Vol. 3 No. 358 About   |   Contact   |   Advertise October 20, 2023


 
 
ઈઝરાયેલ – હમાસ જંગ નિર્ણાયક તબક્કે

ઈઝરાયેલ – હમાસ વચ્ચેનો જંગ હવે મંગળવારે (17 ઓક્ટોબર) અગિયારમાં દિવસમાં પ્રવેશસે, ત્યારે ઈઝરાયેલના સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે, કિંમત કદાચ મોટી હશે, પણ હમાસ સામેના જંગમાં અમારો વિજય નિશ્ચિત છે. બીજી તરફ વિશ્વના અનેક દેશોની જેમ ભારતે પણ ઈઝરાયેલમાંથી પોતાના નાગરિકોને સ્વદેશ પાછા લાવવા શરૂ કરેલા ઓપરેશન અજેય હેઠળ સોમવારે પાંચમી સ્પેશિયલ ફલાઈટ તેલ અવિવથી રવાના થઈ હતી. આ જંગમાં સત્તાવાર માહિતી મુજબ સોમવાર સુધીમાં 4,000થી વધુ લોકોનો મોત નિપજ્યા હતા, તો ઘવાયેલાઓની સંખ્યાનો અંદાજ પણ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે. તો બીજી તરફ ઈઝરાયેલના વડાપ્રધાનના કાર્યાલયે એક સંદેશમાં જણાવ્યું હતું કે, ઈઝરાયેલનો જંગ હમાસ સામે છે, પેલેસ્ટાઈનની સામાન્ય જનતા સામે નથી.

Read More...
લેબરે કોન્ફરન્સમાં કાશ્મીર વિષેનો ઠરાવ ફગાવ્યો

લેબર પાર્ટીએ લિવરપૂલમાં યોજાયેલી તેની વાર્ષિક કોન્ફરન્સમાં કાશ્મીરમાં કથિત હિંસા અને માનવ અધિકારોના ઉલ્લંઘન બાબતે વિરોધ વ્યક્ત કરતા પક્ષના સ્થાનિક યુનિટ અને સ્ટોક-ઓન-ટ્રેન્ટ સેન્ટ્રલ CLP દ્વારા સમર્થિત પ્રસ્તાવને ફગાવી દીધો છે.

Read More...
લંડનમાં યુગાન્ડા હાઈ કમિશન દ્વારા 61મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ

લંડનમાં યુગાન્ડા હાઈ કમિશન દ્વારા ઈન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન, લંડન ખાતે 12મી ઓક્ટોબર 2023ના રોજ 61મા સ્વતંત્રતા દિવસની ઉજવણીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.

Read More...
હમાસના કવરેજ બાબતે બીબીસી સામે જંગી દેખાવો

બ્રિટિશ બ્રોડકાસ્ટર બીબીસી દ્વારા ઇઝરાયેલ પર હુમલો કરનાર હમાસને આતંકવાદી તરીકે સંબોધવાનો ઇનકાર કરનાર બીબીસી સામે અસંતોષ વ્યક્ત કરવા માટે લગભગ 250 વિરોધીઓએ તા.

Read More...
અમેરિકામાં 10% એશિયન અમેરિકનો હિન્દુ

અમેરિકામાં દર 10માંથી એક એશિયન અમેરિકન (11 ટકા) હવે હિન્દુ ધર્મને તેમનો ધર્મ માને છે. તાજેતરના પ્યુ રીસર્ચ સેન્ટરના એક સર્વેના તારણમાં જણાયું હતું કે, બે તૃતિયાંશ ઇન્ડિયન અમેરિકનો પોતે હિન્દુ છે અથવા તો પોતાને હિન્દુત્વની નજીક માનતા હોવાનું જણાવે છે.

Read More...
પાકિસ્તાનના માજી વડાપ્રધાન નવાઝ શરીફ વતન પરત ફરશે

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ આગામી 21 ઓક્ટોબરે પાકિસ્તાન પરત ફરી રહ્યા છે. હાલ તેઓ વિદેશમાં દેશવટો ભોગવી રહ્યા છે. નવાઝ શરીફના પક્ષના હોદ્દેદારોએ તેમના પાકિસ્તાન પરત ફરવાની તમામ વ્યવસ્થા કરી લીધી છે.

Read More...
રામ મંદિર ટ્રસ્ટ 26 જાન્યુઆરી પછી NRIને અયોધ્યામાં આમંત્રિત કરશે

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ)ને 26 જાન્યુઆરી, 2024 પછી અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન માટે આમંત્રણ આપશે.

