો ખૂબ મહત્ત્વપૂર્ણ સાંધો છે. જ્યાં એકથી વધુ હાડકા જોડતા હોય તેને સાંધો Joint કાઢે છે. ઘૂંટણમાં થાયબોન, શીન, ફીબ્યુલા અને નિકેપ જોડાઈ અને હલન-ચલન થઇ શકે તેવો સાંધો બને છે. ઘૂંટણનાં સાંધામાં હાડકાઓને બાંધતા સ્નાયુઓ, ટેન્ડન્સ અને સાંધામાં સ્નિગ્ધતા જળવાય તેવું સાયનોવિયલ ફ્લ્યુડ હોય છે.
આથી જ ઘૂંટણમાં સોજો આવે. દુખાવો થાય, ઘૂંટણના હલન-ચલનથી કેપમાં ઘસારો થાય તેવી તકલીફ થતી જોવા મળતી હોય છે.

સામાન્ય ભાષામાં તો ઘૂંટણનો દુખાવો કહેવાય પરંતુ ઘૂંટણનો દુખાવો સાંધાના કયા ભાગમાં તકલીફથી થાય છે. તે જાણવું અને તેને અનુરૂપ ઉપચાર કરવો જરૂરી છે. આથી સામાજિક પ્રસંગ કે અન્ય પ્રસંગે ઘૂંટણની તકલીફથી પીડાતા હોવ તેઓ ઘૂંટણનો દુખાવો મેથી ખાવાથી મટી જાય છે. સાચી વાત છે? અથવા તો ઘૂંટણ દુખતા હોય તો ચાલવાની કસરત કરવાથી તકલીફ થાય ખરું ને ? આવા પ્રશ્નો પુછતાં હોય છે. પ્રશ્ન પુછનારની આતુરતા સમજી શકાય, પરંતુ તેઓને થતા ઘૂંટણના દુખાવા માટેના કારણ વિશે સમજ્યા વગર નિદાન ,ઉપચાર વિશે જવાબ આપી શકાય નહીં. આથી જ માર્કેટમા ઘૂંટણનો દુખાવા માટે ચમત્કારિક ઉપચાર તરીકે વહેંચાતી દવાઓથી દર્દીઓને ફાયદો થતો નથી. ઘૂંટણની રચનામાં જોડાયેલા સ્નાયુમાં ઈ, ચાલ, સોજો હોય કે નિકેપમાં ઈજા થઇ હોય, ડિસપ્લેસમેન્ટ થયું હોય, સાયનોવિયલ ફ્લ્યુડ ઘટી ગયું હોય, વ્યક્તિનું વજન વધવાથી, અયોગ્ય રીતે ચાલવા, ઉઠવા-બેસવા, રમત-ગમત જેવી અન્ય ક્રિયાઓથી હાડકામાં ઘસારો અથવા અલાયર્ન્મેન્ટમાં તક્લીફ થઇ હોય શકે છે. આથી જ યોગ્ય પરિક્ષા, વ્યક્તિગત જીવનશૈલી ઉપરાંત જરૂર જણાય તો રક્ત પરિક્ષણ કરી અને નિદાન થાય છે. રક્તમાં રૂમેટોઈડ આર્થરાઈટીઝ ફેક્ટરની હાજરી હોય, યુરિક એસિડનું પ્રમાણ વધુ હોઈ શકે. આ બધી જ બાબતો- ક્લિનિકલ જજમેન્ટ તથા પ્રકૃતિ પરિક્ષણને આધારે ઘૂંટણનાં સોજા, દુખાવા કે ઘસારા માટે ઉપચારક્રમ નક્કી થાય છે.

* ઘૂંટણનાં રોગ માટે સામાન્ય ઉપચાર – સાવધાની:

જે રીતે બારી-બારણામાં મિજાગરા કામ કરે છે. લગભગ તેવું જ કામ ઘૂંટણનો સાંધો પણ કરે છે. ઉભા રહેવા દરમ્યાન કોઇપણ સ્નાયુનાં વપરાશ વગર માત્ર સાંધો જ આધાર આપે છે. શરીર નીચે નમે, બેસે, ઉઠે ત્યારે ઘૂંટણ વપરાય છે. ચાલવા કે દોડવા દરમ્યાન થડકારો ન આવે તે માટે ઘૂંટણ વપરાય છે. થડકારો ઝીલી અને શોક એબઝોરબર તરીકે કામ કરતાં કુરચાસ્થિ -મિનિસ્કસ અને આર્ટીક્યુલર કાર્ટીલેજ કુશન જેવું કામ કરે છે. સાંધામાં જોડાયેલા વિવિધ હાડકાઓનું ચલન માં ઘસારા વગર થવામાં મદદ કરે છે. આ ઉપરાંત મિનિસ્કસ નાં કાર્ટીલેજ સાથે જોડાયેલી નર્વસ શરીરનું બેલેન્સ જાળવવામાં તથા નીચેના બંને ટિબ્યુલા અને ફિમર હાડકાઓમાં વજન યોગ્ય રીતે વહેંચાય તેનું નિયમન આ નર્વસ કરે છે. આ ઉપરાંત હાડકાઓને એકબીજા સાથે બાંધતા લીગામેન્ટ તથા હાડકા અને લીગામેન્ટને જોડતાં ટેન્ડન્સથી ઘૂંટણનો સાંધો સરળતાથી જોડાયેલો અને કાર્યરત રહે છે.

