Vol. 1 No. 09 About   |   Contact   |   Advertise 01st May 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 



  UK News
રોગચાળો ચરમસીમા વટાવી ચૂક્યો છે: વડાપ્રધાન

વડાપ્રધાન બોરીસ જ્હોન્સને આજે તા. 30ના રોજ સાંજે 10 ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે પ્રેસ બ્રિફીંગમાં જણાવ્યુ હતુ કે ‘’દેશમાં રોગચાળાએ આજની રાતથી ચરમસીમા વટાવી દીધી છે અને યુકેમાં હવે રોગચાળો શમી રહ્યો છે. પરંતુ કોવિડ-19નો પ્રકોપ ટાળવા લોકોને લોકડાઉન ‘ચાલુ રાખવા’ આગ્રહ કર્યો હતો.’’ તેમણે આગામી અઠવાડિયે લોકડાઉનમાંથી બહાર નીકળવાનો રોડ મેપ જાહેર કરવાની જાહેરાત કરી સંકેત આપ્યો હતો કે પ્રતિબંધ જૂન અને તેનાથી આગળ ચાલશે. લોકડાઉન પ્રતિબંધોની સમીક્ષા આગામી સપ્તાહે તા. 7 મેના રોજ થવાની છે.
Read More...
યુકેમાં કોરોનાવાયરસના વળતા પાણી: 674ના મોત
યુકેમાં કોરોનાવાયરસના વળતા પાણી થતા હોય તેમ છેલ્લા 24 કલાકમાં યુકેમાં કુલ 674 લોકોના મોતની જાહેરાત કરવામાં આવી હતી. તે સાથે યુકેમાં કોવિડ-19ના કારણે મોતેન ભેટેલા લોકોની સંખ્યા 26,711 ઉપર ગઈ છે. એનએચએસ ઇંગ્લેન્ડે 391 લોકોના મોત થયા હોવાનુ જાહેર કર્યુ હતુ જેમાં સૌથી નાની વયની વ્યક્તિ 15 વર્ષની હતી. જ્યારે સ્કોટલેન્ડમાં 60 અને વેલ્સમાં 22 લોકોના મૃત્યુ નોંધાયા હતા.