Read More...
ગરબાને યુનેસ્કોનો પ્રતિષ્ઠાવંત કલ્ચરલ હેરિટેજ ટેગ આઇસીએચ મળે તેવી શક્યતા

ગુજરાતના લોકપ્રિય ગરબાને આ વર્ષે યુનેસ્કો દ્વારા ગરબાને પ્રતિષ્ઠાવંત ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમનટી(આઈસીએચ) માં ગરબાનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે.

Read More...
મા જગદંબાની ઉપાસનાના મહાપર્વ નવરાત્રિનો મંગલમય પ્રારંભ

ગુજરાતમાં રવિવાર, 15 ઓક્ટોબરનો મા જગદંબાની ઉપાસનાના મહાપર્વ નવરાત્રિનો મંગલમય પ્રારંભ થયો છે. નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાના આ મહાપર્વના પ્રથમ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો શક્તિપીઠ પાવગઢ પહોંચ્યાં હતાં.

Read More...
બિલ્કીસ બાનો કેસ, સુપ્રીમ કોર્ટે સજા માફીના અસલ દસ્તાવેજો માંગ્યા

સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનો ગેંગરેપ કેસના 11 દોષિતોની સજામાફી સંબંધિત ઓરિજિનલ રેકોર્ડ 16 ઓક્ટોબર સુધી સુપરત કરવા કેન્દ્ર અને ગુજરાત સરકારને ગુરુવારે આદેશ આપ્યો હતો.

Read More...

  Sports
ભારતે અમદાવાદમાં પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું

ભારતમાં રમાઈ રહેલા વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટની સૌથી ઉત્તેજનાપૂર્ણ બની રહેલી શનિવાર (14 ઓક્ટોબર) ની મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે પ્રભાવશાળી રીતે હરાવી પડોશી ક્રિકેટના કટ્ટર હરીફ સામેનો પોતાનો વર્લ્ડ કપનો અજેય રેકોર્ડ યથાવત જાળવી રાખ્યો હતો.

Read More...
અફઘાનિસ્તાનનો વર્લ્ડ કપમાં મેજર અપસેટ, ઈંગ્લેન્ડને હરાવ્યું

અફઘાનિસ્તાને વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટમાં રવિવારે નવી દિલ્હીમાં મેજર અપસેટમાં ઈંગ્લેન્ડને 69 રને જંગી શિકસ્ત આપી ક્રિકેટ રસિયાઓને ચોંકાવી દીધા હતા, તો બીજી તરફ આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા તેની પહેલી બન્ને મેચમાં પરાજય સાથે તળિયે પહોંચી ગયું હતું.

Read More...
હવે ઓલિમ્પિક્સમાં પણ ક્રિકેટનો સમાવેશ

અમેરિકાના લોસ એન્જેલસમાં 2028માં યોજાનારી ઓલિમ્પિક્સમાં ક્રિકેટના સમાવેશને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક્સની કારોબારીની બેઠકમાં સોમવારે બહાલી અપાઈ હતી. મુંબઈમાં યોજાયેલી બેઠકમાં ક્રિકેટ સહિત પાંચ રમતોના સમાવેશને મંજુરીની મહોર લાગી હતી.

Read More...
શુભમન ગિલ ICC નો પ્લેયર ઓફ ધ મંથ

ભારતના યુવા, ઉભરતા ઓપનિંગ બેટર શુભમન ગિલની ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) સપ્ટેમ્બર મહિનાનો પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે પસંદગી કરાયાની જાહેરાત ગયા સપ્તાહે કરાઈ હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
રિલાયન્સના બોર્ડમાં અનંત અંબાણી નિમણૂકની વિરુદ્ધમાં મતદાન કરવા એડવાઇઝરી કંપનીની ભલામણ

ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર એડવાઇઝરી સર્વિસિસે શેરધારકોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડમાં અનંત અંબાણીની નિમણૂકની વિરુદ્ધમાં મત આપવાની ભલામણ કરી હતી. જોકે, એડવાઇઝરી કંપનીએ એક નોંધમાં ઈશા અંબાણી અને આકાશ અંબાણીને મત આપવાની ભલામણ કરી હતી. મુકેશ અંબાણીની માલિકીના રિલાયન્સના શેરધારકો ત્રણેય ભાઈ-બહેનોની નોન એક્ઝિક્યુટિવ, બિન-સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે નિમણૂક પર મતદાન કરવા માટે તૈયાર છે. શેરહોલ્ડરના વોટિંગના પરિણામ 30 ઑક્ટોબરે જાહેર કરવામાં આવશે.

