Vol. 1 No. 28 About   |   Contact   |   Advertise August 17, 2023


 
 
સંવાદિતાની ભાવના જાળવી રાખવા પ્રેસિડેન્ટ મુર્મુની ભારતવાસીઓને હાકલ

ભારતનાં પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુએ સોમવારે, 14 ઓગસ્ટે દેશના 77મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતે વૈશ્વિક મંચ પર માત્ર તેનું યોગ્ય સ્થાન પાછું મેળવ્યું નથી, પરંતુ વૈશ્વિક વ્યવસ્થામાં દેશના દરજ્જામાં વધારો કર્યો છે. ભારતની વૃદ્ધિગાથામાં વિદેશોમાં સ્થાયી થયેલા ભારતીયોએ વ્યક્ત કરેલો નવો આત્મવિશ્વાસ તેનો પુરાવો છે. વૈશ્વિક આર્થિક વૃદ્ધિ માટે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. ભારત વિશ્વભરમાં વિકાસલક્ષી અને માનવતાવાદી ધ્યેયો આગળ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે. દેશે આંતરરાષ્ટ્રીય મંચો અને ખાસ કરીને G-20નું પ્રમુખપદ પણ સંભાળ્યું છે. સંવાદિતા અને ભાઇચારાની ભાવના સાથે પ્રગતિ કરવાની દેશના નાગરિકોને અપીલ કરતાં પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે દરેક ભારતીય એકસમાન નાગરિક છે, દરેકને આ ભૂમિમાં સમાન તકો, અધિકારો અને ફરજો મળ્યાં છે.

Read More...
H-1B વિઝાના ઇનકાર બદલ 70 ભારતીયોનો અમેરિકા સરકાર સામે દાવો

ભારતના આશરે 70 નાગરિકોએ H-1B વિઝાનો ઇનકાર કરવા બદલ અમેરિકાની સરકાર સામે વોશિંગ્ટન રાજ્યની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાવો માંડ્યો છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે નોકરીદાતા કંપનીઓના કૌભાંડને કારણે આ 70 ભારતીયોએ H-1B વિઝા

Read More...
ખાલીસ્તાનવાદીઓને નાથવા યુકેએ નવા ભંડોળની જાહેરાત કરી

યુકેમાં ખાલિસ્તાની તરફી તત્વોની વધતી જતી પ્રવૃત્તિઓને લઈને ભારતમાં વધી રહેલી ચિંતાઓ અને માર્ચ મહિનામાં લંડનમાં ભારતીય હાઈ કમિશન પર થયેલા હુમલા બાદ યુકેના સીક્યુરીટી મિનિસ્ટર ટોમ ટૂગેન્ધાતે ગુરુવારે નવી દિલ્હીમાં ભારતના વિદેશ પ્રધાન,

Read More...
પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીનું વિસર્જન, 90 દિવસમાં ચૂંટણી યોજાશે

પાકિસ્તાનના પ્રેસિડન્ટ આરિફ અલ્વીએ વડાપ્રધાન શાહબાઝ શરીફની ભલામણને પગલે નિર્ધારિત મુદતના ત્રણ દિવસ પહેલા નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું હતું. પ્રેસિડન્ટના નિર્ણય પછી વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે વિરોધ પક્ષના નેતા સાથે

Read More...
હવાઈના ભીષણ દાવાનળમાં 96ના મોત, 1,000 લાપતા

અમેરિકામાં ટાપુ રાજ્ય હવાઈના માઉઇ ટાપુમાં ફાટી નીકળેલા દાવાનળનો મૃત્યુઆંક ગુરુવારે વધીને 96 થયો હતો. ગુરુવારે અન્ય 17 જાનહાનિની ​​પુષ્ટિ કરવામાં આવી હતી. આ ટાપુ પર બીજા 1000 લોકો હજુ પણ લાપતા હતા, તેથી મૃત્યુઆંકમાં વધારો થવાની ધારણા છે.

Read More...
બાઈડેને ચીનમાં અમેરિકાના મૂડીરોકાણો પર નિયંત્રણો લાધ્યાં

અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેને ગયા સપ્તાહે બુધવારે (9 ઓગસ્ટ) એક એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા ચીનમાં સંવેદનશીલ હાઇ-ટેક ક્ષેત્રોમાં કેટલાક અમેરિકન મૂડીરોકાણો ઉપર પ્રતિબંધિત ફરમાવે છે.