શરીરનું વજન વધુ પડતું હોય, સતત એકધારી પ્રવૃત્તિ જેમકે દોડવું, જોગિંગ, સાયકલિંગ વધુ લાંબો સમય કરવામાં આવે, ઘૂંટણનો ટેકો લઇ સોફા કે ખુરશી પર બેસતી વખતે આખા શરીરનું વજન કોઈ એક પગનાં ઘૂંટણ પર મૂકી બેસવાની ટેવ, કોઈ એક પગ ઉપર જ વધુ વજન આવે તે રીતે વધુ લાંબો સમય ઉભા રહી કામ કરવાની ટેવ હોય કે પછી ઉબડ-ખાબડ રસ્તાઓ પર, પથરાળ જમીન પર યોગ્ય પગરખાં વગર ચાલવા દરમ્યાન શરીરનું બેલેન્સ જાળવવા પગ ત્રાંસો મૂકવાથી સ્નાયુ કે લીગામેન્ટમાં જોર પડવા જેવા કારણોની આડઅસર ઘૂંટણ પર થતી હોય છે.

ઘૂંટણઃ આડઅસરના ઉપાયો

• ઘૂંટણનાં સાંધા પર વધુ પડતાં વજનની આડઅસર ઘટાડવા શરીરનું વજન પ્રમાણસર હોય તે જરૂરી છે.
• ચાલવા, ઉભા રહેવા જેવી પ્રવૃત્તિ દરમ્યાન યોગ્ય પગરખાં પહેરવા તથા ઘૂંટણનો અયોગ્ય ઉપયોગ ન થાય તે જોવું.
• ઘૂંટણને સહારો આપતા સ્નાયુઓ કે ઘૂંટણની રચનામાં વપરાતાં લીગામેન્ટ અને ટેન્ડન્સમાં સોજો, શિથિલતા માટે રક્તમાં રહેલો આમ જવાબદાર હોય શકે છે. આમને બનતો રોકવા.
• પ્રકૃતિને અનુરૂપ ખોરાક-પીણા, ચરીનું પાલન ખાસ કરીને ખાટા પદાર્થો, આથાવાળી પ્રિઝર્વેટિવ્સ ધરાવતી વાનગીઓ, બજારુ ખોરાક બંધ કરવા.
• આયુર્વેદમાં સૂચવાયેલા ‘આમ-પાચન’ માટેનો ઉપચારક્રમ કરવાથી ઘૂંટણનો લાલાશ પડતો સોજો, જકડાહટ અને દુખાવામાં રાહત થાય છે.
• ઓસ્ટીયો આર્થરાઈટીઝ, ગાઉટ, રૂમેટીઝમ કે અન્ય કારણસર ઘૂંટણમાં થતો દુખાવો મટાડવા યોગ્ય માર્ગદર્શન મુજબ દવા, પંચકર્મ, ફિઝીયોથેરાપી, શેક પૈકી તમારાં કેસમાં શું થોગ્ય રહેશે તે ડોક્ટરને નક્કી કરવા દેવું.
• પ્રકૃતિગત માફક આવતાં ખોરાક સાથે એરડભૃષ્ટ હરડે જેવા સાદા ઔષધથી પાચન જાળવવાથી ‘આમ’ થતો અટકાવવો જરૂર જણાય તો આયુર્વેદિય પદ્ધતિથી લંઘન, સંસર્જનક્રમની મદદથી શરીરમાં હલકાપણું આવે તથા સાંધાનો સોજો દૂર થાય તેવા ઉપચાર માટે વૈદની સલાહ લેવી.
• શલ્લકી, ગળો, અશ્વગંધા, પુનર્નવા, હળદર જેવા આયુર્વેદિય વાનસ્પતિક દવાઓ ખૂબ જ સરળતાથી લઈ શકાય છે. આ બધા ઔષધો સ્નાયુ, લીગામેન્ટનો સોજો ઘટાડવાની સાથે સાંધામાં રહેલાં કુશનિંગ આપતા હાડકાઓ તથા ચીકાશમાં વાયુને કારણે થતી વિકૃતિ દૂર કરી ત્યાં કોષોને પુનર્જીવિત કરવાનો ગુણ ધરાવે છે.

LEAVE A REPLY

16 + twelve =