Read More...
વેદાંતાની છ કંપનીઓ યુકે સ્થિત માલિક કંપની કરતાં મોટી બનશેઃ અનિલ અગ્રવાલ

બિલિયોનેર અનિલ અગ્રવાલે ગુરુવારે જણાવ્યું હતું કે વેદાંત લિમિટેડમાંથી વિભાજિત કરવામાં આવેલી છ કંપનીઓ આખરે તેમની યુકે સ્થિત પેરેન્ટ વેદાંત રિસોર્સિસ કરતાં મોટી બનશે. અહીં ઉલ્લેખનીય છે કે અનિલ અગ્રવાલે નવા રોકાણકારોને આકર્ષવા અને દેવાના બોજને હળવો કરવા માટે ભારત ખાતેની વેદાંતનું છ કંપનીઓમાં વિભાજન કરવાની જાહેરાત કરી છે. 69 વર્ષના અગ્રવાલે એક (અગાઉ ટ્વિટર) જણાવ્યું હતું કે “વેદાંતના નિર્માણની મારી સફરમાં, મને સૌથી અદભૂત શેરહોલ્ડર્સ મળવાનો આશીર્વાદ મળ્યો છે.

Read More...
લેપટોપની આયાત ઉપર નિયંત્રણો મુકવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો

ભારે વિરોધને પગલે ભારત સરકારે લેપટોપની આયાત પર નિયંત્રણો મૂકવાના તેના નિર્ણયને પાછો ખેંચી લીધો છે. ભારતના વેપાર સચિવ સુનીલ બર્થવાલે શુક્રવારે આ ફેરફારની જાહેરાત કરી હતી. વેપાર સચિવે દાવો કર્યો હતો કે સરકાર લેપટોપના આયાતકારો પર નજર રાખવા માંગે છે. સરકારે ઓગસ્ટ-2023માં ભારતે લેપટોપની આયાત પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. સરકારના આ નિર્ણયની ભારે ટીકા થઈ હતી.

Read More...
મુકેશ અંબાણીએ બદ્રીનાથ ધામમાં પૂજા કરી, રૂ.5 કરોડનું દાન આપ્યું

અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ગુરુવારે ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં પૂજા કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન તેમના સૌથી નાના પુત્ર અનંતની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે બદ્રીનાથ ધામ પહોંચ્યાં હતા. શ્રી બદરીનાથ કેદારનાથ મંદિર સમિતિ (BKTC) ના વાઇસ પ્રેસિડેન્ટ કિશોર પવારે બિઝનેસ ટાયકૂનનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન અંબાણીએ શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ. રૂ. 5 કરોડનું દાન આપ્યું હતું. અંબાણીની બદ્રીનાથની આ પહેલી યાત્રા નથી – ગયા વર્ષે તેમણે પવિત્ર યાત્રાધામની મુલાકાત પણ લીધી હતી, જ્યારે તેમણે બદરી-કેદાર મંદિર સમિતિ (BKTC)ને રૂ. 5 કરોડનું દાન આપ્યું હતું.

Read More...
  Entertainment

બોલીવૂડમાં પણ નવરાત્રિનાં નવરંગનું આકર્ષણ

ફિલ્મો તરફ દર્શકોને આકર્ષવા માટે નિર્માતા-દિગ્દર્શકો તેમાં અવનવા પ્રયોગો કરતા રહે છે. ખાસ તો દર્શકોને ધ્યાનમાં રાખીને તહેવાર સંબંધિત ગીત-સંગીતનો તેમાં ઉપયોગ કરે છે. ઘણા લાંબા સમયથી બોલીવૂડની ફિલ્મો નવરાત્રિનું પણ આકર્ષણ જોવા મળ્યું છે. સમયની સાથે ફિલ્મોમાં પણ નવરાત્રિનું સ્વરૂપ બદલાયું છે. અત્યારની ફિલ્મોમાં નવરાત્રિનું આધુનિક સ્વરૂપ જોવા મળી રહ્યું છે. અહીં આવી જ કેટલીક ફિલ્મો અને તેના ગીતો વિશે જણાવવામાં આવ્યું છે જેમાં નવરાત્રિના રૂપરંગને આવરી લેવામાં આવ્યા હોય. સત્યપ્રેમ કી કથા (2023) આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ ‘સુન સજની…’ ગીત પર ગરબામાં જમાવટ દેખાડી છે. આ વર્ષની નવરાત્રિના ગીતોમાં તે સૌથી મોખરે છે. મજાની વાત તો એ છે કે ચાહકોએ આ ગીતને લોકપ્રિય ગુજરાતી ગરબો ‘મારી મહિસાગરને આરે…’ ટ્રેક સાથે સરખાવ્યું છે.

