Vol. 3 No. 350 About   |   Contact   |   Advertise August 25, 2023


 
 
'રામરાજ્ય માટે સત્ય, પ્રેમ અને કરૂણા જરૂરી': પૂ. મોરારિ બાપુ

કેમ્બ્રિજ યુનિવર્સિટીની જીસસ કોલેજ ખાતે 921મી શ્રી રામ કથા માટે પધારેલા વિશ્વ વંદનીય અને વિશ્વ વિખ્યાત કથાકાર સંત પૂ. શ્રી મોરારી બાપુએ ગરવી ગુજરાત સાપ્તાહિકને આપેલી વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘’રામાયણનો એક સાર છે ‘સત્ય, પ્રેમ અને કરૂણા.’ તેને આપણાં જીવનમાં ઉતારશું તો આ ધરતી પર રામરાજ્ય આવશે..’’ પૂ. બાપુએ આ ઉપરાંત સનાતન ધર્મ, ગુજરાતી ભાષા, સંસ્કાર, વતન ભારત અને અન્ય વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. જે મુલાકાત અત્રે પ્રસ્તુત છે. ‘’ગુજરાતી ભાષા, સંસ્કૃતિ અને સદાચાર દરેક ઘરોમાંથી ભુંસાતા જાય છે ત્યારે આપણું ભવિષ્ય શું? એવા પ્રશ્નના જવાબમાં પ. પૂ. મોરારી બાપુએ જણાવ્યું હતું કે ‘’હું આપણી ભાષા, સંસ્કૃતિ અને આપણા સંસ્કારો માટે સતત બોલી રહ્યો છું. અહિંયા તો હું વધારે ભાર દઇને બોલવાનો છું.

Read More...
એક જ દિવસમાં 21 ભારતીય વિદ્યાર્થીઓનો અમેરિકાથી દેશનિકાલ

વિઝા ડોક્યુમેન્ટમાં કથિત ગોટાળાને પગલે એક જ દિવસમાં 21 ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકામાંથી દેશનિકાલ કરાયા હતાં આ વિદ્યાર્થીઓ આંધ્રપ્રદેશ અને તેલંગાણા છે. વિદ્યાર્થીઓએ વિઝા ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી, પરંતુ એટલાન્ટા,

Read More...
રશિયાનું લુના-25 યાન તૂટી પડ્યું, હવે ભારતના ચંદ્રયાન-3 સામે રેસમાં કોઇ નહીં

રશિયાનું અવકાશયાન લુના-25 ગત રવિવારે ક્રેશ થઇ જતાં ભારતનું ચંદ્રયાન-3 મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ માટે રેસમાં રહેલું એકમાત્ર અવકાશયાન છે. ચંદ્રયાન-3ને 23 ઓગસ્ટે સાંજે 6:04 કલાકે 25 કિલોમીટરની ઉંચાઈથી લેન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

Read More...
કિંગની ચેરિટી સાથે જોડાયેલ કેશ ફોર ઓનર્સ કેસની કાર્યવાહી પૂર્ણ

કિંગ ચાર્લ્સની એક ચેરીટી સંસ્થાને દાન આપવાના બદલામાં સન્માનની ઓફર કરવામાં આવી હોવાના મીડિયા અહેવાલોની તપાસ બાદ પોલીસે તેમાં આગળ કોઈ કાર્યવાહી નહિં કરવાનું નક્કી કર્યું છે.

Read More...
પૂ. મોરારી બાપુની કથા યુકેનું ધાર્મિક સ્વતંત્રતા પ્રત્યેનું વલણ અને આદર દર્શાવે છે: લોર્ડ પોપટ

‘’કેમ્બ્રિજમાં યોજાયેલી પૂ. મોરારી બાપુની રામ કથાનું આયોજન કરવા માટે યુકેનો હુંફાળો અભિગમ અને વડા પ્રધાન ખુદ તેમાં ભાગ લે તે યુકેનું ધાર્મિક સ્વતંત્રતા પ્રત્યેનું વલણ અને તેના આદરને દર્શાવે છે. મને બ્રિટીશ હોવાની સાથે હિંદુ હોવાનો પણ ગર્વ છે’’

Read More...
ભક્તિવેદાંત મેનોર હરે કૃષ્ણ મંદિરે 50મી વર્ષગાંઠની ઉજવણી કરી

બીટલ્સ ફેમ જ્યોર્જ હેરિસન દ્વારા 1973માં હરે કૃષ્ણ મુવમેન્ટને દાનમાં આપવામાં આવેલ આધ્યાત્મિક અભયારણ્યમાં સ્થાપવામાં આવેલ ભક્તિવેદાંત મેનોર હરે કૃષ્ણ મંદિરની ગયા સપ્તાહના અંતમાં 50મી વર્ષગાંઠની શાનદાર શૈલીમાં ઉજવણી કરવામાં આવી હતી.

