Vol. 3 No. 298 About   |   Contact   |   Advertise July 29, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ઋષિ સુનક – લિઝ ટ્રસ વચ્ચે વડા પ્રધાનપદ માટે આક્રમક જંગ

“બ્લ્યુ ઓન બ્લ્યુ” વોર તરીકે ઓળખાતા શાસક કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પદની હરિફાઇમાં સુનક વિરૂધ્ધ ટ્રસ વચ્ચેનો જંગ આક્રમક બની રહ્યો છે અને જુદા જુદા જૂથો હરીફ નેતાઓને પછાડવા માટે શાબ્દિક હુમલા અને આક્ષેપો કરી રહ્યા છે. 4 ઓગસ્ટથી પાર્ટીના સભ્યો દ્વારા શરૂ થનારા મતદાન માટે સુનકે હવે પોતાના પ્રચારમાં યુએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામાની જેમ પત્ની અક્ષતા મૂર્તિ અને પુત્રીઓ ક્રિષ્ના અને અનુષ્કાને સાથે લીધા છે.

Read More...
સુનક, ટ્રસનું ગેરકાયદે ઇમિગ્રેશન મુદ્દે સખત કાર્યવાહીનું વચન

બ્રિટનના વડાપ્રધાન તરીકે બોરિસ જોન્સને રાજીનામું આપ્યા પછી તેમના અનુગામી તરીકેના બન્ને હરીફો – ઋષિ સુનક અને લીઝ ટ્રસે રવિવારે ગેરકાયદે માઇગ્રેશન સામે કડક પગલાંને પ્રાથમિકતાનું વચન આપ્યું

Read More...
સર્વેમાં ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ આગળ

યુકેના વડા પ્રધાનપદના ફાઇનલિસ્ટ ઉમેદવારો તરીકે તા. 25ને સોમવારે રાત્રે બીબીસી પર યોજાયેલી પ્રથમ ટેલિવિઝન ચર્ચાના આધારે કોણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું તેના સ્નેપ ઓપિનિયમ પોલમાં સુનકને 39

Read More...
Click Full Screen
ભારત-યુકે વચ્ચે એકબીજાની કેટલીક એજ્યુકેશન ડિગ્રીને માન્ય ગણવા કરાર

ભારતના કેટલાંક બેચલર્સ, માસ્ટર્સ અને ડોક્ટરેટ કોર્સિસને યુકેના આ કોર્સિસની સમકક્ષ ગણવામાં આવશે. તેનાથી ભારતની ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ યુકેમાં જોબ માટે લાયક ગણાવશે.

Read More...
વિશ્વના સૌથી પાવરફૂલ પાસપોર્ટની યાદીમાં જાપાન પ્રથમ ક્રમે, ભારત 87માં અને યુકે 7માં સ્થાને

વર્ષ 2021 માટે વિશ્વના સૌથી વધુ પાવરફૂલ પાસપોર્ટની યાદીમાં જાપાન ટોચના સ્થાને રહ્યું છે. આ યાદીમાં ભારતનો ક્રમ 85માં રહ્યો છે, એમ હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સમાં જણાવાયું છે.

Read More...
દ્રૌપદી મુર્મુ ભારતનાં પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપ્રમુખ બન્યાં

ભારતના શાસક નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીને દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપ્રમુખ બનવાનો ઈતિહાસ રચ્યો

Read More...
Click Full Screen
ભારતમાં ત્રિરંગો હવે દિવસ-રાત્રી બંને સમયે ફરકાવી શકાશે

સરકાર રાષ્ટ્રધ્વજ અંગેના નિયમોમાં શનિવારે મોટા ફેરફાર કર્યા છે. તેનાથી દિવસ અને રાત્રી બંને સમયે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે અને તે મશીનથી બનેલો અને તેમાં પોલિએસ્ટરનો ઉપયોગ પણ કરી શકાશે.

Read More...
બોટાદના બરવાળામાં લઠ્ઠો પીવાથી 36નાં મોત, 87ની ગંભીર હાલત

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં ગત રવિવારે રાત્રે લઠ્ઠો અથવા તહ ઝેરી દારૂ પીવાથી 36 લોકોનાં મોત નીપજ્યાં હતાં તથા 87ની હાલત ગંભીર છે. મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે.

