Vol. 3 No. 320 About   |   Contact   |   Advertise January 25, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
પીએમ મોદી પર હુમલો કરતી બીબીસી સીરીઝ સામે યુકેભરમાં ઉગ્ર આક્રોશ

2023ને રવિવારે બપોરે 12 કલાકે બીબીસી, બ્રોડકાસ્ટીંગ હાઉસ, પોર્ટલેન્ડ પ્લેસ, લંડન W1A 1AA ખાતે કરવામાં આવ્યું છે. જેમાં લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત થવા સોસ્યલ મીડીયા દ્વારા આહ્વાન કરાયું છે. હિંદુ સમુદાય પરના નફરતભર્યા હુમલાઓ અને હિંદુ વિરોધી પ્રચાર અંગે તપાસ કરવા માટે સંસદીય સમિતિની રચના કરવાની માંગ સાથે કૃષ્ણ જગલાન દ્વારા યુકે પાર્લામેન્ટની વેબસાઇટ પર ક પીટીશન જાહેર કરવામાં વી છે. જેમાં મંગળવારે બપોરના 12-15 સુઘીમાં 7,592 લોકો સહી કરી ચૂક્યા છે. બીબીસી સામે વિરોધ વ્યક્ત કરવા અને બીબીસીની મોદી સામેની ડોક્યુમેન્ટ્રી અંગે સ્વતંત્ર તપાસ નિમવાની માંગણી સાથે ચેન્જ ઓર્ગ પર એશ પરમારે એક પીટીશન શરૂ કરી છે.

Read More...
કિંગ ચાર્લ્સ IIIના ભવ્ય રાજ્યાભિષેક સમારોહની વિગતોની જાહેરાત કરાઇ

આગામી 6 મેના રોજ લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે 74 વર્ષીય કિંગ ચાર્લ્સ III માટે ધામધૂમથી ત્રણ દિવસીય ભવ્ય રાજ્યાભિષેક સમારોહની વધુ વિગતો બકિંગહામ પેલેસે રવિવારે જાહેર કરી હતી.

Read More...
ઋષિ સુનકે નદીમ ઝહાવી ટેક્સ વિવાદ માટે તપાસનો આદેશ આપ્યો

ટોરી પાર્ટીના ચેરમેન અને પૂર્વ ચાન્સેલર નદિમ ઝહાવીએ ચાન્સેલર હતા ત્યારે મલ્ટી-મિલિયન પાઉન્ડના કર વિવાદના ભાગરૂપે અગાઉના અવેતન કર પર HMRCને દંડ ચૂકવ્યો હોવાના અહેવાલો બાદ વડા પ્રધાન

Read More...
કેલિફોર્નિયામાં ચીની નવા વર્ષની પાર્ટીમાં થયેલા ફાયરિંગમાં 10ના મોત

કેલિફોર્નિયાના મોન્ટેરે પાર્ક શહેરની ડાન્સ ક્લબમાં શનિવાર રાત્રે સ્થાનિક સમુદાયના લોકો ચીની નવા વર્ષની ઉજવણી કરી રહ્યાં ત્યારે બંદૂકધારીએ કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં 10 લોકોના મોત થયા હતા અને 10 ઘાયલ થયા હતા.

Read More...
અમેરિકામાં મોટાપાયે છટણીથી હજારો ભારતીય આઇટી પ્રોફેશનલ્સ કફોડી હાલતમાં

ગૂગલ, માઈક્રોસોફ્ટ અને એમેઝોન જેવી કંપનીઓમાં તાજેતર થયેલી મોટા પાયે છટણીને કારણે અમેરિકામાં હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ તેમની નોકરી ગુમાવી ચૂક્યા છે. હવે તેઓ અમેરિકામાં નોકરી ગયા પછી

Read More...
ભારતમાં વિઝા વેઇટિંગ ટાઇમ ઘટાડવા સ્ટાફમાં વધારા સહિતના અમેરિકાના પગલાં