Read More...
બે હોનહાર ગુજરાતી ફાર્મસીસ્ટ મેહુલ પટેલ અને જયેશ પટેલનુ નિધન
નોર્થ લંડનમાં બ્લિસ કેમિસ્ટની માલિકી ધરાવતા અને મિત્રોએ જેમને ‘લાખોમાં એક’ વ્યક્તિનુ બિરૂદ આપ્યુ હતુ તે ફાર્મસીસ્ટ મેહુલ પટેલનું ગુરૂવારે કોરોનાવાયરસ રોગ સામે એક મહિનાથી વધુ સમય સુધી હોસ્પિટલમાં લડ્યા બાદ અવસાન થયું હતું. જ્યારે કોવિડ-19નો ચેપ લાગ્યા બાદ અન્ય ફાર્માસિસ્ટ જયેશ પટેલનું 22 એપ્રિલના રોજ એપ્સમ જનરલ હોસ્પિટલમાં નિધન થયું હતું.બે પુત્રો અને પત્ની અર્પિતાને વિલાપ કરતા મૂકી ગયેલા 48 વર્ષના મેહુલ પટેલને એક મહિના સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
Read More...
ભારતીય સમુદાય સાથેના વિશ્વાસને ફરીથી સ્થાપિત કરવા પ્રતિબદ્ધ છું: કૈર સ્ટાર્મર
લેબર પક્ષના વડા તરીકે કૈર સ્ટાર્મરની વરણી બાદ લેબર ફ્રેન્ડ્સ ઑફ ઈન્ડિયા (LFIN)ની એક્ઝિક્યુટિવ ટીમના સદસ્યોએ બ્રિટિશ ભારતીય સમુદાય સાથેનો વિશ્વાસ ફરીથી સ્થાપિત કરવા, મૂલ્યોને વહેંચવા અને યુકે-ભારતના સંબંધોને પ્રોત્સાહન આપવા અંગે મુલાકાત કરી ચર્ચા કરી હતી. કૈર સ્ટાર્મર અને લેબર ફ્રેન્ડ્સ ઑફ ઇન્ડીયા દ્વારા (LFIN) સંયુક્ત પ્રેસ નિવેદન જાહેર કરવામાં આવ્યુ હતુ.
Read More...
  international news
કોરોનાવાઈરસ વુહાનની લેબમાંથી આવ્યો હોવાના પુરાવા હોવાથી ચીન પર ટેરિફ લગાવીશુંઃ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ચીન પર ફરી એક વખત સમગ્ર વિશ્વમાં કોરોનાવાઈરસ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે વાઈરસનું વુહાન ઈન્સ્ટીટયુટ ઓફ બાયોલોજી સાથે કનેકશન છે. અમારી પાસે તેના પુરાવા છે. કોરોના આ લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે. જોકે તેમણે આ અંગે વધુ માહિતી આપવાથી ઈન્કાર કર્યો હતો. કોરોનાથી વિશ્વમાં 2.30 લાખ લોકોના મોત થયા છે.વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફોરન્સ દરમિયાન ટ્રમ્પને વાઈરસની વુહાન લીન્કને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે મારી પાસે તેના પુરાવા છે.
Read More...
અમેરિકાના 50માંથી 35 રાજ્યોને શરુ કરવા માટે તૈયારીઓ પૂર્ણ થઈ
અમેરિકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોરોનાના ૨૫૦૨ મોત નોંધાયા છે. અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા પુરા પાડવામાં આવતા આંકડામાં આ વિગત રજૂ થઈ હતી. બીજી તરફ અમેરિકાના ૫૦માંથી ૩૫ રાજ્યોને રિ-ઓપન કરવા માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અમેરિકામાં કેસની સંખ્યા વધીને ૧૦.૬૯ લાખ થઈ ગઈ છે, જ્યારે મોત ૬૨ હજારથી વધારે નોંધાયા છે. સમગ્ર વિશ્વમાં કેસ ૩૨.૫૬ લાખથી વધારે અને મૃત્યુ ૨.૩૦ લાખથી વધારે નોંધાયા છે. ૧૦.૨૮ લાખ દરદી સાજા થયા છે.ટ્રમ્પ સહિત વિશ્વના ઘણા નેતાઓ આ વાઈરસ ચીને લેબોરેટરીમાં તૈયાર કર્યો હોવાની આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે.
Read More...
અમેરિકન એરલાઇન્સને પ્રથમ કવાર્ટરમાં 2.24 અબજ ડોલરનું નુકસાન
કોરોના લોકડાઉનને પગલે અમેરિકન એરલાઇન્સને ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં 2.24 અબજ ડોલરનું નુકસાન થયું છે. ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરની આવકમાં 19 ટકાનો ઘટાડો થયો છે. ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં ગયા વર્ષના પ્રથમ કવાર્ટરની સરખામણીમાં વિમાન યાત્રામાં 95 ટકાનો ઘટાડો થયો છે. એરલાઇન્સના ચેરમેન અને સીઇઓ ડોગ પારકરે વધુમાં જણાવ્યું છે કે આ અગાઉ ક્યારેય પણ અમારી એરલાઇન્સે આવા પડકારજનક સમયનો સામનો કર્યો નથી. એરલાઇન્સે ગયા વર્ષના સમાન કવાર્ટરમાં 18.5 કરોડ ડોલરનો નફો કર્યો હતો.
Read More...
 


THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

ભારતમાં એક દિવસમાં કોરોના પોઝીટીવ 2000 વધ્યા: 73 મોત: લોકડાઉનના અંત પૂર્વે નવી ચિંતા

ભારતમાં લોકડાઉન-ટુ એ તેના અંતિમ દિવસોમાં છે તે સમયે કોરોના કેસમાં આવેલી મોટી વૃધ્ધિએ સરકાર માટે મોટી સમસ્યા ઉભી કરી છે. ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના નવા 1993 કેસ તથા વધુ 73 લોકોના મૃત્યુ નોંધાયા છે. જેના કારણે દેશમાં કોરોના પોઝીટીવની કુલ સંખ્યા 34043 જયારે કુલ મૃત્યુ 1147 થયા છે હાલ 8889 લોકોને સારવારમાંથી મુકિત અપાઈ છે.
Read More...