Read More...
ગુજરાતમાં સીઝનના સરેરાશ 64% વરસાદ સાથે સાર્વત્રિક મેઘમહેર

ગુજરાતમાં ચોમાસાની સીઝન પછીથી સાર્વત્રિક વરસાદ થયો છે. 24 જુલાઈ સુધીમાં રાજ્યમાં સિઝનનો 22 ઇંચ સાથે સરેરાશ 64 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં રવિવારે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા.

Read More...
Click Full Screen
ગુજરાતમાં કોંગ્રેસના 7 ધારાસભ્યોએ મુર્મુની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું

ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસના સાત ધારાસભ્યોએ ભાજપના વડપણ હેઠળના એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનું તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું.

Read More...

  Sports
ભારત ત્રણ વન-ડેની સીરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 2-0થી વિજેતા

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ વન-ડેની સીરીઝની પહેલી અને બીજી મેચમાં રસાકસીભર્યા જંગમાં વિજય સાથે સીરીઝ 2-0થી જીતી લીધી હતી.

Read More...
ભારતના નીરજ ચોપરાની વર્લ્ડ એથલેટિક્સમાં જેવલીન થ્રોમાં ઐતિહાસિક સિલ્વર સિદ્ધિ

ઓલિમ્પિક્સના ગોલ્ડન સુપરસ્ટાર નીરજ ચોપરાએ અમેરિકાના યુજીનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતને પુરૂષોની જેવલીન થ્રો ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ સર્જ્યો હતો.

Read More...
એશિયા કપ ટી-૨૦ શ્રીલંકાને બદલે યુએઈમાં રમાશે

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ગયા સપ્તાહે જાહેરાત કરી હતી કે, એશિયા કપ ટી-૨૦ શ્રીલંકાને બદલે યુએઈમાં રમાશે. શ્રીલંકામાં હાલમાં ભારે અરાજકતાની પરિસ્થિતિ છે

Read More...
લેસ્ટરનું ક્રિકેટ ગ્રાઉન્ડનું નામ ‘સુનિલ ગાવસ્કર’ સ્ટેડિયમ રખાશે

ઈંગ્લેન્ડમાં ભારતીયો અને ખાસ તો ગુજરાતીઓની મોટા પ્રમાણમાં વસતિ ધરાવતા લેસ્ટરશાયરના ક્રિકેટ ગ્રાઉન્ડ સાથે ભારતના લિટલ માસ્ટર તરીકે ખૂબજ જાણીતા

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
ફોર્બ્સની વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી ચોથા ક્રમે

ફોર્બ્સ મેગેઝિને જારી કરેલી વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ચોથો ક્રમ હાંસલ કર્યો છે. 2021 અને 2022ની વચ્ચે અદાણીની નેટવર્થ 50 બિલિયન ડોલરથી વધી 90 બિલિયન ડોલર થઈ છે. ગૌતમ અદાણી અગાઉથી એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ છે. ગૌતમ અદાણીએ ફોર્બ્સની ધનિકોની યાદીમાં માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સને પાછળ રાખી દીધા છે. બિલ ગેટ્સે તેમની નોન-પ્રોફિટ સંસ્થા બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સને 20 બિલિયન ડોલરનું દાન આપ્યા પછી તેમની સંપત્તિ ઘટી છે અને તેઓ પાંચમા ક્રમે પહોંચી ગયા છે. ગૌતમ અદાણીની સરખામણીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી પણ ઘણા પાછળ રહી ગયા છે.

Read More...
ઇસીબીએ વ્યાજદર વધારતા યુરોપમાં નેગેટિવ રેટના યુગનો અંત

યુરોપીયન સેન્ટ્રલ બેન્ક (ઇસીબી)એ 11 વર્ષ પછી પ્રથમવાર વ્યાજદરમાં ગુરુવારે 0.50 ટકાનો વ્યાજદરમાં વધારો કર્યો હતો. આની સાથે હવે યુરોપીયન ઝોનમાં નેગેટિવ રેટનો યુગ પૂરો થયો છે. વ્યાજદરને 0.5 ટકા વધારીને ઝીરો ટકા કરવામાં આવ્યા છે અને આ વર્ષે વધુ રેટહાઇક કરવાની યોજના ધરાવે છે. રેટ 2014થી નેગેટિવ હતી. જોકે કન્ઝ્યુર ફુગાવો જૂન સુધીના 12 મહિનામાં વધીને 8.6 ટકા થયો હતો. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે યુરો ઝોનમાં ફુગાવો છેલ્લા 20 વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો છે. વધતા ફુગાવાને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ઇસીબી પણ વૈશ્વિક સેન્ટ્રલ બેન્કોની સાથે વ્યાજદરમાં વધારા કરવાની રેસમાં જોડાઈ છે.

