Vol. 4 / No. 373 About   |   Contact   |   Advertise March 01, 2024


 
 
યુકે રેસિસ્ટ નથી તેનો હું ‘જીવંત પુરાવો’ છુંઃ ઋષિ સુનક

યુકેમાં ઇસ્લામોફોબિયાના વિવાદનો ઉકેલ લાવવાના પ્રયાસરૂપે વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું હતું કે, આ દેશ રેસિસ્ટ નથી તેનો પોતે “જીવંત પુરાવો” છે. વડાપ્રધાને ચેતવણી આપી હતી કે ભૂતપૂર્વ ડેપ્યુટી ટોરી ચેરમેન, લી એન્ડરસન સામે મુસ્લિમ વિરોધી નફરત ફેલાવવાનો આરોપ મુકાયા પછી તમામ રાજકીય નેતાઓએ “સતર્ક” રહેવાની અને લોકોમાં “બિનજરૂરી તણાવ ન ફેલાય” તેનું ધ્યાન રાખવાની ફરજ છે.

Read More...
પ.પૂ. પ્રમુખસ્વામીનો સંવાદિતાનો સંદેશ લઈને ઓડિસીયસ IM-1 મૂન લેન્ડરનું ચંદ્ર પર ઐતિહાસિક ઊતરાણ…

અમેરિકાની પ્રખ્યાત અવકાશ એજન્સી નાસા અને સ્પેસએક્સના સહયોગમાં ગુરુવાર, 22 ફેબ્રુઆરીએ IM-1 મિશનના કમર્શિયલ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું.

Read More...
યુકેમાં 25 ટકા વિદેશી કેર વર્કર્સ વિઝા નિયમોનો દુરુપયોગ કરે છે

યુકેના ચીફ ઇન્સ્પેક્ટર ઓફ બોર્ડર્સ એન્ડ ઇમિગ્રેશનની તપાસમાં જણાયું હતું કે, અહીં કાર્યરત ચોથાભાગના વિદેશી કેર વર્કર્સે દેશના અન્ય ઉદ્યોગોમાં ગેરકાયદે કામ કરીને વિઝાના નિયમોનો દુરુપયોગ કર્યો હતો.

Read More...
પોસ્ટ ઓફિસ કૌભાંડોના પીડિતોને ઝડપથી વળતર ચૂકવાશે

યુકે સરકારે પોસ્ટ ઓફિસ કૌભાંડના પીડિતોને ઝડપથી વળતર ચૂકવવા તાજેતરમાં નવા નિયમો જાહેર કર્યા હતા.

Read More...
વંશિય લઘુમતીઓના વિસ્તારમાં કાર ઇન્સ્યોરન્સ 33% મોંઘો, ભેદભાવનો આરોપ

ઈંગ્લેન્ડના વંશીય લઘુમતીની વસ્તી ધરાવતા કેટલાક વિસ્તારોમાં કાર ઈન્સ્યોરન્સના સરેરાશ ભાવ 33 ટકા વધુ હોવાનું બીબીસીના એક અહેવાલમાં જણાવાયું હતું.

Read More...
ડિંગુચાકાંડનો મહત્ત્વનો આરોપ હર્ષ પટેલ અમેરિકામાં ઝડપાયો

અમેરિકાના સત્તાવાળાએ ગુજરાતના ડીંગુચા માનવ તસ્કરી કેસના કથિત મુખ્ય આરોપી હર્ષકુમાર પટેલ ઉર્ફે “ડર્ટી હેરી”ની શિકાગો એરપોર્ટથી પરથી ધરપકડ કરી હતી.

Read More...
હાઈકોર્ટનો ચુકાદો; જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે

અલ્હાબાદ હાઈકોર્ટે સોમવાર, 26 ફેબ્રુઆરીએ જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં હિન્દુ પૂજાની મંજૂરી આપવાના વારાણસી જિલ્લા અદાલતના નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દીધી હતી.

Read More...
ઓખા-બેટ દ્વારકા ટાપુને જોડતા ‘સુદર્શન સેતુ’નું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 25 જાન્યુઆરીના ​​ગુજરાતના દ્વારકામાં ભારતના સૌથી લાંબા કેબલ પરના બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું.

Read More...
ગુજરાતની પ્રથમ એઇમ્સનું રાજકોટમાં લોકાર્પણ

વડાપ્રધાન રવિવારે રાજકોટમાં ગુજરાતની પ્રથમ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું ઉદ્ઘાટન કર્યુ હતું.

