બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન અને કિયારા અડવાણી (ANI Photo)

કાર્તિક આર્યન લોકપ્રિય ફિલ્મ ભૂલભૂલૈયા 2ની સીક્વલ બનાવવાની ચર્ચા છે. આ ફિલ્મમાં કાર્તિક અને સારા અલી ખાન સાથે જોવા મળશે. રીયલ લાઈફના એક્સ કપલ કાર્તિક અને સારા બીજીવાર ફિલ્મમમાં સાથે કામ કરશે. અગાઉ 2020ના વર્ષમાં ‘લવ આજ કલ’માં સારા અને કાર્તિકે સાથે કામ કર્યુ હતું.

તેમની આ હોરર કોમેડીનું શૂટિંગ ફેબ્રુઆરી 2024 શરૂ થવાની સંભાવના છે. ભૂલભૂલૈયા 2માં કાર્તિકની સાથે કિયારા અડવાણી અને તબુ મહત્ત્વની ભૂમિકામાં હતા. આ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ બનાવવા ડાયરેક્ટર અનીસ બાઝમી અને પ્રોડ્યુસર ભૂષણ કુમારે કાર્તિક આર્યનને ફરીથી તક આપી છે, જ્યારે કિયારાના સ્થાને સારા અલી ખાનની પસંદગી કરવામાં આવી છે.

બોલીવૂડની ચર્ચાસ્પદ જોડીમાં એક સમયે કાર્તિક અને સારાનો સમાવેશ થતો હતો. કોઈ વિવાદ વગર છૂટા પડેલા કાર્તિક અને સારા વચ્ચે મિત્રતા જળવાયેલી હતી અને તેના કારણે જ તેઓ પ્રોફેશનલ રીતે સાથે કામ કરવા તેઓ તૈયાર થયા છે. ભૂલભૂલૈયાની સીક્વલને આવતા વર્ષે દિવાળી પર રિલીઝ કરવાનું આયોજન છે.

તાજેતરમાં કરણ જોહરના ટોક શોમાં સારાઅલી ખાને કાર્તિક આર્યન સાથે બ્રેક અપની વાત કરી હતી. ઈશારામાં તેણે બ્રેકઅપને સહન કરવાનું અઘરું જણાવ્યું હતું. પછી કાર્તિક આર્યને પોતાના કામના બદલે સંબંધોની ચર્ચા કરવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. આ ટોક શોમાં સારા અને અનન્યા બંને હાજર હતા અને તે બંનેની કાર્તિક સાથે મિત્રતા હતી. તેથી કરણે પણ જાહેરમાં અંગત સંબંધોની ચર્ચા નહીં કરવાની સલાહ આપી હતી.

LEAVE A REPLY

9 − eight =