Read More...
હિન્દુ હોવા પર ગર્વ હોવાનું જણાવનાર ઋષિ સુનક પર દુનિયાભરના હિન્દુઓ ખુશ

યુકેના હિન્દુ સમુદાયના સૌથી મોટા મિલન સમાન કેમ્બ્રિજની જીસસ કોલેજમાં યોજાયેલી પૂ. મોરારી બાપુની રામ કથામાં દેશના વડા પ્રધાન ઋષિ સુનકે બ્રિટિશ અને હિન્દુ હોવાના ગર્વ વિશે વાત કર્યા બાદ બ્રિટનના હિન્દુઓ “ગૌરવથી ભરપૂર” હોવાની લાગણી અનુભવી રહ્યા છે.

Read More...
ઇલોન મસ્કે અમેરિકાના પ્રમુખપદના ઉમેદવાર રામાસ્વામીની પ્રશંસા કરી

વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કે અમેરિકાના પ્રમુખપદ માટેના ઇન્ડિયન અમેરિકન ઉમેદવાર વિવેક રામાસ્વામીને ખૂબ જ આશાસ્પદ ઉમેદવાર ગણાવ્યા હતા, જે દર્શાવે છે કે ટેસ્લાના બોસ અમેરિકા આગામી નેતા કોને જોવાનું પસંદ કરશે.

Read More...
ભારતમાં પરવડે તેવી સારવાર ઉપલબ્ધ છે અને ગુજરાત તેમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે ઊભરી રહ્યું છે

ગાંધીનગરમાં જી20 આરોગ્ય પ્રધાનોની બેઠક ત્રણ દિવસ માટે યોજાઈ હતી. આ સાથે ત્યાં ભારતનાં પ્રથમ મેડિકલ ટેકનોલોજી એક્સ્પો, ‘ઇન્ડિયા મેડટેક એક્સ્પો 2023’નું પણ આયોજન થયું હતું.

Read More...
ગંગોત્રી હાઇવે પર બસ ખીણમાં ખાબકતાં ગુજરાતના 7 યાત્રીઓનાં મોત, 28 ઘાયલ

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં રવિવારે ગુજરાતના તીર્થયાત્રીઓને લઈ જતી બસ ખીણમાં પડતાં સાત લોકોના મોત થયાં હતાં અને 27 લોકો ઘાયલ થયાં હતા.35 લોકો સાથેની બસ ગંગોત્રીથી પરત ફરી રહી હતી ત્યારે ગંગનાનીમાં અકસ્માતનો ભોગ બની હતી.

Read More...

  Sports
ભારતનો આયર્લેન્ડ સામે બીજી ટી-20, સીરીઝમાં વિજય

આયર્લેન્ડના પ્રવાસમાં ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ ટી-20ની સીરીઝમાંથી પ્રથમ બે મેચમાં વિજય સાથે રવિવારે સીરીઝમાં પણ વિજય હાંસલ કર્યો હતો. રવિવારની બીજી મેચમાં ભારતે આયર્લેન્ડને 33 રને હરાવ્યું હતું.

Read More...
સ્પેન મહિલા વર્લ્ડ કપ ફૂટબોલમાં ચેમ્પિયન

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રવિવારે રમાયેલી ફૂટબોલ મહિલા વર્લ્ડ કપની ફાઈનલમાં સ્પેને ઈંગ્લેન્ડને 1-0થી હરાવી પ્રથમવાર ચેમ્પિયનનો તાજ હાંસલ કર્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ પણ પહેલી જ વાર ફાઈનલમાં પહોંચી હતી.

Read More...
એશિયા કપની ભારતીય ટીમમાં તિલક વર્માને તક

એશિયા કપ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ આગામી તા. 30 ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર શરૂ થવાની છે. એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત સોમવારે (21 ઓગસ્ટ) કરાઈ હતી.

