Vol. 1 No. 14 About   |   Contact   |   Advertise 11th May 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 


  UK News
વડાપ્રધાને ત્રણ તબક્કાની લોકડાઉન યોજના જાહેર કરી

વડાપ્રધાન બોરીસ જ્હોન્સને કોરોનાવાયરસના આક્રમણ બાદ લોકડાઉનમાંથી બહાર નીકળવાની અને આગામી ત્રણ મહિનામાં બ્રિટનને સામાન્ય સ્થિતિમાં લાવવાની ત્રણ તબક્કાની યોજના જાહેર કરી હતી. શક્ય હોય ત્યાં કામ પર જવા માટે જણાવવામાં આવતા આ અંગે મૂંઝવણ અનુભવતા લોકો આજે સોમવારે જ નોકરી ધંધે જવા ઘરની બહાર નીકળી આવ્યા હતા અને રોડ-રસ્તા તેમજ ટ્યુબ ટ્રેનોમાં ભીડ કરી મૂકી હતી. ‘શરતી’ યોજના મુજબ જૂન મહિનામાં શાળાઓ અને જુલાઈમાં પબ, બાર, રેસ્ટોરંટ્સ, હોસ્પિટાલીટી ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી શકાશે. સામાજિક અંતર લાગુ કરવાની શરતે કર્મચારીઓ કોઈપણ સંખ્યામાં કામ પર પાછા આવી શકશે, પરંતુ પરિવારો મળી શકશે નહીં. ગાર્ડન સેન્ટરને ‘સામાજિક અંતર’ના નિયમો લાગુ કરવાની શરતે બુધવારથી ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમણે બહાર એક્સરસાઇઝ કરવા પરના નિયમોને રદ કર્યા હતા. યુકેમાં વાયરસથી ઉદભવતા ખતરા પર નજર રાખવા માટે પાંચ-સ્તરની ડેફકોન-સ્ટાઇલની વોર્નીંગ સિસ્ટમ રજૂ કરાશે.વડાપ્રધાને જણાવ્યુ હતુ કે ‘’પ્રાથમિક શાળાઓ તા. 1 જુનથી જ ખુલશે. રીસેપ્શન, યર ૧ અને યર 6 પહેલા શરૂ થશે. તે પછી જુલાઇમાં પરીક્ષાઓનો સામનો કરી રહેલા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ઉનાળાની રજાઓ પહેલાં શિક્ષકો સાથે ‘ઓછામાં ઓછો થોડો સમય’ મળી શકે તે માટે જુલાઇમાં કેટલોક સમય શાળઆએ જઇ શકશે.
Read More...
  international news
વિશ્વમાં અત્યાર સુધીમાં 41.80 લાખ લોકો સંક્રમિત, કુલ 2.83 લાખ લોકોના મોત
વિશ્વમાં સંક્રમિતોની સંખ્યા 41 લાખ 80 હજાર 137 થઈ છે. જ્યારે 2 લાખ 83 હજાર 852 લોકોના મોત છે. જોકે 14 લાખ 90 હજાર 590 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. અમેરિકામાં 24 કલાકમાં 776 લોકોના મોત થયા છે. જ્યારે 20 હજારથી વધુ સંક્રમણના કેસ મળ્યા છે. દેશમાં મરનારાઓની સંખ્યા 80 હજારથી વધુ થઈ ગઈ છે, જ્યારે 13 લાખથી વધુ દર્દીઓ મળ્યા છે.જર્મનીમાં લોકડાઉનમાં ઢીલ આપ્યાના એક દિવસ બાદ જ સંક્રમણના મામલામાં વધારો જોવા મળ્યો. લોકડાઉન હટાવવાની માંગને લઈને શનિવારે હજારો લોકોએ દેખાવો કર્યા હતા. આ પહેલા જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે બુધવારે 16 રાજ્યોના નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ લોકડાઉનમાં છૂટની જાહેરાત કરી હતી. અહીં એક લાખ 71 હજારથી વધુ લોકો સંક્રમિત છે, જ્યારે 7569ના મોત થયા છે.અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટના કાર્યાલયે રવિવારે કહ્યું કે તે 14 દિવસ સુધી ક્વોરેન્ટાઈન થશે નહિ. શુક્રવારે તેમના પ્રવક્તાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં પેંસની પણ તપાસ કરવામાં આવી હતી, જોકે તેમનો ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો હતો.
Read More...
WHOએ કોવિડ-19ની પરિસ્થિતિ દરમિયાન ફૂડ સેફ્ટી અંગેની ગાઈડ લાઈન જાહેર કરી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસ મહામારી દરમિયાન સ્વચ્છતા અને સુરક્ષાને લઈ અનેક પ્રકારના દિશા-નિર્દેશ બહાર પાડ્યા છે અને તે અંતર્ગત ફુડ સેફ્ટીને લઈ કેટલીક ટીપ્સ આપવામાં આવી છે. સાથે જ તે શા માટે જરૂરી છે તેમ પણ બતાવવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ ખાવાની વસ્તુને સુરક્ષિત રાખવા કઈ પાંચ પદ્ધતિઓ વાપરી શકાય.સફાઈનું વિશેષ ધ્યાન રાખો ખાવાનું બનાવતી વખતે અથવા તો કોઈ પણ ખાદ્ય સામગ્રીને અડતા પહેલા બંને હાથને સારી રીતે સાફ કરો. ટોયલેટ કર્યા બાદ હાથને સારી રીતે ધોવો. ભોજન બનાવતી વખતે જેટલી પણ સપાટીના સંસર્ગમાં આવવાનું થતું હોય તેને સારી રીતે ધોવો અથવા સેનિટાઈઝ કરો. કિચન એરિયાને તમામ પ્રકારના જીવ-જંતુઓથી દૂર રાખો અને પ્રાણીઓથી દૂર રહો. મોટા ભાગના સૂક્ષ્મ જીવ બીમારીનું કારણ નથી હોતા પરંતુ ગંદી સપાટી, પાણી અને પ્રાણીઓમાં વ્યાપક પ્રમાણમાં ખતરનાક સૂક્ષ્મ જીવો હોય છે. આવા સૂક્ષ્મજીવો વાસણ લુછવામાં, રસોડાના અન્ય કપડા અને કટિંગ બોર્ડમાં સરળતાથી આવી જાય છે અને હાથ દ્વારા ભોજન સુધી પહોંચે છે જેથી અનેક પ્રકારના ખોરાકથી થતા રોગ થાય છે.
Read More...
અમેરિકી સંસદમાં 40 હજાર વિદેશી ડૉક્ટર, નર્સને ગ્રીનકાર્ડની ભલામણનુ વિધેયક રજૂ
અમેરિકન સાંસદોએ 40 હજાર વિદેશી ડૉક્ટર-નર્સોને ગ્રીન કાર્ડ આપવા શુક્રવારે સંસદમાં એક બિલ રજૂ કર્યું હતું. આરોગ્ય ક્ષેત્રની જરૂરિયાતો પૂરી કરવા લવાયેલું આ બિલ જો કાયદાનું રૂપ લેશે, તો તેનાથી મોટી સંખ્યામાં એ ભારતીયોને ફાયદો થશે, જેમની પાસે પહેલેથી જ એચ-1બી કે જે-2 વિઝા છે. ધ હેલ્થકેર વર્કફોર્સ રેસિલિયન્સ એક્ટ નામના આ બિલથી એ ગ્રીન કાર્ડ જારી કરી શકાશે, જેમને થોડા વર્ષો પહેલા કોંગ્રેસે મંજૂરી આપી હતી, પરંતુ તેમને અપાયા ન હતા. આ બિલથી કોરોના મહામારી દરમિયાન 15 હજાર ડૉક્ટર અને 5 હજાર નર્સને ગ્રીન કાર્ડ જારી કરાશે, જેથી હેલ્થ પ્રોફેશનલોની અછત ન સર્જાય. અમેરિકન કોંગ્રેસમાં બિલ રજૂ કરનારા સાંસદોમાં એબી પિંકનોએર, બ્રેડ શ્નીડર, ટોમ કોલે અને ડોન બેકોન સામેલ છે.
Read More...
 


THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

ભારતમાં 24 કલાકમાં નવા 4308 કેસઃ કુલ કેસ 67152 થયા, અત્યાર સુધી 2206 લોકોના મૃત્યુ

ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધુને વધુ વકરી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં રેકર્ડ બ્રેક 4000થી વધુ નવા કેસ નોંધાયા છે. 24 કલાકનો મૃત્યુઆંક પણ 100થી વધી ગયો છે. આ આંકડાઓને ઘ્યાનમાં લેતા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન ખોલવાના પ્રયાસો પર કેવી અસર થાય છે તેના પર મીટ માંડવામાં આવી રહી છે. Read More...

ભારતમાં સ્થિતિ અમેરિકા અને બ્રિટન જેટલી ખરાબ નથી : સરકાર
દેશમાં કોરોના મહામારી રોગચાળામાં અત્યાર સુધી ૫૯,૬૯૫ લોકો સંક્રમિત થયા છે અને ૧૯૮૫ લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત ૧૭,૮૮૭ લોકો સારવાર બાદ સાજા થયા છે. સૌથી વધારે સંક્રમિતો ધરાવતા મહારાષ્ટ્રમાં દરદીઓનો આંકડો ૧૯,૦૦૦ને પાર પહોંચ્યો છે. તો બીજા નંબરે ગુજરાતમાં ૭૪૦૩ લોકો સંક્રમિત થયા છે.
Read More...

ભારતે વિદેશીઓના વિઝા અને OCI કાર્ડધારકોની મુલાકાતના હક્કો સ્થગિત કર્યા
ભારત સરકારે વિદેશી નાગરિકોને આપેલા તમામ વીસા (કેટલીક કેટેગરી સિવાયના)ને લોકડાઉનમાં ભારતથી ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સંચાલન બંધ રહે ત્યાં સુધી રદ્ કર્યા છે. બુધવારે વોશિંગ્ટનમાં ઇન્ડિયન એમ્બેસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું
Read More...
  Gujarat News
ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 8195 દર્દી અને 493 લોકોનાં મૃત્યુ
રાજ્યમાં પહેલીવાર છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસો કરતા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધારે છે. રાષ્ટ્રીય ડિસ્ચાર્જ રેટ 30.75% છે જ્યારે ગુજરાતનો ડિસ્ચાર્જ દર 32.64% થયો છે. 1 મેનાં દિવસે ડિસ્ચાર્જ રેટ 15.58% હતો, જે બમણો થઈ ગયો છે.
Read More...
ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો ડિસ્ચાર્જ રેટ 10 દિવસમાં 15.58 ટકાથી વધીને 32.64 ટકા થયો
ગુજરાતમાં કોરોનાને હરાવનારાઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૪૫૪ જેટલા દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં છેલ્લા દસ દિવસમાં ડિસ્ચાર્જ રેટ ૧૫.૫૮ ટકાથી વધીને ૩૨.૬૪ ટકા થઈ ગયો છે,
Read More...
અમિત શાહને કેંસર થયું હોવાના ખોટા મેસેજ વાયરલ કરનારા અમદાવાદ-ભાવનગરના 4 ઝડપાયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને બોન કેન્સર (હાડકાંનું કેન્સર) થયું હોવાની બોગસ ટ્વિટનો ફોટો બનાવીને વાયરલ કરીને જૂઠાણું ફેલાવવા બદલ પાંચ શખ્શોની ધરપકડ કરાઈ છે. આ પૈકી ફેક મેસેજ વાયરલ કરનાર ચાર શખ્સને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે જ્યારે એકને વડોદરા પોલીસે ઝડપી લીધો છે.

Read More...
નવી ડિસ્ચાર્જ પોલીસી પ્રમાણે રાજકોટમાં એક સાથે 17 કોરોના દર્દીઓને રજા
રાજકોટમાં કોરોનાનો રોગચાળો હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે આરોગ્ય તંત્રની નવી ડીસ્ચાર્જ પોલીસી મુજબ આજે એક સાથે 17 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને 96 જેટલા દર્દીઓને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

Read More...
 
સંસ્થા સમાચાર   અવસાન નોંધ
 
gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store