Vol. 1 No. 43 About   |   Contact   |   Advertise December 21, 2023


 
 
સુરતમાં વિશ્વ કક્ષાના ડાયમંડ બુર્સનું મોદીના હસ્તે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વિશ્વની સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ ગણાતા ‘સુરત ડાયમંડ બોર્સ’નું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાને સુરત એરપોર્ટના નવા અપગ્રેડેડ ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. સુરતમાં ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે બનશે. બુર્સની સ્થાપના પાછળનો પ્રાથમિક ઉદ્દેશ્ય ભારતમાંથી હીરા, રત્નો અને જ્વેલરીની આયાત, નિકાસ અને વેપારને સરળ બનાવવાનો છે. સુરત ડાયમંડ બુર્સ (SDB) બિલ્ડીંગ, 67 લાખ ચોરસ ફૂટ ફ્લોર એરિયા સાથે વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ છે. તે સુરત શહેર નજીકના ખાજોદ ગામમાં આવેલું છે. સુરત ડાયમંડ બુર્સ ₹3400 કરોડના ખર્ચે 35.54 એકર જમીન પર બાંધવામાં આવ્યું છે. તે રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું વૈશ્વિક કેન્દ્ર બનવાની તૈયારીમાં છે.

Read More...
બાઇડેન સામે મહાભિયોગ અંગેના ઠરાવને કોંગ્રેસની મંજુરી

અમેરિકાની કોંગ્રેસમાં ગત સપ્તાહે પ્રમુખ જો બાઇડેન સામે મહાભિયોગ (ઇમ્પીચમેન્ટ)ની તપાસની કાર્યવાહી કરવા અંગેના એક ઠરાવને 221 વિરૂદ્ધ 212 મત પડ્યા હતા. બાઇડેન અને તેમના પુત્ર સામે આંતરરાષ્ટ્રીય વ્યવહારો અંગે મહાભિયોગની તપાસને ઔપચારિક બનાવવાના ઠરાવને મંજૂરી

Read More...
અમેરિકન વિઝા ફીનો તોતિંગ વધારો પાછો ઠેલાયો

અમેરિકાના બાઇડન સરકારે તાજેતરમાં બહાર પાડેલો એજન્ડા દર્શાવે છે કે H-1B કેપ વિઝા સહિત વિવિધ પ્રકારના યુએસ વિઝા અરજીઓની ફી વધારવા માટેના સૂચિત ‘અંતિમ’ નિયમો એપ્રિલ 2024 સુધી મુલતવી રાખવામાં આવ્યાં છે.

Read More...
ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ભારતને ‘ખાસ ચિંતાનો દેશ’ જાહેર કરવા US કમિશનની ભલામણ

આંતરારાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગેના યુએસ કમિશન (USCIRF)ને અમેરિકાના ધાર્મિક સ્વતંત્રતા ધારા હેઠળ ભારતને “વિશેષ ચિંતાનો દેશ” નિયુક્ત કરવાની ભલામણ કરતાં જણાવ્યું છે કે વિદેશમાં સામાજિક કાર્યકરો,

Read More...
યુકેની ગ્રેજ્યુએટ રૂટ વિઝાની સમીક્ષાથી ભારતીય વિદ્યાર્થીઓને અસર થશે

યુકે સરકાર દ્વારા ગ્રેજ્યુએટ રૂટ વિઝાની સમીક્ષા કરવાનો નિર્ણય લેવાયો છે. આ વિઝાથી વિદેશી વિદ્યાર્થીઓને યુકેમાં અભ્યાસ પછી બે વર્ષ કામ કરવાના વિકલ્પની મંજૂરી મળે છે.

Read More...
અયોઘ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા અંગે અમેરિકન હિન્દુઓમાં પ્રચંડ ઉત્સાહ

અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ ભવ્ય રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠામહોત્સવ યોજાવાનો છે. વિશ્વભરના હિન્દુઓમાં આ બાબતે ભારે ઉત્સાહ છે. આમાં અમેરિકામાં વસતા હિન્દુ સમુદાયના લોકો પણ બાકાત નથી.

