Vol. 3 No. 187 About   |   Contact   |   Advertise 13th February 2020


‘ ’
 
 
  news :       ગરવી ગુજરાત વિશેષ
ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદમાં તડામાર તૈયારીઓ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે જવાના છે. ભારતમાં તેઓ અમદાવાદ, દિલ્હી અને આગ્રાની મુલાકાત લે તેવી શક્યતાઓ છે. આ તમામ શહેરોમાં સલામતીથી લઇને ટ્રમ્પના સ્વાગતની તડમાર તૈયારીઓ થઈ રહી છે. અમેરિકામાં નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન કરાયું હતું, તેના જેવો જ કાર્યક્રમ હવે ટ્રમ્પ માટે ભારતમાં પણ યોજાય એવી શક્યતા છે.

ટ્રમ્પની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલુ થઇ ગઇ છે. Read More...
સીઆરા સ્ટોર્મથી યુકેમાં પૂર, ત્રણના મોત
સીઆરા સ્ટોર્મને કારણે કલાકના 90 માઇલની ઝડપે પવન ફૂંકાતા અને ભારે વરસાદના કારણે યુકેમાં કેટલાક વિસ્તારોમાં ભારે પૂર આવતા જનજીવન ખોરવાયુ હતુ અને ટ્રાન્સપોર્ટને અસર થતા હજારો લોકોની મુસાફરીમાં વિક્ષેપ સર્જાયો હતો, ફ્લાઇટ્સ કેન્સલ કરાઇ હતી. ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા અને મકાનોને નુકસાન થયું હતુ. Read More...
ઇમ્પીચમેન્ટની પ્રક્રિયામાં ટ્રમ્પનો વિજય
ઇમ્પીચમેન્ટ (મહાભિયોગ) પ્રક્રિયામાં અમેરિકાની સંસદના ઉપલા ગૃહ સેનેટે બુધવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને માહભિયોગના તમામ આરોપમાંથી મુક્ત કર્યા છે. તેઓ પ્રમુખ પદે યથાવત્ રહેશે. તેમના વિરૂદ્ધ બે આક્ષેપો થતા 18 ડિસેમ્બરથી ઇમ્પીચમેન્ટની કાર્યવાહી શરૂ થઈ હતી
Read More...
યુકેએ કોરોના વાયરસનો રોગચાળો ગંભીર જોખમ જાહેર કર્યો: 8 કેસ
બ્રિટને સોમવારે નવા કોરોના વાયરસને જાહેર આરોગ્ય માટે એક ગંભીર જોખમ જાહેર કરી સરકારને વાયરસના ફેલાવા સામે લડવાની વધારાની સત્તાઓ આપી હતી. સરકારે બ્રિટનના વિરલની એરો પાર્ક હોસ્પિટલ અને કેન્ટ્સ હિલ પાર્કને “આઇસોલેટેડ” ફેસેલીટીઝ અને ચીનના વુહાન અને હુબેઇ પ્રાંતને ચેપગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યા છે. Read More...
યુકે કોર્ટની દાઉદના સાગરિત જબિર મોતીવાલાને અમેરિકાના હવાલે કરવા મંજૂરી
વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે (6 ફેબ્રુઆરી) દાઉદ ઇબ્રાહિમના સાગરિત જબિર મોતીવાલાની દલીલ ફગાવીને તેના અમેરિકા પ્રત્યાર્પણ (એક્સટ્રડિશન) ને મંજૂરી આપી છે. અમેરિકામાં તે મની-લોન્ડરીંગના કાવતરું, ખંડણી અને ડ્રગ આયાત કરવાના આરોપોમાં વોન્ટેડ હતો.
Read More...
કૉમનવેલ્થનો સેક્રેટરી જનરલ પર પ્રહારો બંધ કરવા અનુરોધ
કોમનવેલ્થ સેક્રેટરી જનરલ પેટ્રિશિયા સ્કોટલેન્ડને હટાવવાના પ્રયાસમાં રત ઑસ્ટ્રેલિયા, બ્રિટન અને કેનેડા તરફ કોમનવેલ્થે લાલ આંખ કરી છે.
કોમનવેલ્થ ઓફિસના સૂત્રોએ ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે લંડનમાં આવેલા સેક્રેટરીએટના મુખ્ય મથક ખાતે ગુરુવારે તા 6 ફેબ્રુઆરીના રોજ ‘તોફાની’ બેઠકમાં એક પછી એક ‘એબીસી’ તરીકે ઓળખવામાં આવતા ઑસ્ટ્રેલિયા,
Read More...
અંતિમ કે છેવટનું ‘મેઇક ઇન ઇન્ડિયા’ – ગોડ કે ભગવાન!
જે પળે આપણે ‘દૈવી’ શબ્દ ઉચ્ચારીએ છીએ તે જ ક્ષણે મોટા ભાગના લોકો ઉપર જુએ છે કારણ કે દૈવી કે દિવ્યશક્તિ ઉપર છે તેમ માની લેવાયેલું છે. પરંતુ માનવીય દૃષ્ટિકોણથી ઉપર શું છે તે જાણવાનો કોઇ માર્ગ નથી. તમે વર્તુળમય ધરા ઉપર વસો છો અને તમે ઉત્તર ધ્રુવમાં પણ નથી,
Read More...
  sports