Read More...
ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટીમમાં બેન સ્ટોક્સનું પુનરાગમન

ઈંગ્લેન્ડે તેની વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટ માટેની ટીમની ગયા સપ્તાહે જાહેરાત કરી હતી, જેમાં ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનું પુનરાગમન થયું હતું. સ્ટોકસ અગાઉ વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી,

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ભારતે 40% નિકાસ જકાત લાદતા એશિયામાં ડુંગળી મોંઘીદાટ બનશે

બિન બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી વિશ્વમાં ડુંગળીના સૌથી મોટા નિકાસકાર ભારતે શનિવાર, 19 ઓગસ્ટે ડુંગળીની નિકાસ પર 31 ડિસેમ્બર સુધી 40 ટકાની જંગી જકાત લાદી હતી. સરકારના આ નિયંત્રણોથી દેશની નિકાસમાં આશરે 60 ટકાનો જંગી ઘટાડો થવાની ધારણા છે. ઘરેલુ બજારમાં ઉપલબ્ધતામાં વધારો કરવા માટે નાણા મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને આ નિર્ણયની જાહેરાત કરી હતી. ભારતના આ નિર્ણયથી એશિયાના દેશો માટે ડુંગળી વધુ મોંઘી બનશે, કારણ કે બીજા દેશો મર્યાદિત સ્ટોક ઓફર કરે છે. આ વર્ષના અંત ભાગમાં કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માગે છે.

Read More...
વિશ્વભરની સેન્ટ્રલ બેન્કોએ સોનાની રેકોર્ડ ખરીદી કરી

સોનાના ભાવમાં મોટો વધારો થયો હોવા છતાં વિશ્વના વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ ૨૦૨૩ના કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં સોનાની રેકોર્ડ ખરીદી કરી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના રિપોર્ટ અનુસાર એપ્રિલ-જૂન ત્રિમાસિકગાળા દરમિયાન ખરીદી સુસ્ત પડી હતી, પરંતુ પ્રથમ ક્વાર્ટરમાં ખરીદી એટલી ઊંચી હતી કે રેકોર્ડ સર્જાયો હતો. વિશ્વની મધ્યસ્થ બેન્કોએ જાન્યુઆરીથી જૂન ૨૦૨૩ દરમિયાન લગભગ ૩૮૭ ટન સોનું ખરીદ્યું હતું. જૂન 2023ના અંત સુધીમાં, પીપલ્સ બેંક ઓફ ચાઇના (PBC)નો સોનાનો ભંડાર 67.95 મિલિયન ઔંસ (1,926 ટન) પર પહોંચ્યો હતો, જે અગાઉના મહિનાની સરખામણીમાં 680,000 ઔંસનો વધારો દર્શાવે છે.

Read More...
SBI ભારતની સૌથી મોટી નફાકારક કંપની બની

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં નફાના સંદર્ભમાં ભારતની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) બિલિયોનેર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કરતાં આગળ નીકળી ગઈ હતી અને દેશની સૌથી મોટી નફાકારક કંપની બની ગઈ હતી. એસબીઆઈએ પ્રથમ ક્વાર્ટરમાં 18,736 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. એસબીઆઈનો શેર ચાલુ વર્ષમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં (યર ટુ ડેટ) 8.58 ટકા ઘટ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આ લિસ્ટમાં બીજા સ્થાન પર હતી, જેનો નફો રૂ.18,182 કરોડ નોંધાયો હતો. ઓએનજીસીએ પ્રથમ ક્વાર્ટરમાં રૂ.16,857 કરોડનો નફો કર્યો હતો અને દેશની સૌથી મોટી નફાકારક કંપનીઓમાં ત્રીજા સ્થાન પર હતી.

Read More...
સુરતની 27 ડાયમંડ ટ્રેડિંગ કંપનીઓના બેન્ક ખાતા બ્લોક કરાયાં

સાઇબર ફ્રોડના કેસોમાં તેલંગણા અને કેરળ રાજ્ય પોલીસની સૂચનાને પગલે આ બે રાજ્યોમાં સંબંધિત બેંકો દ્વારા સુરતની ઓછામાં ઓછી 27 ડાયમંડ મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ કંપનીઓના બેંક ખાતાઓ બ્લોક કરવામાં આવ્યા હતાં. આ કંપનીઓમાં કેટલીક ટોચની નેચરલ ડાયમંડ ઉત્પાદક કંપનીઓ પણ સામેલ છે જેઓ દુનિયાભરમાં પોતાની ઓફિસ ધરાવે છે. તેલંગણા અને કેરળમાં સાઈબર ફ્રોડના કેસની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે કેટલીક ડાયમંડ પેઢીઓ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલી હતી.

Read More...
  Entertainment

કેનેડા કુમારને મળી ભારતીય નાગરિકતા

કેનેડાની નાગરિકતા માટે ઘણીવાર ટીકાઓનો સામનો કરી રહેલા બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારને દેશના 77મા સ્વતંત્રતા દિવસે ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ભારતીય નાગરિકતાના દસ્તાવેજ શેર કરતા અક્ષયકુમારે જણાવ્યું હતું કે “દિલ ઔર નાગરિકતા, દોનો હિન્દુસ્તાની. સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ! જય હિંદ! અક્ષય કુમારને ઘણીવાર ‘કેનેડા કુમાર’ કહીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરાતો હતો. કેનેડાની નાગરિકતા પહેલા પણ અક્ષય પાસે ભારતની નાગરિકતા હતી. ફિલ્મો સારી ચાલી રહી ન હતી ત્યારે અક્ષય કેનેડામાં રહેવાનું વિચારી રહ્યો હતો.

