Vol. 1 No. 05 About   |   Contact   |   Advertise 24th April 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 


  UK News
‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રેસ’ યોજના અંતર્ગત લાખો કી વર્કરના ટેસ્ટ કરાશે

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે આજે તા. 23ના ગુરૂવારના રોજ ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જાહેર કર્યુ હતુ કે ‘’ કોરોનાવાયરસને વાયરસને નિયંત્રણમાં લાવવા માટે ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રેસ’ યોજના અંતર્ગત લાખો કી વર્કર અને તેમના પરિવારોના તા. 24થી કોરોનાવાયરસનો ટેસ્ટ ઑનલાઇન બુક કરાવી શકશે અથવા પોતાના એમ્પ્લોયર દ્વારા ઓર્ડર આપી શકશે. અત્યાર સુધી આ સ્વેબ્સ ટેસ્ટ હોસ્પિટલના દર્દીઓ અને એનએચએસ સ્ટાફ માટે જ મર્યાદિત હતો. હેનકોકે શરૂ કરેલી આ યોજના અંતર્ગત સરકાર દ્વારા વ્યાપક લોકોના ટેસ્ટ કરવામાં આવશે અને તેના પરિણામ ટેક્સ્ટ દ્વારા આપવામાં આવશે.દર્દીઓના સંપર્કોનુ પણ ટ્રેસિંગ શરૂ થશે. જેથી યુકેમાં ફાટી નીકળેલા વાયરસના ચેપના સાચા કદને જાણી શકાય.
Read More...
બ્રિટનમાં મૃત્યુનો આંક 37% જેટલો નીચે ગયો
બ્રિટનના રોજિંદા કોરોનાવાયરસથી થતા મૃત્યુનો આંક 37% જેટલો નીચે ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 616 લોકોના મોત નિપજ્યા હોવાની જાહેરાત કરાઇ હતી જે સાથે બ્રિટનમાં મૃત્યુની કુલ સંખ્યા 18,738 થઇ હતા. પાછલા બે દિવસ કરતા આજે મૃત્યુઆંક નોંધપાત્ર પ્રમાણમાં ઓછો હતા. બુધવારે 759 અને મંગળવારે 828 લોકોની જાનહાનિની ​​ઘોષણા કરવામાં આવી હતી. સ્કોટિશ ફર્સ્ટ મિનીસ્ટર નિકોલા સ્ટર્જને આજે રોજિંદા બ્રીફિંગમા જણાવ્યુ હતુ કે તેમને અપેક્ષા નથી કે આ વર્ષે સ્થિતી સામાન્ય થાય. તેણીએ સંકેત આપ્યો હતો કે તે વ્હાઇટહોલની મંજૂરી વિના પ્રતિબંધ હળવા કરવા માટે તૈયાર છે.