Read More...
અમૂલને વિશ્વની સૌથી મોટી ડેરી કંપની બનાવવાનો મોદીનો ટાર્ગેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમદાવાદમાં મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ની ગોલ્ડન જ્યુબિલી ઉજવણીમાં ભાગ લીધો હતો અનેક ડેરી પ્રોડક્ટ ફેક્ટરીઓનું ઉદ્ઘાટન કર્યું હતું.

Read More...

  Sports
ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં ભારતનો પાંચ વિકેટે વિજય

ભારતે ઘર આંગણે ટેસ્ટ સીરીઝમાં અજેય રહેવાનો રેકોર્ડ અકબંધ રાખતાં સોમવારે રાંચીમાં ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવી પાંચ ટેસ્ટ મેચની આ સીરીઝમાં 3-1 સાથે વિજય હાંસલ કર્યો હતો.

Read More...
આઈપીએલ આ વર્ષે પણ બે તબક્કામાં રમાવાના સંકેત, 22 માર્ચથી આરંભ

ભારતીય ક્રિકેટ બોર્ડે તેની ખૂબજ લોકપ્રિય બની ચૂકેલી ઈન્ડિયન પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો આંશિક કાર્યક્રમ ગયા સપ્તાહે ગુરૂવારે જાહેર કર્યો હતો.

Read More...
સિંગાપોરના ભારતીય સમુદાયના આઠ વર્ષના ચેસ ખેલાડીએ પોલેન્ડના ગ્રાન્ડમાસ્ટરને હરાવી રેકોર્ડ સર્જ્યો

સ્વિત્ઝરલેન્ડમાં ગયા સપ્તાહે એક ચેસ ટુર્નામેન્ટમાં સિંગાપોરના ભારતીય સમુદાયના આઠ વર્ષના આઠ વર્ષના એક બાળ ખેલાડીએ પોલેન્ડના 37 વર્ષના હરીફ, ગ્રાન્ડ માસ્ટરને હરાવી રેકોર્ડ સર્જ્યો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
રેપ કેસમાં કેડિલા ફાર્માના CMD રાજીવ મોદીને પોલીસની ક્લીન ચિટ

રેપના આરોપમાં અમદાવાદની પોલીસે બુધવારે કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ મોદીને ક્લીનચિટ આપી હતી. 2022માં તેમની કંપનીમાં ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે જોડાનાર એક બલ્ગેરિયન યુવતીએ તેમના પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો. લગભગ પાંચ કલાક સુધી રાજીવ મોદીની પૂછપરછના છ દિવસ પછી સોલા હાઈકોર્ટના પોલીસ ઈન્સ્પેક્ટર આર એચ સોલંકીએ બુધવારે નવરંગપુરાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ‘એક સમરી’ રિપોર્ટ દાખલ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે મોદી અને અન્ય આરોપી, તેમના કર્મચારી, જોન્સન મેથ્યુ વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.

Read More...
મુકેશ અંબાણી CHATGPTને ટક્કર આપવા ‘હનુમાન’ લોન્ચ કરશે

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં સર્વોપરિતા માટેની વૈશ્વિક રેસ ‘હનૂમાન’ના આગમન પછી વધુ તીવ્ર બનશે. ભારતના બિલિયોનેર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ દ્વારા સમર્થિત એઆઇ ટુલ હનુમાન માર્ચમાં લોન્ચિંગ માટે તૈયાર છે. હનુમાન એક ChatGPT જેવું જ AI ચેટબોટ હોવાનું કહેવાય છે અને તેને BharatGPT લોન્ચ કરશે. અહેવાલો મુજબ હનુમાનને ભારતજીપીટીએ વિકસાવ્યું છે. આ કન્સોર્ટિયમમાં રિલાયન્સ અને ભારતના આઠ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે.

Read More...
અમદાવાદના રૂચિર દવે એપલના ઓડિયો ડિવિઝનના નવા બોસ!

