Vol. 2 / No. 47 About   |   Contact   |   Advertise January 25, 2024


 
 
અયોધ્યામાં રામમંદિરની ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠાઃ વિશ્વભરના હિન્દુઓ માટે પાવન ઘડી

અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરમાં સોમવાર, 22 જાન્યુઆરીએ રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સમગ્ર દેશ રામમય બન્યો હતો. દેશભરમાં હર્ષ અને ઉત્સાહના વાતાવરણ સાથે વિશ્વભરના હિન્દુઓની આશરે 550 વર્ષની આતુરતાનો અંત આવ્યો હતો. એક સપ્તાહ લાંબી પૂજા વિધિ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયેલી પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, મહંત નૃત્ય ગોપાલદાસજી તથા રામ મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ સમગ્ર ભવ્ય-દિવ્ય પ્રસંગે આર્મીના હેલિકોપ્ટરોએ અયોધ્યા પર પુષ્પવર્ષા કરી હતી અને 30 કલાકારોએ રામ મંદિર પરિસરમાં વિવિધ ભારતીય સંગીતનાં વાદ્યો વગાડ્યાં હતાં. રામમંદિરમાં રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સવારે 12:29થી 12:30 કરવામાં આવી હતી. વડાપ્રધાને બપોરે 12:05 થી 12:55 સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો.

Read More...
અભૂતપૂર્વ ધીરજ, અસંખ્ય બલિદાન અને તપસ્યા પછી રામનું આગમનઃ મોદી

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા પછી મંદિર પ્રાંગણમાં મહેમાનોની વચ્ચે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અભૂતપૂર્વ ધીરજ, અસંખ્ય બલિદાન અને આકરી તપસ્યા પછી આપણા ભગવાન રામનું આગમન થયું છે. હું આ અવસર પર દેશને અભિનંદન આપું છું.

Read More...
અયોધ્યા ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે મક્કા, વેટિકનને પાછળ છોડી દેશેઃ રીપોર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અયોધ્યામાં રામંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી હતી. મુઘલ યુગની બાબરી મસ્જિદની જગ્યા પર બનેલા રામ મંદિરની મુલાકાતે દર વર્ષે 100 મિલિયન પ્રવાસીઓ આવવાનો અંદાજ છે.

Read More...
ભારતીય દૂત સંધુનો વોશિંગ્ટનમાં વર્ચ્યુઅલ વિદાય સમારંભ

ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં વધુ ગાઢ બનશે તેના પર ભાર મૂકીને અમેરિકા સ્થિત ભારતીય રાજદૂત તરનજિત સિંહ સંધુએ શનિવારે જણાવ્યું હતું કે યુએસ-ભારત સંબંધો માત્ર બે દેશો માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના હિત માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Read More...
સિલિકોન વેલીની બે સરકારી શાળાઓમાં હિન્દી શિખવાશે

સિલિકોન વેલીની બે સરકારી શાળાઓ તેમના અભ્યાસક્રમમાં વિશ્વ ભાષા તરીકે હિન્દીનો સમાવેશ કરશે. આની સાથે કેલિફોર્નિયાની કોઇ સ્કૂલોમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓને હિન્દી ભાષાનો પણ વિકલ્પ મળશે.

Read More...
માલ્યા, નીરવ મોદીના ઝડપી પ્રત્યાર્પણ માટે ભારતની ટીમ યુકે જશે

કિંગફિશરના ભાગેડુ અપરાધી વિજય માલ્યા, હીરાના વેપારી નીરવ મોદી અને સંરક્ષણ વેપારી સંજય ભંડારીના પ્રત્યાર્પણને ઝડપી બનાવવા માટે ભારતની તપાસ એજન્સીઓની ટીમ યુકેની મુલાકાત લેવાની વિચારણા કરી રહી છે.