ભારતમાં લાંબા વિઝા વેઇટિંગ ટાઇમને દૂર કરવા માટે અમેરિકા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે. તે ભારતમાં કોન્સ્યુલર ઓફિસર્સની એક કેડર મોકલી રહ્યું છે તથા ભારતીય વિઝા અરજદારો માટે જર્મની અને થાઇલેન્ડ

Read More...
સ્વીડનમાં પવિત્ર કુરાન સળગાવવાથી મુસ્લિમ દેશોમાં રોષ

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં જમણેરી રાજકીય નેતા રાસ્મસ પાલુડાને તુર્કીના દુતાવાસ સામે શનિવારે મુસ્લિમના પવિત્ર ધર્મગ્રંથ કુરાનને આગ ચાંપતા ઘણા મુસ્લિમ દેશોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

Read More...
બાઇડનના નિવાસસ્થાને 13 કલાક સુધી FBIની સર્ચ કાર્યવાહી, વધુ ગુપ્ત દસ્તાવેજો મળ્યા

તપાસ એજન્સી એફબીઆઇએ અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનના વિલ્મિંગ્ટન ખાતેના નિવાસસ્થાને 13 કલાક સુધી સર્ચ કાર્યવાહી હાથ ધરી હતી અને વધારાના ગુપ્ત દસ્તાવેજો શોધી કાઢ્યા હતા.

Read More...
એટલાન્ટામાં લૂંટના ઇરાદે પટેલ પરિવાર પર ફાયરિંગ, એકનું મોત, બે ઘાયલ

અમેરિકાના એટલાન્ટા શહેરમાં રહેતા આણંદ જિલ્લાના કરમસદના એક વ્યક્તિની કથિત અશ્વેત લૂંટારાએ ગોળી મારીને શનિવારે હત્યા કરી હતી. યુવક પોતાના પરિવાર સાથે ઘરે પરત આવ્યા ત્યારે લૂંટારાઓએ

Read More...
પાવાગઢના વિકાસ માટે રૂ. ૧૮૩ કરોડના વિવિધ પ્રોજેક્ટસ હાથ ધરાશે

એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પાવાગઢ તીર્થક્ષેત્રમાં યાત્રી સુવિધા અને પ્રવાસન વિકાસ સહિતની નવનિર્માણ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં હાથ ધરી હતી.

Read More...
ખોડલધામ ખાતે સાતમો પાટોત્સવ ઉજવાયો

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડસ્થિત ખોડલધામ મંદિર ખાતે શનિવારે સાતમા પાટોત્સવ ઉજવાયો હતો, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.

Read More...
વિશિષ્ટ જીવસૃષ્ટિના સંરક્ષણ માટે ગુજરાતમાં ૪ વેટલેન્ડને ‘રામસર સાઈટ’નો દરજ્જો

વિશિષ્ટ જીવસૃષ્ટિના સંરક્ષણ માટે ગુજરાતમાં ૪ વેટલેન્ડને ‘રામસર સાઈટ’નો દરજ્જો રામસર નામ સાંભળીએ એટલે એવું લાગે કે, કોઇ ગામડાં અથવા શહેરનું નામ હશે. વળી, તેમાં ‘સાઇટ’ એવો શબ્દ ઉમેરાય એટલે એવું માનવાને કારણ મળે કે

Read More...

  Sports
ભારતનો ઘરઆંગણે સતત 7 વન-ડે સિરીઝ જીતવાનો રેકોર્ડ

ભારતની ક્રિકેટ ટીમે શ્રીલંકાનો વન-ડે શ્રેણીમાં 3-0થી વ્હાઈટવોશ કર્યો પછી ન્યૂઝિલેન્ડ સામેની વન-ડે સિરિઝ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. ભારતે ન્યૂઝીલેન્ડ સામે શનિવારે રાયપુરમાં

Read More...
ન્યુઝીલેન્ડ સામે પરાજય સાથે ભારત હોકી વર્લ્ડકપમાંથી બહાર ફેંકાયું

હોકી વર્લ્ડકપ 2023માં રવિવાર, 21 જાન્યુઆરીએ ભૂવનેશ્વરમાં રમાયેલી પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે પરાજય સાથે ભારત આ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. ભારતે વર્ષ 1975માં

Read More...
ICC સાથે રૂ. 25 લાખ ડોલરની ઓનલાઇન છેતરપિંડી

વિશ્વભરમાં સાઇબર ક્રાઇમના અનેક કિસ્સા નોંધાય છે. હવે વૈશ્વિક સ્તરે ક્રિકેટ ક્ષેત્રની સૌથી મોટી અને મહત્ત્વની એવી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) પણ તેનો ભોગ બની છે.