Read More...
અમેરિકામાં 2022માં આપઘાતનો દર વિક્રમજનક સ્તરે પહોંચ્યો

ગત 2022ના વર્ષે અમેરિકામાં આપઘાતની સંખ્યા વિક્રમજનક સ્તરે પહોંચી હતી. ગત વર્ષે લગભગ 49,500 લોકોએ આપઘાત કર્યો હતો. આંકડાકીય માહિતી પ્રમાણે આ વર્ષે પ્રત્યેક એક લાખ લોકોએ 15 માણસોએ આપઘાત કર્યો હતો. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

Read More...
પ્રેસિડેન્ટપદે ચૂંટાશે તો રામાસ્વામી ચીન સાથે સંબંધો સંપૂર્ણપણે તોડી નાખશે

​​અમેરિકામાં 2024માં યોજાનારી ચૂંટણી માટે પ્રેસિડેન્ટપદની દાવેદારી કરનાર ઇન્ડિયન અમેરિકન વિવેક રામાસ્વામીએ જણાવ્યું હતું કે, ચીન અમેરિકા માટે સૌથી ખતરારૂપ છે, અને તેઓ પ્રેસિડેન્ટપદે ચૂંટાશે તો ચીન સાથેના તમામ સંબંધોનો અંત લાવશે.

Read More...
મોદી સરકાર સામેની વિપક્ષની અવિશ્વાસ દરખાસ્તનો પરાજય

હિંસાગ્રસ્ત મણિપુરના મુદ્દે મોદી સરકાર સામે વિપક્ષે રજૂ કરેલી અવિશ્વાસની દરખાસ્તનો ત્રણ દિવસની ચર્ચાને અંતે રકાસ થયો હતો. લોકસભામાં ભાજપના પાસે 303 સાંસદો છે. સાથીઓ પક્ષો સહિત આ આંકડો 333 છે.

Read More...
બગોદરા-બાવળા હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત, 4 ઘાયલ

અમદાવાદ જિલ્લામાં બગોદરા ગામ નજીક શુક્રવાર, 11 ઓગસ્ટે એક મિની-ટ્રક અને ટ્રક વચ્ચેના ભયાનક અકસ્માતમાં ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા અને ચાર અન્ય લોકો ઘાયલ થયાં હતાં.

Read More...

  Sports
વેસ્ટ ઈન્ડિઝનો ટી-20 સીરીઝમાં ભારત સામે 3-2થી વિજય

ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સીરીઝની પાંચમી અને છેલ્લી મેચમાં 8 વિકેટે પરાજય સાથે સીરીઝ 2-3થી ગુમાવી હતી. રોવમેન પોવેલના સુકાનીપદે વેસ્ટ ઈન્ડિઝે 17 વર્ષ પછી ભારત સામે આ રીતે સીરીઝમાં વિજયનો રેકોર્ડ કર્યો હતો.

Read More...
વર્લ્ડ કપની 9 મેચની તારીખો બદલાઈ

ભારતમાં આગામી ઓક્ટોબર – નવેમ્બરમાં યોજાનારા વન-ડે ઈન્ટરનેશનલ્સના ક્રિકેટ વર્લ્ડ કપના આરંભને હવે બે મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે અગાઉ સમગ્ર વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થઈ ગયા પછી ગયા

Read More...
ચેમ્પિયન્સ ટ્રોફી એશિયન હોકીમાં ભારત ચેમ્પિયન

ભારતમાં ગયા સપ્તાહે પુરી થયેલી ચેમ્પિયન્સ ટ્રોફી એશિયન હોકી ટુર્નામેન્ટમાં શનિવારે ભારતે મલેશિયાને 4-3થી હરાવી ચોથી વખત આ ટ્રોફીનું ટાઈટલ હાંસલ કર્યું હતું. ચેન્નાઈમાં રમાયેલી ફાઈનલમાં એક તબક્કે 1-3થી પાછળ રહેલું ભારત અચાનક એક મિનિટમાં બે ગોલ Read More...