Read More...
બિઝનેસ વિઝા પ્રક્રિયા ફાસ્ટ ટ્રેક પર મૂકવા ભારતનો અમેરિકાને અનુરોધ

નવી દિલ્હીમાં અમેરિકા સાથેની ટ્રેડ પોલિસી ફોરમ (TPF) બેઠકમાં ભારતે શનિવારે યુએસના બિઝનેસ વિઝા મેળવવામાં થતાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે વેપારીઓ અને રોકાણકારો માટે યુએસ વિઝાની ફાસ્ટ ટ્રેક પ્રોસેસ ચાલુ કરવાની રજૂઆત કરી હતી.

Read More...
નિજ્જર હત્યા વિવાદઃ કેનેડામાં ભારતીયોના સ્ટુડન્ટ વિઝામાં 86%નો ઘટાડો

​​ગયા વર્ષના છેલ્લાં ક્વાર્ટરમાં ભારતના વિદ્યાર્થીઓને કેનેડાએ જારી કરેલી સ્ટડી પરમિટમાં 86 ટકાનો ધરખમ ઘટાડો થયો છે. ગયા વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં કેનેડાએ ભારતના 14,910 વિદ્યાર્થીઓને સ્ટડી પરમિટ આપી હતી,

Read More...
વડોદરાના તળાવમાં બોટ પલટી ખાઈ જતાં 13 વિદ્યાર્થી સહિત 15ના મોત

વડોદરા શહેરના હરણી વિસ્તાર ખાતે આવેલા મોટનાથ તળાવમાં ગુરુવારે બોટ પલટી ખાઈ જતાં 13 વિદ્યાર્થી, બે શિક્ષકો સહિત 15 વ્યક્તિઓના મોત થયા હતાં. દુર્ઘટના સમયે બોટમાં 27 લોકો સવાર હોવાનું માનવામાં આવે છે.

Read More...
વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડાનું રાજીનામું

ગુજરાત કોંગ્રેસને વધુ ફટકો પડ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સી જે ચાવડાએ ઉત્તર ગુજરાતના વિજાપુર મતવિસ્તારના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું અને તે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

Read More...

  Sports
ભારતનો ત્રીજી ટી-20, સીરીઝમાં અફઘાનિસ્તાન સામે રોમાંચક વિજય

ભારતે ગયા સપ્તાહે પુરી થયેલી અફઘાનિસ્તાન સામેની ઘરઆંગણેની ત્રણ ટી-20 મેચની સીરીઝની ત્રીજી અને છેલ્લી ટી-20માં બુધવારે (17 જાન્યુઆરી) રાત્રે બેંગલુરૂમાં બે સુપર ઓવર પછી અફઘાનિસ્તાનને 10 રને હરાવ્યું હતું.

Read More...
રોહિત શર્માનો પાંચ ટી-20 ઈન્ટરનેશનલ સદીનો વર્લ્ડ રેકોર્ડ

ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી ટી-20માં બુધવારે ઝમકદાર અણનમ સદી સાથે ટી-20માં પાંચમી સદી નોંધાવી હતી અને એ સાથે તેણે આ ફોર્મેટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ કર્યા હતો.

Read More...
ઈંગ્લેન્ડની ટીમનું ટેસ્ટ સીરીઝ માટે ભારતમાં આગમન

ભારત સાથે પાંચ ટેસ્ટ મેચની સીરીઝ માટે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ રવિવારે (21 જાન્યુઆરી) રાત્રે ભારતમાં હૈદરાબાદ પહોંચી ગઈ હતી. સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ હૈદરાબાદમાં જ ગુરૂવાર (25 જાન્યુઆરી) થી રમાશે. પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 7 માર્ચથી

Read More...
સાનિયા મિર્ઝાથી અલગ થઈ શોએબ મલિકના અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજા લગ્ન

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાથી અલગ થઈને પાકિસ્તાના દિગ્ગજ ક્રિકેટર શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યા છે. મલિકે શનિવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં લગ્ન સમારંભની તસવીરો મૂકીને આ અંગેની જાહેરાત કરી હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
સૌથી મજબૂત કરન્સીની ફોર્બ્સની યાદીમાં US ડોલર છેક 10મા ક્રમે

વિશ્વભરમાં યુએસ ડોલરનું વર્ચસ્વ હોવા છતાં ફોર્બ્સની વિશ્વના સૌથી મજબૂત ચલણની યાદીમાં કુવૈતી દિનારને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે, જ્યારે બહેરીનો દિનાર અને ઓમાનનો રિયાલ બીજા અને ત્રીજા સ્થાને છે. આ યાદીમાં અમેરિકાનો ડોલર છેક 10માં ક્રમે અને યુકેનો પાઉન્ડ છઠ્ઠા ક્રમે છે. ટોપ 10 કરન્સીમાં ભારતના રૂપિયાને સ્થાન મળ્યું નથી.

