(ANI Photo)

અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ગુરુવારે ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં પૂજા કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન તેમના સૌથી નાના પુત્ર અનંતની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે બદ્રીનાથ ધામ પહોંચ્યાં હતા.

શ્રી બદરીનાથ કેદારનાથ મંદિર સમિતિ (BKTC) ના વાઇસ પ્રેસિડેન્ટ કિશોર પવારે બિઝનેસ ટાયકૂનનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન અંબાણીએ શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ. રૂ. 5 કરોડનું દાન આપ્યું હતું.

અંબાણીની બદ્રીનાથની આ પહેલી યાત્રા નથી – ગયા વર્ષે તેમણે પવિત્ર યાત્રાધામની મુલાકાત પણ લીધી હતી, જ્યારે તેમણે બદરી-કેદાર મંદિર સમિતિ (BKTC)ને રૂ. 5 કરોડનું દાન આપ્યું હતું.

અંબાણી પરિવાર વારંવાર મંદિરો અને પવિત્ર મંદિરોની મુલાકાત લે છે. ગણપતિની ઉજવણી દરમિયાન, મુકેશ અને નીતા અંબાણી, આકાશ અંબાણી, ઈશા અંબાણી, શ્લોકા મહેતા, રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી સાથે મળીને મુંબઈમાં લાલબાગચા રાજાના દર્શને ગયા હતા.

 

LEAVE A REPLY

9 + seventeen =