Read More...

અક્ષયકુમારે કેનેડાની નાગરિકતા કેમ છોડી દીધી?

અક્ષયકુમારે 1990 પછી કેનેડાની નાગરિકતા મેળવી હતી. પછી તેણે તે નાગરિકતા છોડી દીધી હતી અને તાજેતરમાં તે ભારતનો નાગરિક બની ગયો હતો. જોકે, કેનેડાની નાગરિકતાને કારણે સોશિયલ મીડિયા પર તેની ટીકા થઇ હતી. થોડા દિવસ અગાઉ એક ઈન્ટરવ્યુ દરમિયાન અક્ષયકુમારે કેનેડાની નાગરિકતાના મુદ્દે સ્પષ્ટતા કરી હતી. અક્ષયકુમારે કહ્યું કે, ફિલ્મો નહોતી ચાલતી એટલે હું કેનેડિયન બન્યો, ત્યાં ધંધો હતો. દેશમાં ઘણા લોકો આવું કરે છે. હું કાર્ગોનો ધંધો કરતો હતો. પછી છેલ્લી બે-ત્રણ ફિલ્મો ચાલી અને ત્યાં સુધીમાં પાસપોર્ટ આવી ગયો હતો. હવે હું પાછો આવી ગયો છું અને ફિલ્મો રિલીઝ થઇ અને તે સફળ થઇ રહી હતી પછી મારા મગજમાંથી પાસપોર્ટનો મુદ્દો નીકળી ગયો હતો.

Read More...

ક્રિતીને કેવો જોઇએ છે મનનો માણિગર?

બોલીવૂડની યુવા અભિનેત્રી ક્રિતી સેનને તેના સંબંધો અંગે સ્પષ્ટતા કરી છે. તેણે જણાવ્યું છે કે, તે હજુ પણ એકલી જ છે. એટલે તે કોઇની સાથે ડેટ કરી રહી નથી. તે છેલ્લે ‘આદિપુરુષ’ ફિલ્મમાં જોવા મળી હતી. આ ઉપરાંત તે કરીના કપૂર ખાન સાથે ‘ધ ક્રૂ’માં, શાહિદ કપૂર સાથે એક ફિલ્મમાં અને ટાઇગર શ્રોફ સાથે ‘ગનપત’માં જોવા મળશે. પ્રભાસ સાથે તેના રીલેશનની ચર્ચા હતી. હવે તેણે અફવાઓને ફગાવતા જણાવ્યું હતું કે, ‘હું સૌને સ્પષ્ટતા કરવા ઇચ્છું છું કે હું એકલી જ છું. હું તમને સહુને કહું કે, મારે કેવો પાર્ટનર જોઈએ છે. મને લાગે છે કે હું રોમેન્ટિક છું. હું પણ પ્રેમમાં પડવા ઇચ્છું છું.

Read More...

12 મહિના સુધી બિઝી છે અજય દેવગણ

અજય દેવગણ આવનારા 12 મહિના સુધી ખૂબ જ બિઝી છે. આ સમયગાળા દરમિયાન અજયની સાત ફિલ્મો રિલીઝ થવાની છે. અજયે નીરજ પાંડે સાથેની ફિલ્મ ઔરો મેં કહાં દમ થા, માધવન-જ્યોતિકા સાથેની થ્રિલરનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. ભત્રીજા અમાન દેવગણ સાથેની ફિલ્મ પણ બની રહી છે. રોહિત શેટ્ટી સાથેની સિંઘમ અગેઈનનું શૂટિંગ ચાલી રહ્યું છે. ત્યારપછી આગામી વર્ષે રેઈડ 2, દે દે પ્યાર દે 2 અને ગોલમાલ 5 શરૂ થવાની છે. આમ, આવનારા 12 મહિનામાં અજયની સાત ફિલ્મો નક્કી થયેલી છે. તાજેતરમાં આ યાદીમાં સન ઓફ સરદારની સીક્વલ ફિલ્મનો પણ સમાવેશ થયો છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store