Read More...

‘ગદર-2’ રૂ.300 કરોડની ક્લબમાં સામેલ, હવે બોર્ડર-2ની તૈયારી

સની દેઓલની ગદર-2 ફિલ્મ રિલીઝ થયાના એક જ અઠવાડિયામાં રૂ.300 કરોડની ક્લબમાં સામેલ થઈ હતી. ફિલ્મની કુલ કમાણી રૂ.304.13 કરોડ રહી હતી. આની સાથે જ ‘ગદર-2’ પહેલા જ અઠવાડિયાંમાં સૌથી વધુ કલેક્શનના મામલે બીજી સૌથી મોટી હિન્દી ફિલ્મ બની હતી. શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાન’એ પ્રથમ સપ્તાહમાં રૂ.378 કરોડની કમાણી કરી હતી. જોકે ‘ગદર 2′ એ’ KGF 2′ નો રૂ.268 કરોડ અને ‘બાહુબલી 2’નો રૂ.247 કરોડનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગદર-2ની ઐતિહાસિક સફળતા પછી સની દેઓલ, જેપી દત્તા અને નિધિ દત્તાએ બોર્ડર-2 માટેની તૈયારી ચાલુ કરી દીધી છે. બોર્ડર-2 ભારત-પાકિસ્તાનના 1971ના યુદ્ધની પૃષ્ઠભૂમિમાં બનાવવામાં આવશે.

Read More...

સન્ની દેઓલના જુહુ બંગલાની હરાજી અટકી

બેન્ક ઓફ બરોડાએ ટેકનિકલ કારણોસર એક્ટર અને ભાજપના સાંસદ સની દેઓલના મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા બંગલાની હરાજીને નોટિસ સોમવારે પાછી ખેંચી લીધી હતી. અગાઉ રવિવારે હરાજીની જાહેરાત કરાઈ હતી. અભિનેતાએ બેંકમાંથી મોટી લોન લીધી છે. તેને રૂ.56 કરોડ ચૂકવ્યા ન હતાં. બેંકે નોટિસ પાછી ખેંચી લેતા કોંગ્રેસે તેના પર સવાલો ઉઠાવ્યા હતા. શનિવારે બેંક ઓફ બરોડાએ સની દેઓલના વિલાની હરાજી અંગે એક જાહેરાત બહાર પાડી હતી. સનીએ બેંકમાંથી મોટી રકમની લોન લીધી હતી. આ લોન માટે તેણે મુંબઈના જુહુમાં ‘સની વિલા’ મોર્ગેજ પર આપ્યો હતો. તેના બદલે તેણે બેંકને લગભગ રૂ. 56 કરોડ રૂપિયા ચૂકવવાના હતા.

Read More...

બોલીવૂડમાં નવી ફિલ્મોમાં ગીતોની અછત, જુની ફિલ્મોમાંથી ઉઠાંતરી

બોલીવૂડમાં અત્યારે બની રહેલી કેટલીક ફિલ્મોમાં નવા ગીતોની અછત ઊભી થઇ હોવાનું જણાય છે. આ અછતને પૂર્ણ કરવા માટે જુની ફિલ્મોના લોકપ્રિય ગીતોનો સહારો લેવામાં આવી રહ્યો છે. શાહરુખ ખાનની ‘જવાન’માં દેવઆનંદની ‘બીસ સાલ બાદ’ ફિલ્મનાં ગીત ‘બેકરાર કરકે હમેં’ના ઉપયોગ પછી હવે રાજ કપૂરની ‘શ્રી420’નાં ગીત ‘રમૈયા વસ્તા વૈયા’નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. બોલીવૂડનાં જૂનાં ગીતોની રીમિક્સ કરવાના નામે આ રીતે બેફામ ઉપયોગની દર્શકો આકરી ટીકા કરી રહ્યા છે. બોલીવૂડના ફિલ્મ સર્જકો તથા સંગીતકારોએ સર્જનાત્મકતાના નામે કંઇ કર્યું નહીં હોવાથી અને હવે નવા કર્ણપ્રિય ગીતો બનતાં નથી એટલે આ રીતે જૂનાં ગીતોનો સહારો લેવો પડે છે તેવી ટીકા થઈ હતી. અગાઉ કરણ જોહરે બનાવેલી રણવીર અને આલિયાની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં પણ સાધનાની

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store