Read More...
કૌભાંડો રોકવા શંકાસ્પદ ઇમેઇલ રિપોર્ટિંગ સર્વિસ શરૂ કરાઇ
કોરોનાવાયરસ સંબંધિત સેવાઓ પૂરી પાડવાના બહાને લોકોને ઑનલાઇન કૌભાંડમાં ફસાવવા માટે દૂષિત ઇમેઇલ્સ મોકલનાર ગઠીયાઓને શોધી કાઢવા યુકેના નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટરના નિષ્ણાતોએ કામગીરી આદરી નવી ‘શંકાસ્પદ ઇમેઇલ રિપોર્ટિંગ સર્વિસ’ શરૂ કરી છે. કૌભાંડ કરવાના ઇરાદે મોકલવામાં આવેલા 5,000 જેટલા શંકાસ્પદ ઇમેઇલ્સ મળતાં એક જ દિવસમાં 80 કરતા વધુ છળ કરવા ખોલાયેલી વેબ સાઇટ્સ બંધ કરી દેવાઇ છે.જીસીએચક્યુના ભાગ રૂપે એનસીએસસીએ મંગળવાર 21 એપ્રિલથી સાયબર અવેરનેસ ઝુંબેશ શરૂ કરી તેમની નવી ‘શંકાસ્પદ ઇમેઇલ રિપોર્ટિંગ સર્વિસ’ પર તેમની સાથે કરવામાં આવતા ઠગાઇના પ્રયાસો અંગે જાણ કરવા લોકોને વિનંતી કરી હતી.
Read More...
  international news
અમેરિકામાં એક મહિનામાં 2.6 કરોડ લોકોની બેકારી ભથ્થુ મેળવવા અરજી
અમેરિકામાં જ્યારથી કોરોનાની મહામારી શરૂ થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં ૨.૬ કરોડ લોકોએ બેરોજગારી ભથ્થું મેળવવાની અરજી કરી છે. અમેરિકાની સરકારે જાહેર કરેલા ડેટા પ્રમાણે છેલ્લાં એક જ મહિનામાં ૪૪ લાખ યુવાનોએ સરકારી સહાય મેળવવા અરજી કરી હતી. હજુય આ આંકડો એકાદ મહિનામાં વધે એવી શક્યતા છે. અમેરિકામાં કોરોનાની મહામારી ત્રાટકી ત્યારથી લઈને અત્યાર સુધીમાં ૨.૬ કરોડ લોકોએ બેરોજગારી ભથ્થુ મેળવવાની અરજી કરી છે. છેલ્લાં એક જ સપ્તાહમાં ૪૪ લાખ બેકાર નાગરિકોએ સરકાર પાસે સહાય માગી છે.
Read More...
અમેરિકા ફરી WHOમાં સામેલ નહીં થાય, જરૂર પડે નવું સંગઠન બનાવશેઃ પોમ્પિયો
કોરોના મહામારીએ અમેરિકામાં સૌથી વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું છે. આઠ લાખથી પણ વધારે અમેરિકનો કોરોનાની લપેટમાં આવી ચુક્યા છે અને 50,000 જેટલા અમેરિકનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ બધા વચ્ચે અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ અમેરિકા કદાચ હવે કદી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને ફન્ડ આપવાનું ચાલું નહીં કરે તે અર્થનું નિવેદન આપ્યું છે.સાથે જ તેમણે જરૂર પડશે તો અમેરિકા સ્વાસ્થ્ય મામલે પોતાની જાતે વૈશ્વિક સંગઠન બનાવી લેશે તેમ પણ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ કોરોના વાયરસ મહામારી મામલે ચીન સાથે મિલીભગતનો આરોપ લગાવીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને આપવામાં આવતું ફન્ડિંગ રોકી દીધું હતું. ત્યારે હવે માઈક પોમ્પિયોએ તે જ દિશામાં વધુ આક્રમક વલણના સંકેત જાહેર કર્યા છે.
Read More...
અમેરિકામાં કોરોના વાયરસથી મૃત્યુનો આંકડો 50 હજાર વટાવી ગયો
વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવીત એવા અમેરિકામાં પોઝીટીવ કેસનો આંકડો 9 લાખની નજીક પહોંચી ગયો છે ત્યારે મૃત્યુ આંક 50,000ને વટાવી જતાં સમગ્ર દુનિયામાં ખળભળાટ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં જ અમેરિકામાં 3176 લોકો મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા.વિશ્વભરમાં સૌથી વધુ કોરોના તાંડવ અમેરિકા પર રહ્યું છે. આજે સવારની સ્થિતિએ કોરોના કેસોની કુલ સંખ્યા 8.86 લાખની હતી જયારે મૃત્યુઆંક 50,243 થઇ ગયો છે.
Read More...
 


THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

ભારતમાં અત્યાર સુધીમાં 23234 પોઝિટીવ કેસ, કુલ 725 લોકોનાં મોત

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 23 હજાર 234થઈ છે અને 725 લોકોના મોત થયા છે. શુક્રવારે પશ્વિમ બંગાળમાં 58, રાજસ્થાનમાં 36 અને ઓરિસ્સામાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.
Read More...