એરપોડ્સ અને મેક્સ જેવી જાણીતી પ્રોડક્સ્ટની ઑડિઓ સુવિધાઓની દેખરેખ રાખતી હાર્ડવેર ટીમમાં અગ્રણી ટેકનોલોજી કંપની એપલે મોટા ફેરફાર કર્યા છે. એપલના અકુસ્ટિક્સ ડિવિઝનના વડા ગેરી ગ્રીવ્સ રાજીનામું આપી રહ્યાં છે અને કંપનીએ તેમની જગ્યાએ રૂચિર દવેની નિમણુક કરી હોવાનો બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો હતો. રૂચિર દવે એકુસ્ટિક્સ ડિવિઝનના વાઇસ પ્રેસિડેન્ટનું પદ સંભાળવા જઈ રહ્યા છે. જોકે આ અંગે કંપનીએ હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. બ્લૂમબર્ગનો અહેવાલ મુજબ આ હિલચાલથી વાકેફ લોકોએ દવેની નવી ભૂમિકા અંગે માહિતી આપી છે. એપલની હાર્ડવેર ટીમમાં લગભગ 300 કર્મચારીઓ છે અને કંપનીના હોમપેડ,એરપોડ્સ અને સ્પીકર્સ બિઝનેસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તે સાઉન્ડ અને માઇક્રોફોન ટેક્નોલોજીઓમાં પ્રગતિની પણ દેખરેખ રાખે છે.

Read More...
  Entertainment

વિખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન

‘ચિઠ્ઠી આયે હૈ’ અને ‘ઔર આહિસ્તા કિજીયે બાતેં’ માટે પ્રખ્યાત બનેલા ગઝલ ગાયક પંકજ ઉધાસનું લાંબી માંદગી પછી સોમવાર, 26 ફેબ્રુઆરીએ મુંબઈમાં અવસાન થયું હતું. તેઓ 72 વર્ષના હતાં. ઉધાસે સાથી સંગીતકારો જગજીત સિંહ અને તલત અઝીઝ સાથે મળીને સમગ્ર ભારતમાં ગઝલ સંગીતને લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની પુત્રી નાયાબે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે ખૂબ જ ભારે હૃદય સાથે તમને જણાવીએ છીએ કે 26મી ફેબ્રુઆરી 2024ના રોજ લાંબી માંદગીને કારણે પદ્મશ્રી પંકજ ઉધાસનું દુઃખદ અવસાન થયું હતું. પંકજ ઉધાસે બોલીવુડમાં ઘણા યાદગાર ગીતો અને ગઝલો ગાઈ હતી અને પોતાના સુમધુર અવાજથી દેશ-વિદેશમાં લાખો લોકોને પોતાના ચાહક બનાવ્યા હતાં. 1980માં તેમણે તેમનું પ્રથમ ગઝલ આલ્બમ, “આહત” બહાર પાડ્યું હતું, જે એક સફળ કારકિર્દીની શરૂઆતનો સંકેત હતું.

Read More...

દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડઃ શાહરૂખ શ્રેષ્ઠ અભિનેતા

બોલીવૂડમાં ફિલ્મફેર એવોર્ડ અને દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડની સૌથી પ્રતિષ્ઠિત સન્માન માનવામાં આવે છે. દર નવા વર્ષની શરૂઆતમાં બોલીવૂડ અને ટીવી જગતના સ્ટાર્સ આ એવોર્ડ સમારોહની આતુરતાથી રાહ જુએ છે. 2024નો દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ વિતરણ સમારંભ તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયો હતો. જેમાં બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનને સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. શાહરૂખને ફિલ્મ જવાન માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Read More...

બોલીવૂડમાં આ વર્ષે વધુ કિલકારીઓ ગુંજશે

ઘણા સમયથી બોલીવૂડમાં જેની અટકળો હતી તે અનુષ્કા શર્માએ તાજેતરમાં પુત્ર અકાયને જન્મ આપ્યો હતો. ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માના બીજા સંતાન અંગે સોશિયલ મીડિયામાં ઘણા સમયથી ચર્ચાઓ થતી હતી, પરંતુ તે બંને આ અંગે છેલ્લે સુધી મૌન રહ્યા હતા. તેમણે પુત્રના જન્મના છ દિવસ પછી તે અંગે જાહેરાત કરી હતી. આ વર્ષે બોલીવૂડમાં બીજા બે દંપત્તીઓને ત્યાં પ્રથમ બાળકની કિલકારી ગુંજશે તેવા સમાચાર બહાર આવી રહ્યા છે. અભિનેતા વરુણ ધવન અને નતાશા દલાલ ટૂંક સમયમાં પપ્પા-મમ્મી બનવાના છે. વરુણ ધવને પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ દ્વારા નતાશા પ્રેગનન્ટ હોવાની જાહેરાત કરી છે. વરૂણ ધવને પત્ની નતાશા સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે નતાશાના બેબી બમ્પને કિસ કરતો નજરે પડે છે. વરૂણે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે,

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store