Read More...
પન્નુનની હત્યાના કાવતરાના આક્ષેપની અસર ભારત-અમેરિકા વચ્ચેના સંબંધો પર પડી શકે

ખાલિસ્તાની ત્રાસવાદી ગુરૂપતવંતસિંહ પન્નુનની અમેરિકામાં હત્યા કરવાના કથિત કાવતરાંમાં ભારતીય અધિકારીઓ સંડોવાયેલા હોવા અંગેના અમેરિકાના સત્તાવાળાઓ આક્ષેપના કારણે બંને દેશો વચ્ચે ગંભીર રાજદ્વારીય પરિસ્થિતિ સર્જાઇ શકે

Read More...
સંસદની સુરક્ષામાં મોટી ચૂક, વિઝિટર્સ ગેલેરીમાંથી કૂદી બે વ્યક્તિએ ધમાલ મચાવી

​​નવી દિલ્હીમાં સંસદની સુરક્ષામાં બુધવાર, 13 ડિસેમ્બરે મોટી ચૂક થઈ હતી. સંસદની કાર્યવાહી ચાલતી હતી ત્યારે બે વ્યક્તિઓ વિઝિટર્સ ગેલરીમાંથી કુદ્યા હતાં અને લોકસભા ચેમ્બરમાં દોડ્યાં હતા. તેમના પાસે પીળો ધૂમાડો છોડતા કેનિસ્ટર્સ હતાં.

Read More...
ગુજરાતમાં AAPને ફટકો, ધારાસભ્ય ભૂપત ભાયાણીનું રાજીનામું

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બુધવારે ફટકો પડ્યો હતો. પાર્ટીના ધારાસભ્ય ભૂપેત ભાયાણીએ બુધવારે રાજ્યની વિધાનસભાના સભ્ય અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી.

Read More...
ગુજરાતમાં વિઝા એજન્ટોની 17 ઓફિસો પર પોલીસના દરોડા

વિઝા મેળવવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ થતો હોવાની ફરિયાદો પર કાર્યવાહી કરીને, ગુજરાત પોલીસે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 17 ઇમિગ્રેશન કન્સલ્ટન્સી ફર્મ પર દરોડા પાડ્યા હતા થતા પાસપોર્ટ અને કમ્પ્યુટર હાર્ડવેર જપ્ત કર્યા હતા,

Read More...

  Sports
ત્રીજી ટી-20માં ભારતનો જંગી વિજય, સીરીઝ 1-1થી સરભર

ગયા સપ્તાહે ગુરૂવારે (14 ડીસેમ્બર) જોહાનિસ્બર્ગમાં જ રમાયેલી ત્રીજી અને અંતિમ ટી-20માં ભારતે સા. આફ્રિકાને 106 રનથી હરાવી સીરીઝ 1-1થી સરભર કરી દીધી હતી. મારક્રમે ટોસ જીતી ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું અને ટી-20 સીરીઝના સુકાની સૂર્યકુમાર

Read More...
ભારતે પ્રથમ વન-ડેમાં દ.આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું

ભારતીય ક્રિકેટ ટીમનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ સતત ઉતાર-ચડાવભર્યો રહ્યો છે. પહેલી ટી-20 મેચ વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયા પછી બાકીની બે ટી-20 મેચમાં બન્ને ટીમે એક-એક વિજય સાથે સીરીઝ સરભર કરી હતી,

Read More...
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે 347 રને રેકોર્ડ વિજય

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ગયા સપ્તાહે રમાઈ ગયેલી ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં પ્રવાસી ટીમને 347 રનથી હરાવી મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટા તફાવતથી વિજયનો વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો.