બે ફુટનું અંતર જાળવીને તમે વિશ્વને મહામારી સામે લડવાનો સરળ મંત્ર આપ્યો: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના પ્રસંગે સરપંચોની સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ લગભગ દોઢ કલાક ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું કે કોરોનાવાઈરસે આપણી સમક્ષ ઘણી મુશ્કેલીઓ સર્જી છે. મહામારીએ એ બોધ આપ્યો છે કે દેશને હવે આત્મનિર્ભર બનવું જ પડશે.
Read More...

22 મેએ ભારત WHOનું નેતૃત્વ સંભાળશે : ગત વર્ષે એક્ઝિક્યુટિવ બોર્ડમાં સ્થાન મળ્યું હતું
આગામી મહિને મળનારી વૈશ્ચિક આરોગ્ય સંસ્થાની વાર્ષિક બેઠક બાદ ભારત વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)ના વડામથકે નેતાગીરીની ભૂમિકા અપનાવશે. વિશ્વ અને યુનાટેઇડ નેશન્સની એજન્સી અતિ ચેપી સાર્સ-કોવર વિષાણુ આગળ ફેલાતો અટકાવવા ઝઝુમી રહ્યા છે ત્યારે હૂના એક્ઝિક્યુટિવ બોર્ડના ચેરપર્સન તરીકે ભારતના પ્રતિનિધિની નિમણૂક થશે.
Read More...
  Gujarat News
ગુજરાતના કોરોના હોટસ્પોટ વિસ્તારો સ્ટેજ-2ના એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયાં
ગુજરાતમાં કોરોનાને કારણે સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ગુજરાતમાં નવા કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે ગુજરાત હજુ બીજા સ્ટેજમાં છે. પરંતુ ગુજરાત માટે સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે, અમદાવાદ સહિતના હોટસ્પોટ વિસ્તારો સ્ટેજ-2ના એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયાં છે.

Read More...
ગુજરાતમાં કોરોનાના લક્ષણો ચેક કરવા 30 જિલ્લામાં રેપિડ એન્ટી બોડી ટેસ્ટ શરૂ
રાજ્યમાં કોરોનાએ હવે ગંભીર સ્વરૂપધારણ કર્યું છે. અત્યાર સુધીમાં કોરોનાના 2624 દર્દી નોંધાઈ ચૂક્યા છે અને 112 દર્દીના મોત થઈ ગયા છે. કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ અપડેટ આપતા કહ્યું કે, રાજ્યમાં કોરોના અંગેના ટેસ્ટ પૂર્વે પ્રારંભિક લક્ષણો ધરાવતા વ્યક્તિઓને ત્વરાએ શોધી શકાય તે માટે રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કીટનો પણ વ્યાપક ઉપયોગ કરી રાજ્યના 30 જેટલા જિલ્લામાં આવા સર્વેલન્સ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે.

Read More...
જો આ રેટ રહે તો કોરોનાના 31 મે સુધીમાં 8 લાખ કેસ થઈ શકેઃ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર
કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના1652 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ શહેરમાં કોરોના અંગેની અપડેટ આપતા જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 151 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે.

Read More...
ગુજરાતમાં કોરોના વાયરસના રોજ 3 હજારથી વધુ ટેસ્ટ થાય છેઃ આરોગ્ય સચિવ જ્યંતિ રવિ
આરોગ્ય અગ્રસચિવ ડો જયંતી રવિએ જણાવ્યું છે કે રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિઓની તપાસ માટે કરવામાં આવતા ટેસ્ટની સંખ્યા ઉત્તરોત્તર વધારવામાં આવી છે. આ સંદર્ભ માં તેમણે કહ્યું કે 1 એપ્રિલના રોજના 100 ટેસ્ટથી શરુ કરીને 23 એપ્રિલ સુધીમાં રોજના 2963 ટેસ્ટ કરવામાં આવેલા છે.

Read More...
 
સંસ્થા સમાચાર
 
gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store