Read More...
ક્રિકેટર કે એલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટી લગ્નબંધનમાં બંધાયા

ક્રિકેટર કે એલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી સોમવાર, 23 જાન્યુઆરીએ લગ્ન બંધનમાં બંધાઈ ગયા હતા. બંનેના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલામાં આવેલા બંગલામાં ધામધૂમથી થયા હતા.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
જાન્યુઆરીના પ્રથમ ભાગમાં 24,000 ટેક કર્મચારીઓની છટણી

તાજેતરના ડેટામાં બહાર આવ્યું છે કે ભારત સહિત વૈશ્વિક સ્તરે ટેક કંપનીઓ દ્વારા 2023માં અત્યાર સુધી દરરોજ 1,600થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. વૈશ્વિક નરમાઇ અને મંદીના ભય વચ્ચે આ સામૂહિક છટણીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરીના પ્રથમ 15 દિવસમાં આશરે 91 કંપનીઓએ 24,000 થી વધુ ટેક કર્મચારીઓની છટણી કરી છે, જે આવનારા ખરાબ દિવસોનો સંકેત આપે છે. Layoffs.fyi ના ડેટા મુજબ, 2022માં 1,000થી વધુ કંપનીઓએ 1.5 લાખથી વધુ કર્મચારીઓની છટણી કરી હતી. મેટા, એમેઝોન, ટ્વિટર, બેટર ડોટ કોમ, અલીબાબા સહિતની ટેક સેક્ટરની કેટલીક મોટી કંપનીઓએ કર્મચારીઓની છટણી કરી છે. ભારતીય કંપનીઓ આ ટ્રેન્ડથી અછૂત નથી. મેટા, એમેઝોન, ટ્વિટર, બેટર ડોટ કોમ, અલીબાબા સહિતની ટેક સેક્ટરની કેટલીક મોટી કંપનીઓએ કર્મચારીઓની છટણી કરી છે. ભારતીય કંપનીઓ આ ઘટના માટે અજાણી નથી.

Read More...
ગૂગલ 12,000 કર્મચારીઓની છટણી કરશે

ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇન્ક 12,000 કર્મચારીઓની છટણી કરશે, એમ તેના ચીફ એક્ઝિક્યુટિવે સ્ટાફ મેમોમાં જણાવ્યું હતું. ટેકનોલોજી ક્ષેત્રોમાં મોટાપાયે છટણી ચાલી રહી છે ત્યારે આ વધુ ખરાબ ન્યૂઝ આવ્યા હતા. અગાઉ માઇક્રોસોફ્ટે 10,000 વર્કર્સને છટણી કરવાની જાહેરાત કરી હતી. ગૂગલે વિશ્વભરમાં તેના કુલ સ્ટાફમાંથી લગભગ 6 ટકાની હકાલપટ્ટી કરવાની યોજના બનાવી છે. તેમાં અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં કામ કરતા સ્ટાફનો સમાવેશ થશે.આલ્ફાબેટ આ છુટ્ટા કરાયેલા કર્મચારીઓને અમેરિકામાં 16 અઠવાડિયાનું પગારભથ્થુ અને છ મહિનાના આરોગ્ય લાભો ચૂકવશે અને અન્ય જગ્યાએ ત્યાંના કાયદા અને નિયમો આધારિત ચૂકવણી થશે. એચઆર કન્સલ્ટિંગ ફર્મ ચેલેન્જર, ગ્રે એન્ડ ક્રિસમસ ઇન્ક. અનુસાર 2022માં સૌથી વધુ નોકરીમાં કાપ ટેક સેક્ટરમાં જ જોવા મળ્યો હતો. ગત વર્ષે 97,171 છંટણી થઈ હતી, જે અગાઉના વર્ષની સરખામણીમાં 649% વધારે છે.