Read More...
અકાશા એર 7 ઓગસ્ટથી પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ શરૂ કરશે

જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના સમર્થન સાથેની અકાશા એર સાત ઓગસ્ટે તેની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટ ચાલુ કરશે. મુંબઈ-અમદાવાદ રૂટ પરની આ પ્રથમ ફ્લાઇટ માટે કંપની બોઇંગ 737 મેક્સ વિમાનનો ઉપયોગ કરશે. અકાશા એરે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એરલાઇને 7 ઓગસ્ટથી મુંબઈ-અમદાવાદ રૂટ પરની વીકલી ધોરણે ચાલુ થનારી 28 ફ્લાઇટ્સ માટે ટિકિટનું વેચાણ ચાલુ કર્યું છે. બેંગલુરુ-કોચી વચ્ચેની ફ્લાઇટ 13 ઓગસ્ટથી ચાલુ થશે. ફ્લાઇટ ઓપરેશન બે બોઇંગ 737 મેક્સ વિમાન આધારિત હશે. બોઇંગે કંપનીને એક વિમાનની ડિલિવરી આપી છે અને બીજા વિમાનની ડિલિવરી આ મહિનાના અંત ભાગમાં મળશે.

Read More...
ભારતના એરપોર્ટ પર વધારાનો ચેક-ઇન ચાર્જ નહીં વસુલવા આદેશ

ભારતમાં એરપોર્ટના કાઉન્ટર્સ પર ચેક-ઇન માટે હવે પેસેન્જરોએ વધારાનો ચાર્જ નહીં ચૂકવવો પડે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઘણી ફરિયાદોને પગલે એરલાઇન્સને ચેક-ઇન કાઉન્ટર્સ પર બોર્ડિંગ પાસ ઇશ્યૂ કરવા માટે લેવાતી ફી તાત્કાલિક ધોરણે બંધ કરવાનો ગુરુવારે આદેશ આપ્યો હતો. એરલાઇન્સ આ સર્વિસ માટે પેસેન્જર દીઠ લગભગ રૂ.૨૦૦ની ફી વસૂલે છે. જોકે, વિમાનના ઇંધણના ભાવ ઘણા ઊંચા છે અને રૂપિયો નવી નીચી સપાટીએ પહોંચ્યો છે ત્યારે એરલાઇન્સે ભાડાંમાં મોટો વધારો કર્યો છે. આવા સમયે ચેક-ઇન ચાર્જમાં નહીં લેવાનો આદેશ પેસેન્જર્સને થોડી રાહત આપશે. ખાસ કરીને ઓનલાઇન ચેક-ઇન કરવાને બદલે એરપોર્ટ પર લાંબી લાઇનમાં ઊભું રહેવાનું પસંદ કરનારા મુસાફરોને થોડી રાહત મળશે. ઉલ્લેખનીય છે કે, હવાઇ ઇંધણના ઊંચા ભાવ અને ઘટતા રૂપિયાની એર ટ્રાફિકની રિકવરી પર અસર થઈ છે.

Read More...
  Entertainment

68મા નેશનલ ફિલ્મ એવોર્ડ જાહેર, અજય દેવગણ શ્રેષ્‍ઠ અ‌ભિનેતા

વર્ષ 2020 માટેના 68મા નેશનલ ફિલ્મ એવોર્ડની ગુરુવારે જાહેરાત થઈ હતી. તમિલ ફિલ્મ ‘સુરારાઈ પોટ્ટરુ’ને બેસ્ટ ફિચર, બેસ્ટર એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. બીજા મોટા વિજેતામાં અજય દેવગણની ફિલ્મ ‘તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’ રહી હતી. આ ફિલ્મ માટે અજય દેવગણને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મને હોલસમ એન્ટરટેઇનમેન્ટ માટે બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો પણ એવોર્ડ મળ્યો હતો. તાન્હાજી એક એવી ઐતિહાસિક ફિલ્મ છે, જેમાં મરાઠા સામ્રાજ્યની શૂરવીરતાને ભવ્ય અંદાજમાં રજૂ કરાઈ છે. તાન્હાજી માટે બેસ્ટ કોચ્યુમ ડિઝાઇનરનો એવોર્ડ નચીકેત બારવે અને મહેશ શેરલાને મળ્યો હતો.