Read More...
એરબસ ભારતથી વિમાન પાર્ટસની ખરીદી બમણી કરશે

યુરોપની અગ્રણી વિમાન ઉત્પાદક કંપની એરબસે આગામી વર્ષમાં ભારતમાંથી તેના પાર્ટની ખરીદીને બમણી કરીને 1.5 બિલિયન ડોલર કરવાની યોજના બનાવી છે. કંપનીના ઇન્ડિયા ચીફે ગુરુવારે આ અંગેની માહિતી જાહેર કરી હતી. કંપની વિશ્વના સૌથી વધુ ઝડપથી વિકસતા બજારના એવિયેશન માર્કેટનો લાભ લેવા માગે છે.

Read More...
આગામી વર્ષોમાં વ્યાજદર ઊંચા રહેશે, મંદીની શક્યતા નહીંવત્ : IMF

દાવોસના વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં આઇએમએફના ગીતા ગોપીનાથે જણાવ્યું હતું કે ફુગાવા સામેની લડત હજુ પૂરી થઈ નથી અને વ્યાજદર ઊંચા રહેવાનો અંદાજ છે. ચાલુ વર્ષેના બીજા અર્ધવાર્ષિક ગાળામાં વ્યાજદર ઘટવાની શક્યતા વધુ છે. ભારતના કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ પણ દાઓસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે,

Read More...
તાતા સ્ટીલ યુકેના પોર્ટ ટાલ્બોટ પ્લાન્ટના 2,800 કર્મચારીઓને છૂટા કરશે

તાતા સ્ટીલ કંપનીએ યુકેના પોર્ટ ટાલ્બોટ પ્લાન્ટની બ્લાસ્ટ ફર્નેસ (ભઠ્ઠીઓ) બંધ કરવાનો નિર્ણય લીધો હોવાથી 2,800થી વધુ કર્મચારીઓને છુટા કરાશે. કંપનીએ જણાવ્યું હતું કે, કુલ છટણીમાંથી 2500 કર્મચારીઓને આવનારા 18 મહિનામાં છૂટા કરવામાં આવશે. જ્યારે વધુ ૩૦૦ નોકરીઓ ત્રણ વર્ષમાં ઘટાડાશે. તાતા સ્ટીલે જણાવ્યું હતું કે, નોકરીઓમાં કાપ અંગે ટૂંક સમયમાં ચર્ચા શરૂ થશે.

Read More...
ચોઈસે પ્રસ્તાવિત મર્જરના એન્ટિ ટ્રસ્ટ પાસાઓે મુદ્દે વિન્ધામનું વલણ નકાર્યુ

વિન્ધામ હોટેલ્સ એન્ડ રિસોર્ટના હિતધારકોને કંપનીના તેના સૂચિત સંપાદનને સ્વીકારવા માટે મનાવવાની તેની છેલ્લી ઝુંબેશમાં, ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલે વિન્ડહમ પર સોદાના અવિશ્વાસના પાસાઓને લઈને ગેરમાર્ગે દોરનારા નિવેદનો આપવાનો આક્ષેપ કરતી વિગતવાર રજૂઆત રજૂ કરી છે.