Read More...
ભારતમાં આ વર્ષે એશિયામાં સૌથી ઊંચી વેતન વૃદ્ધિ થશે

ભારતના કર્મચારીઓને ચાલુ વર્ષે એશિયામાં સૌથી વધુ વેતનવધારો મળવાનો અંદાજ છે. આ વર્ષે ટોચની પ્રતિભાઓને 15%થી 30% જેટલો મોટો વેતન વધારો મળી શકે છે. દેશમાં 2023માં સરેરાશ ધોરણે વેતનવધારો 9.8 ટકા રહેશે. ગયા વર્ષે વેતનમાં 9.4 ટકા વધારો થયો હતો, એમ કન્સલ્ટન્સી કંપની કોર્ન ફેરીના એક સર્વેમાં જણાવાયું છે. ભારતમાં વેતનમાં સરેરાશ 9.8 ટકાનો વધારો થશે. આની સામે ઓસ્ટ્રેલિયામાં 3.5%, ચીનમાં 5.5%, હોંગકોંગમાં 3.6%, ઈન્ડોનેશિયામાં 7%, કોરિયા 4.5%, મલેશિયામાં 5%, ન્યુઝીલેન્ડમા 3.8%, ફિલિપાઈન્સમાં 5.5%સિંગાપોરમાં 4 ટકા, થાઇલેન્ડમાં 5 ટકા અને વિયેતનામાં 8 ટકાનો વેતન વધારો થશે.

Read More...
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પરંપરાગત વિધિ સાથે સગાઈ

બિલિયોનેર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિક મર્ચન્ટની મુંબઈમાં અંબાણી નિવાસસ્થાને ગુરુવારે પરંપરાગત વિધિથી સગાઈ કરવામાં આવી હતી. અનંત તથા રાધિકાએ પરિવાર અને મિત્રોની હાજરીમાં એકબીજાને રિંગ્સ પહેરાવી અને સપ્તપદીના આગામી બંધન માટે પરિવારના આશીર્વાદ માગ્યા હતા. ગોળ ધાણા અને ચુંદડી વિધિ કરવાની સાથે અનંત અને રાધિકાના પરિવારો વચ્ચે આશીર્વાદ અને ભેટોની આપ-લે થઈ હતી. બંને પરિવારોએ એકબીજાને ભેટો અને શુભેચ્છાઓની આપ-લે સાથે અનહદ આનંદ પણ વહેંચ્યો હતો. અનંતના માતા નીતા અંબાણીની આગેવાનીમાં અંબાણી પરિવારના સભ્યો દ્વારા સૌને આશ્ચર્યચકિત કરતું એક પર્ફોર્મન્સ પણ આયોજિત કરવામાં આવ્યું હતું.

Read More...
  Entertainment

ઐશ્વર્યાને મળી મહેસૂલ ફી ભરવાની નોટિસ

ઐશ્વર્યા રાય બચ્ચને નાસિકમાં પવન ચક્કી પ્રોજેક્ટ માટે જમીન ખરીદ્યા પછી તેની મહેસૂલની ફી નહીં ભરવા બદલ જિલ્લા મહેસૂલી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ઐશ્વર્યા રાય બચ્ચનને નાસિકના મામલતદાર તરફથી નોટિસ આપવામાં આવી છે. નાસિકના સિન્નરના અડવાડી એરિયામાં ઐશ્વર્યા રાયે પવન ચક્કી માટે જમીન ખરીદી છે. આ જમીનનો એક વર્ષની મહેસૂલ પેટે રૂ. 21,960 ભરવાના બાકી છે. કહેવાય છે કે, ઐશ્વર્યાની સાથેસાથે અન્ય 1200 જમીનધારકોને પણ મહેસૂલ ભરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. માર્ચ મહિનામાં એકાઉન્ટ ક્લોઝિંગ થતું હોવાથી માર્ચ મહિનાના અંત સુધીમાં મહેસૂલ ભરવાની સૂચના આપવામાં આવી છે. જોકે, ઐશ્વર્યા રાય તરફથી આ નોટિસ બાબતે કોઈ પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. ઐશ્વર્યાએ તેની એક્ટિંગ તથા એન્ડોર્સમેન્ટની આવકમાંથી અનેક કંપનીઓ તથા કમર્શિઅલ પ્રોજેક્ટસમાં રોકાણ કર્યું હોવાનું માનવામાં આવે છે.