અંતિમ વન-ડે ક્રિકેટમાં ભારતની ન્યૂઝીલેન્ડ સામે પાંચ વિકેટે હાર, ભારતનો 30 વર્ષ પછી વ્હાઇટવોશ
ન્યૂઝીલેન્ડે માઉન્ટ માઉનગુઈ ખાતેની અંતિમ વન-ડે ક્રિકેટ મેચમાં ભારતને પાંચ વિકેટે હરાવીને 3-0થી વ્હાઇટવોશ કર્યો છે. ભારતીય ક્રિકેટ ટીમનો વન-ડેમાં ત્રણ કે તેથી વધુ વનડેની સીરિઝમાં 30 વર્ષ પછી વ્હાઇટવોશ થયો છે. છેલ્લે 1989માં વેસ્ટ ઇન્ડિઝે ભારતને 5-0થી હરાવ્યું હતું. અંતિમ વન-ડેમાં 297 રનનો પીછો કરતા કિવિઝે 47.1 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
Read More...

અંડર 19 વર્લ્ડ કપમાં ભારતને હરાવી બંગલાદેશ ચેમ્પિયન
સાઉથ આફ્રિકામાં રવિવારે પૂર્ણ થયેલી અંડર 19 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધામાં ભારતને ત્રણ વિકેટે હરાવી બંગલાદેશ ચેમ્પિયન બન્યું હતું. પોચેફસ્ટ્રોમ ખાતે રમાયેલી ફાઈનલમાં પહેલા બેટિંગ કરતાં ભારતીય ટીમ 47.2 ઓવર્સમાં ફક્ત 177 રન કરી શકી હતી. યશસ્વી જયસ્વાલે 88 રન કર્યા હતા,
Read More...

બંગલાદેશના 3 અને ભારતના 2 ખેલાડીને ગેરવર્તન બદલ સજા
અન્ડર-19 વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલ પછી મેદાન ઉપર ખેલાડીઓના અણછાજતા વર્તન, ખુલ્લેઆમ ઝઘડો અને મારામારી બદલ આઈસીસીએ ભારતના બે ખેલાડીઓ આકાશ સિંહ અને રવિ બિશ્નોઈ અને બંગલાદેશના ત્રણ ખેલાડીઓને ગંભીર ગેરવર્તન માટે દોષિત ઠરાવ્યા હતા.
Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business

અનિલ અંબાણીને 10 કરોડ ડોલર જમા કરાવવા બ્રિટનની કોર્ટેનો આદેશ

અનિલ અંબાણીએ ચીની બેન્કો પાસેથી મેળવેલા ધિરાણના મુદ્દે સર્જાયેલા વિવાદમાં શુક્રવારે, 7 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ હાઇકોર્ટ સમક્ષ એવી દલીલ કરી હતી કે તેમની નેટવર્થ શુન્ય છે. પોતે દેવાળિયા હોવાથી બાકી રકમ ચુકવી શકે તેમ નથી. પરિવારના લોકો પણ તેમને મદદ નહીં કરી શકે. કોર્ટમાં રજૂ થયેલા અંબાણીના વકીલાએ આ મુજબની દલીલો કરી હતી. પરંતુ કોર્ટે આ દલીલો ફગાવી દેતાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને છ સપ્તાહની અંદર ૧૦ કરોડ ડોલર ( ૭૧૪ કરોડ રૂપિયા) કોર્ટમાં જમા કરાવવાના આદેશ કર્યા હતા. આ રકમ જમા કરાવ્યા પછી પણ કોર્ટમાં આ કેસની ફુલ ટ્રાયલ ચાલતી રહેશે.
Read More...

ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટની આવકમાં ઘટાડો
ચોથા કવાર્ટરમાં ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટની આવકમાં ઘટાડો થયો છે. જેના કારણે કંપનીના શેરના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જો કે ચોથા કવાર્ટરમાં ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં કંપનીના નફામાં વધારો નોંધાયો છે. ચોથા કવાર્ટરમાં ગયા વર્ષના ચોથા કવાર્ટરની સરખામણીમાં નફો ૧૯ ટકા વધીને ૧૦.૭ બિલિયન ડોલર રહ્યું છે. બીજી તરફ આવક પણ ૧૭ ટકા વધીને ૪૬ બિલિયન ડોલર રહી છે.
Read More...

