(Photo by DIBYANGSHU SARKAR/AFP via Getty Images)

જાણીતા ફિલ્મ નિર્માતા બોની કપૂરે સ્વર્ગસ્થ પત્ની અને લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવી પર બાયોપિક બનાવવાનો કે કોઈને તે બનાવવા માટે મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો. તેણે જણાવ્યું છે કે શ્રીદેવીનું જીવન એ ખૂબ અંગત બાબત છે અને તેનું જાહેરમાં પ્રદર્શન કરવાની મંજૂરી આપી શકું નહીં.

બોનીએ સ્વીકાર્યું હતું કે, તેને શ્રીદેવીની બાયોપિક બનાવવા અનેક પ્રસ્તાવ મળ્યા છે. પરંતુ, પોતે તેનો ઈનકાર કર્યો છે. તે પોતે પણ શ્રીદેવીની બાયોપિક બનાવવા ઇચ્છતા નથી. બોની કપૂરે કહ્યું હતું કે કેટલાક લોકો જેઓ શ્રીદેવીને નજીકથી જાણતા હતા તેઓ પુસ્તક લખી રહ્યા છે. તે માટે ઈન્ટરવ્યૂ પણ લઈ રહ્યા છે. પરંતુ, પોતે શ્રીદેવીનું અંગત જીવન જાહેરમાં ચર્ચાય તેની વિરુદ્ધ છે.

બોની અને શ્રીદેવીની પ્રેમ કહાનીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. શ્રીદેવીને બોનીએ એક તમિલ ફિલ્મમાં જોઇ હતી ત્યારથી જ તેનાથી અંજાઇ ગયા હતા. પછી 1987માં મિ.ઇન્ડિયા ફિલ્મમાં બોનીએ તેને સાઇન કરી હતી. તે પછી તેમના સંબંધો ગાઢ બન્યા હતા. શ્રીદેવીએ લગભગ પોતાની કારકિર્દીના 50 વર્ષ કેમેરા સામે વિતાવ્યા હતા. તેણે બાળ કલાકાર તરીકે ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી શરૂ કરી હતી. તેમજ તે ભારતની પ્રથમ મહિલા સુપરસ્ટાર બની હતી. જોકે, 2018માં દુબઈમાં તેનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું.

LEAVE A REPLY

twenty + 19 =