Read More...
વિજય અમૃતરાજ, લિએંડર પેસને ટેનિસ હોલ ઓફ ફેમ સન્માન

ભારતના ટેનિસ જગતના ભૂતપૂર્વ નંબર-1 ખેલાડી લિએંડર પેસ અને ભારતીય પ્રસારણકર્તા અને પ્રમોટર વિજય અમૃતરાજને આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમમાં સમાવેશનું સન્માન પ્રાપ્ત થયું છે. ટેનિસ હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવનારા તેઓ પ્રથમ એશિયન પુરૂષ

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
સ્પાઇસજેટનું વિમાન દુબઈમાં જપ્ત કરાયુ, સપ્તાહ પછી કોર્ટે મુક્ત કર્યું

એક નાટકીય ઘટનાક્રમમાં અમદાવાદથી મુસાફરો લઇને દુબઇ ગયેલી સ્પાઇસજેટની ફ્લાઇટ્ને લેન્ડિંગ માટે દુબઈના મુખ્ય એરપોર્ટના બદલે બાજુમાં આવેલા, બહુ ઓછા ઉપયોગમાં લેવાતા અલ મકતુમ એરપોર્ટ ઉપર ડાઇવર્ટ કરાઈ હતી અને 30 નવેમ્બરના રોજ વિમાન દુબઈની કોર્ટના એક આદેશને પગલે જપ્ત કરાયું હતું.

Read More...
જાણીતા ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ સામે દુષ્કર્મની પોલીસ ફરિયાદ

સ્ટીલ માંધાતા અને JSW ગ્રુપના 64 વર્ષીય મેનેજિંગ ડાયરેક્ટર સજ્જન જિંદાલ સામે 30 વર્ષની એક અભિનેત્રીએ બળાત્કારની ફરિયાદ દાખલ કરતા કોર્પોરેટ જગતમાં ચકચાર મચી હતી. બોમ્બે હાઇકોર્ટના આદેશ પછી મુંબઈ પોલીસે 13 ડિસેમ્બરે FIR દાખલ કરી હતી. જોકે સજ્જન જિંદાલે રવિવારે (17 ડિસેમ્બર) તેમના પર લાગેલા બળાત્કારના આરોપોને ફગાવી દીધા હતા.

Read More...
સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 17 ડિસેમ્બરે સુરત એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવાના છે. આ ટર્મિનલ બિલ્ડીંગ પીક અવર્સ દરમિયાન 1,200 ડોમેસ્ટિક મુસાફરો અને 600 આંતરરાષ્ટ્રીય મુસાફરોને હેન્ડલ કરવા માટે સજ્જ છે અને તેમાં પીક અવર્સની ક્ષમતા વધારીને 3000 મુસાફરો કરવા માટેની જોગવાઈઓ છે.

Read More...
સુરતથી દુબઇની ડાયરેક્ટ ફ્લાઇટ ચાલુ થશે

એર ઈન્ડિયા એક્સપ્રેસ 17મી ડિસેમ્બર 2023થી સુરત અને દુબઈ વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ ચાલુ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મીએ સુરત એરપોર્ટના વિસ્તૃત ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે જ એર ઇન્ડિયાએ આ જાહેરાત કરી છે. શહેરના ડાયમંડ બુર્સ યુનિયનની રજૂઆતને પગલે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ સુરત એરપોર્ટ પર

Read More...
ચોઇસ કોઈપણ ભોગે વિન્ધામ કબ્જે કરવા આતુર, હવે એક્સચેન્જ ઓફર કરી

વિન્ધામના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા બે વાર નકારી કાઢવામાં આવ્યા બાદ ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલ વિન્ધામ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ હસ્તગત કરવા માટે તેની બિડ ચાલુ રાખે છે. હવે ચોઇસે “તેની આકર્ષક દરખાસ્ત સીધી વિન્ધામ શેરધારકોને રજૂ કરવા”