ચીન 75 બિલિયન ડોલરની અમેરિકાની વસ્તુઓ પરની આયાતડ્યુટી ઘટાડશે
વેપાર યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકા અને ચીન વચ્ચે ગયા મહિને પ્રથમ તબક્કાની સમજૂતી થયા પછી ચીને ગયા સપ્તાહે જાહેરાત કરી હતી કે તે ૧૪ ફેબ્રુઆરીથી અમેરિકાની ૭૫ બિલિયન ડોલરની વસ્તુઓની આયાત ડયુટીમાં ઘટાડો કરશે. ચીનના સ્ટેટ કાઉન્સિલ ટેરિફ કમિશનના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં અમેરિકાની ૧૭૦૦ વસ્તુઓ પર પાંચ ટકા અને દસ ટકાની આયાત ડયુટી નાખવામાં આવી હતી. ૧૪ ફેબુ્રઆરીના રોજ વસ્તુઓની આયાત ડયુટીમાં ઘટાડો કરવામાં આવશે.
Read More...

  Entertainment

પોન્ઝી સ્કીમ કેસમાં શાહરૂખ ખાનની સહયોગી કંપનીની70 કરોડની સંપત્તી જપ્ત

ઇડીએ રોઝ વેલી પોન્ઝી સ્કીમ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનની આઇપીએલ ટીમ સાથે સંકળાયેલી કંપની સહિત 3 અન્ય કંપનીઓની 70 કરોડથી વધુંની સંપત્તી જપ્ત કરી છે, ઇડીનાં એક અધિકારીએ તેની માહિતી આપતા જણાવ્યું કે મની લોન્ડ્રીંગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ઇડીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે રોઝ વૈલી ગ્રુપ અને તેની અન્ય સંસ્થાઓ પાસેથી મળેલા નાણાંનાં સંબંધમાં આ કાર્યવાહી કરવામાં આવી છે,
Read More...

સિંગાપોરના મેડમ તુસાદ મ્યુઝિયમમાં કાજલ અગ્રવાલના વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ
કાજલ અગ્રવાલે બુધવારે સિંગાપોરના મેડમ તુસાદના મ્યુઝિયમમાં પોતાના મીણના પૂતળાનું અનાવરણ કર્યું. આ ખાસ પ્રસંગે અભિનેત્રીના માતા-પિતા અને બહેન હાજર રહ્યા હતા. કાજલે આ પ્રસંગની તસવીર સોશિયલ મીડિયા પર મુકીને જાણ કરી હતી. અભિનેત્રીના વેક્સ સ્ટેચ્યુને વન શોલ્ડર ડિટેલિંગવાળો ક્વીન ગાઉન પહેરાવામાં આવ્યો છે.
Read More...

બોલીવુડ એક્ટ્રેસને મળતા ઓછા મહેનતાણાથી જહ્નાવી કપૂર નારાજ
જાહ્નવી કપૂર હાલ પોતાની બીજી ફિલ્મ ‘ગુંજન સકસેના: ધ કારગિલ ગર્લ’ની રિલીઝને લઇને ઉત્સાહિત છે. ઉપરાંત તે ‘દોસ્તાના ટુ’નું શૂટિંગ કરી રહી છે. બોલીવૂડમાં હિરોઇનોને હીરોની સરખામણીમાં મળતા ઓછા મહેનતાણાથી જાહ્નવી નારાજ છે.
Read More...

ફિલ્મ ફેર અવૉર્ડ જીતવાની ઇચ્છા દરેક કલાકારની હોયઃ વિદ્યા બાલન
વિદ્યા બાલનના કહેવા મુજબ ફિલ્મ ફેર અવૉર્ડ જીતવાની ઇચ્છા દરેક કલાકારની હોય છે. વિદ્યા પણ ચાર વખત આ અવૉર્ડ જીતી છે. આ અવૉર્ડ તેને ૨૦૧૦માં આવેલી ‘પા’, ૨૦૧૧માં આવેલી ‘ઇશ્કિયા’, ૨૦૧૨માં આવેલી ‘ધ ડર્ટી પિક્ચર’ અને ૨૦૧૩માં આવેલી ‘કહાની’ માટે મળ્યા હતા. એ વિશે જણાવતાં વિદ્યા બાલને કહ્યું હતું કે ‘અવૉર્ડ જીતવો એ સ્પેશ્યલ ફીલિંગ છે.
Read More...
 
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]