Read More...
સ્ટેટ સેનેટમાં ન્યૂજર્સી ફ્રેન્ચાઇઝી કાયદો અટવાયો

ન્યુ જર્સીમાં પ્રસ્તાવિત ફ્રેન્ચાઈઝ સુધારણા કાયદો કે જેણે AAHOA અને ઘણી મોટી હોટેલ કંપનીઓ વચ્ચે અણબનાવ સર્જ્યો હતો તે રાજ્યની વિધાનસભામાં અટકી ગયો છે. AAHOA એ કહ્યું કે તે ખોટી માહિતી હતી જેણે બિલ પસાર થવામાં વિલંબ કર્યો હતો,

Read More...
યુએસ સ્થિત સ્ટારવૂડે એડવર્ડિયન હોટેલ્સ પાસેથી લંડનની 10 રેડિસન બ્લુ પ્રોપર્ટી ખરીદી

એડવર્ડિયન ગ્રુપ ટ્રાન્ઝિશનલ સમયગાળા દરમિયાન પોર્ટફોલિયોનું સંચાલન કરવાનું ચાલુ રાખશે, કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. એડવર્ડિયન હોટેલ્સ લંડન ઓપરેશનલ કંટ્રોલ જાળવી રાખશે અને તેની બે રેડિસન કલેક્શન હોટેલ્સ- મેફેરમાં ધ મે ફેર અને માન્ચેસ્ટરમાં ધ

Read More...
  Entertainment

ડિજિટલ પ્લેટફોર્મ પર નવા વર્ષે નવા મનોરંજનની ભરમાર

ભારતમાં મનોરંજન ક્ષેત્રે હિન્દી અને સાઉથ ઇન્ડિયાની ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે. હવે થોડા વર્ષથી ડિજિટલ પ્લેટફોર્મ પર વેબસીરિઝનો જમાનો આવ્યો છે. અહીં એવી અનેક વેબસીરિઝ ઉપલબ્ધ છે કે તે દર્શકોને જકડી રાખે છે. નવા વર્ષનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે આ પ્લેટફોર્મ હવે નવું ઘણું મનોરંજન પીરસાશે. ઇન્ડિયન પોલીસ ફોર્સઃ ભારતમાં પોલીસ ખાતાની સિરીઝ અને ફિલ્મોને દર્શકો પસંદ કરે છે. તેમાં પોલીસની સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ભૂમિકા જોવા મળે છે.

Read More...

‘મૈં અટલ હું’માં પંકજ ત્રિપાઠીની પડકારજનક ભૂમિકા

વેબ સીરિઝ અને હિન્દી ફિલ્મોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી રહેલા પંકજ ત્રિપાઠીની નવી ફિલ્મ ‘મૈં અટલ હું’ તાજેતરમાં રીલીઝ થઇ હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીના જીવન આધારિત આ ફિલ્મમાં વાજપેયીજીના રાજકીય જીવનને દર્શાવવામાં આવ્યું છે. તેમાં ગાંધીજીની હત્યાથી લઇને કારગિલ યુદ્ધ સુધીની ઐતિહાસિક ઘટનાઓ અને વાજપેયીજીના રાજકીય સંઘર્ષને રજૂ કરાયો છે.

Read More...

મુંબઈની જગ્યાએ ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ્સ યોજવાના મુદ્દે વિવાદ

આ વખતે મુંબઈની જગ્યાએ ગુજરાતના ગાંધીનગરમાં ફિલ્મફેર એવોર્ડ યોજવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે. મહારાષ્ટ્રના વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો છે કે મુંબઈના મહત્ત્વમાં ઘટાડો કરવાનો અને ફિલ્મ ઉદ્યોગને બહાર ખસેડવાનો આ એક પ્રયાસ છે. પરંપરાગત રીતે ફિલ્મફેર એવોર્ડ મુંબઈમાં યોજાતો હોય છે,

Read More...

ફિલ્મ રીવ્યૂઃ મેરી ક્રિસમસ

દિગ્દર્શક શ્રીરામ રાઘવનની નવી સસ્પેન્સ-થ્રીલર ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા મુજબ ક્રિસમસની એક અંધારી કાળી રાતે બે અજાણ્યા વ્યક્તિઓની મુલાકાત થાય છે. મારિયા (કેટરિના કૈફ) અને આલ્બર્ટ (વિજય સેતુપતિ) એકબીજાને મળે છે. ક્રિસમસ પર આખું શહેર ઝગમગી રહ્યું છે. આ એ વખતનું મુંબઈ છે જ્યારે તે બોમ્બેના નામે જાણીતું હતું.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store