પૃથ્વી શૉની ઈંગ્લિશ કાઉન્ટીમાં ધમાકેદાર ડબલ સેન્ચુરી, રેકોર્ડ

ભારતીય બેટર અને ભારતીય ટીમમાં સ્થાન નહીં પામી શકેલા પ્રતિભાશાળી ગણાતા ખેલાડી પૃથ્વી શોએ ઈંગ્લિશ કાઉન્ટીમાં ગયા સપ્તાહે નોર્થમ્પટનશાયર તરફથી રમતા સમરસેટ સામેની વન-ડે મેચમાં ઝંઝાવાતી બેટિંગ કરી 153 બોલમાં 244 રન ખડકી દીધા હતા.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
‘મહારાજા’ને વિદાય: એર ઇન્ડિયાએ નવો લોગો લોન્ચ કર્યો

ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન એર ઇન્ડિયાએ ગુરુવારે ​​એક આધુનિક નવી બ્રાન્ડ ઓળખ અને નવી એરક્રાફ્ટ લિવરીનું અનાવરણ કર્યું હતું. આ નવો લોગો બોલ્ડ ન્યૂ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરે છે. નવો લોગો તેના નવા અવતારનું એક મહત્ત્વનું સીમાચિહ્ન છે. એર ઇન્ડિયન રાષ્ટ્રીય કંપનીમાંથી રાષ્ટ્રીય પ્રેરણા તરફ પરિવર્તન કરી રહી છે.

Read More...
ઝી-સોનીના $10 બિલિયન ડોલરના મેગા મર્જરને NCLTની મંજૂરી

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ એન્ટરટેઇનમેન્ટ કંપની ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈસીસઅને કલ્વર મેક્સ એન્ટરટેઈનમેન્ટ (અગાઉ સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા તરીકે ઓળખાતી હતી) વચ્ચેના 10 બિલિયન ડોલરના મેગા મર્જરને ગુરુવારે મંજૂરી આપી હતી.

Read More...
રીઝર્વ બેન્કે વ્યાજદર સ્થિર રાખ્યાં, ફુગાવાનો અંદાજ વધાર્યો

અમેરિકા અને યુકે જેવા વિકસિત દેશોમાં વ્યાજદરમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભારતીય રિઝર્વ બેન્કે ગુરુવારે નાણા નીતિની સમીક્ષા પછી વ્યાજદરને સ્થિર રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે આરબીઆઇએ સંકેત આપ્યો હતો કે જો ખાદ્યચીજોના ભાવને કારણે ફુગાવો વધશે તો નાણા નીતિ આકરી બનાવવી પડશે.

Read More...
એરલાઈન્સમાં ચાલુ વર્ષે જુલાઈ સુધી 338 ટેકનિકલ ખામીઓ સર્જાઈઃ સરકાર

ભારતમાં ડોમેસ્ટિક એરલાઇન્સમાં ચાલુ વર્ષે જુલાઇ મહિના સુધીમાં કુલ 338 ટેકનિકલ ખામીઓ સર્જાઈ હતી. તેમાંથી ઇન્ડિગોમાં 206, એર ઇન્ડિયામાં 49, ગો એરમાં 22, સ્પાઇસજેટમાં 21 અને અકાશા એરમાં 18 ટેકનિકલ ખામીનો સમાવેશ થાય છે, તેવી સંસદમાં સરકારે સોમવારે માહિતી આપી હતી.

Read More...
AAHOAનું માનવ તસ્કરી સમાપ્ત કરવા તલસ્પર્શી રીપોર્ટિંગને સમર્થન

AAHOA નેશનલ હ્યુમન ટ્રાફિકિંગ હોટલાઇન એન્હાન્સમેન્ટ એક્ટના પેસેજને સમર્થન આપી રહ્યું છે જેનો હેતુ શંકાસ્પદ માનવ અને સેક્સ ટ્રાફિકિંગના રીપોર્ટિંગમાં સુધારો કરવાનો છે. એસોસિએશન તેના 20,000 સભ્યોને તેમની હોટલોમાં હેરફેર અટકાવવા અને અટકાવવા માટે તાલીમ આપવાનું ચાલુ રાખશે.

Read More...
નોલ્ટન સોનેસ્ટાના ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર

જેફ નોલ્ટનને સોનેસ્ટા ઇન્ટરનેશનલ હોટેલ્સ કોર્પના ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર તરીકે નીમવામાં આવ્યા છે. તાજેતરમાં જ, નોલ્ટન ડેનવર સ્થિત હોસ્પિટાલિટી કંપની પર્સ્યુટ કલેક્શનમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીના વાઇસ પ્રેસિડેન્ટ હતા, જ્યાં તેમણે આઇટી વિભાગનું નિર્માણ કર્યું હતું.