Read More...

બે ખાસ સીનિયર સાથે ફિલ્મ નહીં કરવાનો નિયમ રિતિક તોડશે?

રિતિક રોશનને એક સમયે શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે સારી મિત્રતા હતી તેવું કહેવાતું હતું. એક નાની ઘટનામાં તે બંનેના વર્તને રિતિકનું મન દુભાવ્યું હોવાનું ચર્ચાય છે. રિતિકે જાહેરમાં પોતાની નારાજગી ક્યારેય વ્યક્ત કરી નથી, પરંતુ સલમાન અને શાહરૂખ સાથે ફિલ્મ નહીં કરવાનો તેણે નિર્ણય લીધો છે. આદિત્ય ચોપરા મેગા બજેટ સ્પાય ફિલ્મ પ્લાન કરી રહ્યા છે. આ ફિલ્મમાં રિતિક રોશનની સાથે સલમાન અને શાહરૂખ જોવા મળશે. સલમાન ખાન ટાઈગરના રોલમાં અને શાહરૂખ પઠાણના કેરેક્ટરમાં જોવા મળશે. તેમાં સલમાન અને શાહરૂખ સ્ક્રિન પર સાથે જોવા મળશે, પરંતુ રિતિક સાથે તેઓ કોઈ સીનમાં જોવા નહીં મળે. આ નિર્ણયનું કારણ ઘણું જૂનું છે અને રિતિક સાથે બનેલી ઘટનાઓ જવાબદાર છે.

Read More...

ગુજરાતી ફિલ્મમાં અમિતાભ બચ્ચન

બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને એક નવી અર્બન ગુજરાતી ફિલ્મમાં અભિનય આપ્યો છે. આથી અમિતાભના ગુજરાતી ચાહકોને પોતાની માતૃભાષાની ફિલ્મમાં જ સુપરસ્ટારને જોવાનો લાભ થશે. આ નવી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’માં ચિંતન પરીખ નામના એક વ્યક્તિની વાત છે. 28 વર્ષીય આ મધ્યમ-વર્ગીય માણસ જે તેના જીવનમાં સતત મહિલાઓથી ઘેરાયેલો અને પરેશાન રહે છે. અંબાજી મંદિરમાં તે પ્રાર્થના કરે છે અને એવી શક્તિ માંગે છે જે તેને સ્ત્રીઓને સમજવામાં મદદ કરી શકે. અને તેની આ ઈચ્છા મંજૂર થાય છે. આ ફિલ્મ અંગે નિર્માતા આનંદ પંડિત કહે છે, ‘હું હંમેશા ગુજરાતી ભાષામાં કૌટુંબિક ફિલ્મો બનાવવા માંગતો હતો અને મારા મગજમાં પહેલું નામ માત્ર અમિતાભ બચ્ચનનું હતું. હું ભાગ્યશાળી છું કે તેઓ માત્ર આ ફિલ્મમાં કેમિયો ભજવવા માટે જ નહીં પરંતુ ફિલ્મની સ્ટોરીના વર્ણનમાં તેમનો

Read More...

જેનેલિયાનું ફરીથી બોલીવૂડમાં પદાર્પણ

જેનેલિયા ડિસોઝા ફરીથી બોલીવૂડમાં પદાર્પણ કરી રહી છે. 2003માં તુજે મેરી કસમ ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરનાર જેનેલિયાએ પછી તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં વધુ કામ કરીને ત્યાં વધુ જાણીતી બની હતી. 2004માં મસ્તી ફિલ્મથી તે બોલીવૂડમાં જાણીતી બની હતી. એ પછી બોલીવૂડમાં તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. જય હો, ફોર્સ ૨, ઇટ્‍સ માય લાઇફ, જાને તુ યા જાને ના, તુજે મેરી કસમ, તેરે નાલ લવ હો ગયા, મેરે બાપ પહેલે આપ સહિતની ફિલ્મોમાં અભિનય આપ્યા પછી તેણે અભિનેતા રિતેશ દેશમુખ સાથે લગ્ન કરી લીધા હતાં અને અભિનયથી દૂર થઇ ગઇ હતી. એ પછી તે પતિ સાથે મળી ફિલ્મ નિર્માત્રી પણ બની હતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store