Read More...

તેજાબની સિક્વલમાં રણવીર સિંહ અને જાહ્નવીના નામની ચર્ચા

બોલીવૂડના પીઢ કલાકારો અનિલ કપૂર અને વિશેષમાં તો માધુરી દીક્ષિતની કારકિર્દીની સીમાચિહ્નરૂપ ફિલ્મ ‘તેજાબ’ની સિક્વલ બની રહી છે. તેમાં અનિલના રોલમાં રણવીર અને માધુરીની ભૂમિકા માટે જાહ્નવી કપૂરનો સંપર્ક કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. આ સિક્વલનું આયોજન શરૂ થયું ત્યારે કાર્તિક આર્યન અને શ્રદ્ધા કપૂરની જોડી નક્કી થઈ હતી. જોકે, હવે કાસ્ટિંગમાં બહુ મોટા પાયે ફેરફારો થયા છે. ફિલ્મના બાકીના કલાકારો અંગે પણ હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. 1988માં રીલીઝ થયેલી તેજાબને લીધે અનિલ કપૂર અને માધુરની સુપરહિટ જોડી સ્થાપિત થઈ હતી. તે પછી બંનેએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. તેજાબનાં એક દો તીન ચાર પાંચ છે….ગીતથી માધુરી રાતોરાત હિટ થઇ ગઇ હતી.

Read More...

હવે સલમાન-આમિરની કોમેડી ફિલ્મની સિક્વલ બનશે

બોલીવૂડના પીઢ અભિનેતાઓ આમિર ખાન અને સલમાન ખાનની કોમેડી ફિલ્મ અંદાઝ અપના અપનાની સિક્વલ બનવી તેવી ચર્ચા ફિલ્મ રસીકો લાંબા સમયથી કરે છે. આ ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર સંતોષીએ અગાઉ આ બાબતે કંઇ વિચાર્યું નહોતું. જોકે, તેઓ હવે આ ફિલ્મની સિક્વલ કહી શકાય તેવી ફિલ્મ અદા અપની અપની… બનાવવાની તૈયારી કરી રહ્યા છે. દર્શકોને અંદાજ અપના અપના….કેટલાક રસપ્રદ દૃશ્યો અને કોમેડી હજુ પણ યાદ છે રાજકુમાર સંતોષીએ ઘાયલ, દામિની જેવી ફિલ્મોનું સફળતાપૂર્વક નિર્માણ કર્યું છે. તેમણે જણાયું હતું કે, સિક્વલ કે રીમેક બનાવવાની ઈચ્છા હોત તો ફિર ઘાયલ, ઘાયલ એક બાર ઔર, દામિની ફિર ચમકેગી જેવા ટાઈટલ ઘણાં સમય પહેલાં બની ચૂક્યા હતા.

Read More...

ફિલ્મો અંગે મોદીના સૂચનથી ફરક નહીં પડે, ટોળું નિયંત્રણ બહાર છેઃ અનુરાગ કશ્યપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ટીકાકાર ગણાતા ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ગુરુવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તેમના પક્ષના કાર્યકરોને ફિલ્મો અંગે બિનજરૂરી ટિપ્પણી કરવાનું બંધ કરવાની સલાહ મોડી આવી છે, કારણ કે ટોળું હવે નિયંત્રણની બહાર છે. જોકે આ ફિલ્મના નિર્માતા શારિક પટેલે મોદીની સલાહનું સ્વાગત કર્યું હતું અને પોતે અનુરાગના વિચાર સાથે સંમત ન હોવાનું જણાવ્યું હતું અને આશા વ્યક્ત કરી હતી અનુરાગ ખોટા સાબિત થશે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store