Read More...
કોસ્ટાર: યુ. એસ. શ્રમ ખર્ચને કારણે જૂનમાં હોટેલ્સનો GOPPAR ઘટ્યો

શ્રમ ખર્ચમાં વધારો થવાને કારણે GOPPAR ફોર યુ.એસ. હોટેલ્સે જૂનમાં સતત બીજા મહિને વાર્ષિક ધોરણે ઘટાડો નોંધાવ્યો હોવાનું CoStarના જૂન 2023 ના નફા અને નુકસાનના ડેટામાં જણાવાયું છે. વાર્ષિક ધોરણે ઘટાડા છતાં, GOPPAR સ્તરે મેની સરખામણીમાં સુધારાના સંકેતો દર્શાવ્યા હતા.

Read More...
  Entertainment

અમિતાભ અડિખમ @ 80

આધુનિક બોલીવૂડમાં દંતકથા સમાન અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અત્યારે 80 વર્ષની ઉંમર છતાં ટોચનાં અભિનેતાઓ કરતાં પણ વ્યસ્ત રહે છે. સાડા છ દાયકાની ઝળહળતી કારકિર્દી ધરાવતા બીગ બીને ભારતીય મનોરંજન ઉદ્યોગનાં આદર્શ માનવામાં આવે છે. પાકટ વય અને નાદુરસ્ત તબિયત હોવા છતાં તેઓ એ જ જુસ્સાથી કામ કરે છે અને સંપૂર્ણ સમર્પણ સાથે ફિલ્મો, બ્રાન્ડ પ્રમોશનિંગ તથા કેબીસી-15ના શૂટિંગમાં વ્યસ્ત છે.

Read More...

આદિત્ય નારાયણ ‘સા રે ગા મા પા’માં હોસ્ટ તરીકે જોવા મળશે

ઝી ટીવી ફરી એકવાર સિંગિંગ રિયાલિટી શો ‘સા રે ગા મા પા’ લઈને આવી રહ્યો છે. આ વર્ષે આ શોમાં હોસ્ટ તરીકે આદિત્ય નારાયણ જોવા મળશે. તેની સાથે નિર્ણાયકોની પેનલમાં હિમેશ રેશમિયા, નીતિ મોહન અને અનુ મલિક જોડાયા છે. આદિત્ય એ હંમેશા એક પ્રતિભાશાળી હોસ્ટ રહ્યો છે, જેનો જાદુ અને ગાયકીની ક્ષમતા સા રે ગા મા પાએ બહુ નાની ઉંમરમાં જ જોઈ હતી.

Read More...

અક્ષય કુમારને સ્વતંત્રતા દિવસ પર ફરી ભારતીય નાગરિકતા મળી

કેનેડાની નાગરિકતા માટે ઘણીવાર ટીકાઓનો સામનો કરી રહેલા બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારને દેશના 77મા સ્વતંત્રતા દિવસે ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ભારતીય નાગરિકતાના દસ્તાવેજ શેર કરતા અક્ષયકુમારે જણાવ્યું હતું કે “દિલ ઔર નાગરિકતા, દોનો હિન્દુસ્તાની. સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ! જય હિંદ! અક્ષય કુમારને ઘણીવાર ‘કેનેડા કુમાર’ કહીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરાતો હતો. કેનેડાની નાગરિકતા પહેલા પણ અક્ષય પાસે ભારતની નાગરિકતા હતી.

Read More...

પીઢ અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદાને છ મહિનાની જેલ

વીતેલા જમાનાની અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદાને ચેન્નાઇની કોર્ટે કેટલાંક વર્ષ જૂના એક કેસમાં છ મહિનાની જેલની સજા અને રૂ.5,000નો દંડ ફટકાર્યો છે. આ કેસમાં અભિનેત્રીની સાથે તેના બિઝનેસ પાર્ટનર રામ કુમાર અને રાજા બાબુને પણ દોષી ઠેરવવામાં આવ્યાં હતાં. અહેવાલો અનુસાર જયા પ્રદા અને બિઝનેસ પાર્ટનરો તે સમયે ચેન્નાઈમાં એક મૂવી થિયેટર ધરાવતા હતાં. પરંતુ ખોટને કારણે સિનેમા હોલ બંધ કરી દીધો હતો.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store