Read More...
સુપ્રીમ કોર્ટે ‘ટેસ્ટર દાવો’ કેસ ખાલી કર્યો

અમેરિકન સુપ્રીમ કોર્ટે એક કેસ “મૂટ તરીકે ખાલી કર્યો” છે કે જે હોસ્પિટાલિટી ઉદ્યોગના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે 1990 ના અમેરિકનો વિથ ડિસેબિલિટી એક્ટના કથિત ઉલ્લંઘન માટે હોટેલ્સ સામે “ટેસ્ટર કેસ”

Read More...
નોબલ P&I ની ‘કામ કરવા માટે શ્રેષ્ઠ સ્થાનો’ યાદીમાં ટોચ પર

મીત શાહની આગેવાનીમાં નોબલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ ઇન્વેસ્ટમેન્ટ ન્યૂઝ પોર્ટલ પેન્શન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા “મની મેનેજમેન્ટમાં કામ કરવા માટે 2023 શ્રેષ્ઠ સ્થાનો” પુરસ્કારોમાં ટોચ પર છે. નોબલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પસંદગી પ્રક્રિયામાં કાર્યસ્થળની નીતિઓ,

Read More...
  Entertainment

ગ્લોબલ એશિયન સેલિબ્રિટી લિસ્ટ 2023માં શાહરૂખ ખાન ટોચના સ્થાને

ભારતના ફિલ્મ ઉદ્યોગમાં કિંગ ખાન તરીકે ઓળખાતો બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન બુધવારે યુકેમાં ‘વિશ્વની ટોચની 50 એશિયન સેલિબ્રિટીઝ’ની યાદીમાં મોખરે રહ્યો હતો. શુક્રવારે યુકેના સાપ્તાહિક ‘ઈસ્ટર્ન આઈ’ દ્વારા પ્રકાશિત આ વાર્ષિક યાદીમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરીને શાહરુખ ટોચના સ્થાને ઊભર્યો હતો.

Read More...

2023માં શાહરૂખ, સની દેઓલ, રજનીકાંત અને રણબીરની ફિલ્મોનો દબદબો

બોલીવૂડ માટે 2023નું વર્ષ ખૂબ જ શુકનવંતુ રહ્યું હતું. બોક્સઓફિસ પર નવા રેકોર્ડ બનવાની સાથે નિર્માતાના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. રણબીર કપૂરની ‘એનિમલ’ સહિત પાંચ ફિલ્મોએ આ વર્ષે ડિસેમ્બર 10 સુધીમાં વૈશ્વિક બોક્સઓફિસ પર રૂ. 650 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો.

Read More...

ભૂલભૂલૈયાની સીક્વલમાં કિયારાની બાદબાકી, કાર્તિક યથાવત

કાર્તિક આર્યન લોકપ્રિય ફિલ્મ ભૂલભૂલૈયા 2ની સીક્વલ બનાવવાની ચર્ચા છે. આ ફિલ્મમાં કાર્તિક અને સારા અલી ખાન સાથે જોવા મળશે. રીયલ લાઈફના એક્સ કપલ કાર્તિક અને સારા બીજીવાર ફિલ્મમમાં સાથે કામ કરશે. અગાઉ 2020ના વર્ષમાં ‘લવ આજ કલ’માં સારા અને કાર્તિકે સાથે કામ કર્યુ હતું.

Read More...

શ્રીદેવીની બાયોપિક બનાવવા માટે બોની કપૂરનો સ્પષ્ટ ઈનકાર

જાણીતા ફિલ્મ નિર્માતા બોની કપૂરે સ્વર્ગસ્થ પત્ની અને લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવી પર બાયોપિક બનાવવાનો કે કોઈને તે બનાવવા માટે મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો. તેણે જણાવ્યું છે કે શ્રીદેવીનું જીવન એ ખૂબ અંગત બાબત છે અને તેનું જાહેરમાં પ્રદર્શન કરવાની મંજૂરી આપી શકું નહીં.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store