ભારત દેશમાં અત્યાર સુધી 34,948 લોકો સંક્રમિત થયા, કુલ 1,157 લોકોના મોત
ભારત દેશમાં અત્યાર સુધી 34,948 લોકો સંક્રમિત થયા છે અને 1,157 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 10 હજારને પાર થઈ ગયો છે. તો સાથે જ બીજા ક્રમે રહેલા ગુજરાતમાં 4000થી વધુ લોકો કોરોનાના સંકજામાં આવી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે લોકડાઉન અગાઉ દેશમાં સંક્રમિતોની સંખ્યા પ્રત્યેક 4.2 દિવસમાં બમણી થઈ હતી.હવે તે 11 દિવસમાં સંક્રમણના કેસ બમણા થઈ રહ્યા છે.
Read More...

ઈન્ડિયામાં 319 ડિસ્ટ્રીક્ટ ગ્રીન ઝોનમાં, અમદાવાદ, દિલ્હી, મુંબઈ રેડ ઝોનમાં સામેલ કરાયા
કોરોના વાઈરસ મહામારીનું સંકટ જેમ જેમ વધી રહ્યુ છે સરકાર પોતાની રણનીતિમાં પરિવર્તન કરી રહી છે. દરેક જિલ્લા અને રાજ્યની વર્તમાન સ્થિતિ અનુસાર આગળનો માર્ગ તૈયાર કરાઈ રહ્યો છે. હવે આરોગ્ય મંત્રાલય તરફથી 3 મે બાદ એટલે કે આગામી અઠવાડિયા માટે જિલ્લાને અલગ-અલગ વહેંચીને કામ કરવામાં આવ્યુ છે.
Read More...
  Gujarat News
ગુજરાતમાં કોરોનાના નવા 313 કેસ, 17નાં મોત, કુલ કેસ 4395, કુલ મોત 214
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 313 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 17 દર્દીના મોત થયા છે અને 86 દર્દી સાજા થયા છે. આ સાથે જ કુલ દર્દી 4395 થઈ ગયા છે. આજના કેસમાં અમદાવાદમાં જ 249 પોઝિટિવ કેસ નોંધાયા છે. મહેસાણા જિલ્લામાં વડનગરના મોલિપુર ખાતે ત્રણ કેસ નોંધાયા છે.

Read More...
ગુજરાતમાં લોકડાઉનના 40 દિવસઃ પ્રથમ 14 દિવસમાં 87 કેસ, છેલ્લા 15 દિવસમાં 3527 પોઝિટિવ કેસ વધ્યા
ગુજરાતમાં કોરોનાનો કેર દિવસને દિવસે વધી રહ્યો છે. એક સમયે રાજ્યમાં દિવસના 20થી 50 કેસ નોંધાતા હતા હવે એ આંકડો 300ને પાર પહોંચી રહ્યો છે. 30 એપ્રિલ સુધીમાં રાજ્યમાં કોરોના પોઝિટિવના 4395 કેસ નોંધાયા છે.

Read More...
ગુજરાતમાં 23 દેશની વસતી કરતાં પણ વધુ લોકો ‘ક્વોરન્ટાઇન’
ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેમ ક્વોરન્ટાઇન થનારાઓની સંખ્યા પણ સતત વધી રહી છે. હાલ ગુજરાતમાં 45089 લોકો ક્વોરન્ટાઇન છે. રસપ્રદ વાત એ છે કે, વિશ્વના 23 દેશની જેટલી વસતી પણ નથી તેનાથી વધુ લોકો ગુજરાતમાં હાલ કોરોનાને લીધે ક્વોરન્ટાઇન હેઠળ છે.

Read More...
પરપ્રાંતિય મજૂરોના પલાયનથી સુરત અને રાજકોટના ઉદ્યોગને કરોડોની નુકસાનની આશંકા
રાજ્યમાંમાં વસતા પરપ્રાંતીય મજૂરોને સરકારે પોતાના વતનમાં જવાની છૂટ આપતાની સાથે જ રાજ્યના મહાનગરોમાંથી મજૂરોએ વતન તરફની વાટ પકડી છે. છેલ્લા બે દિવસથી સુરત અને રાજકોટ શહેરમાંથી તેમજ અમદાવાદમાંથી મજૂરોના ટોળેને ટોળાઓ દેશના જુદા જુદા શહેરમોં જઈ રહ્યા છે.એક તરફ રાષ્ટ્રીય લૉકડાઉન 2.0ની મર્યાદા સમાપ્ત થઈ રહી છે

Read More...
 
સંસ્થા સમાચાર   અવસાન નોંધ
 
gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store