Vol. 3 No. 359 About   |   Contact   |   Advertise October 27, 2023


 
 
લંડન સહિતના શહેરોમાં પેલેસ્ટાઈન તરફી પ્રચંડ દેખાવો

ઇઝરાયેલ – હમાસ વચ્ચેનો સંઘર્ષ ઉગ્ર બની રહ્યો છે અને આ સંઘર્ષમાં ઓછામાં ઓછા 10 બ્રિટિશ નાગરિકો માર્યા ગયા છે અને વધુ છ ગુમ થયા છે. ઇઝરાયેલ અને ગાઝાની તાજેતરની પરિસ્થિતિ અંગે વડા પ્રધાન સુનકે હાઉસ ઓફ કોમન્સમાં તા. 23ના રોજ માહિતી આપી હતી તો ઈઝરાયેલ સહિત મધ્ય પૂર્વના દેશોની એક દિવસીય મુલાકાત દરમિયાન તેમણે ઈઝરાયલની સાથે “સૌથી અંધકારમય ઘડી”માં ઊભા રહેવાનું વચન આપ્યું હતું અને ગાઝામાં માનવતાવાદી કોરિડોર ખોલાવાના નિર્ણયને આવકાર્યો હતો. તા. 21ના રોજ સેન્ટટ્રલ લંડનમાં યોજાયેલી પેલેસ્ટાઈન તરફી દેખાવોમાં લગભગ લાખેક લોકોએ ભાગ લીધો હતો. પોલીસે 10ની ધરપકડ કરી હતી તો પાંચ પોલીસ અધિકારીઓને સામાન્ય ઇજાઓ થઈ હતી.

Read More...
બાઇડેન પછી સુનક ઇઝરાયેલની મુલાકાતે

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન પછી યુકેના વડાપ્રધાન ઋષિ સુનક ગુરુવારે ઇઝરાયેલની મુલાકાતે ગયા હતા અને આતંકવાદ સામેની લડાઇમાં યુકેનું સમર્થન જાહેર કર્યું હતું.

Read More...
હમાસે ગાઝામાં બંધકોને મુક્ત કરવા જોઈએ: સર સ્ટાર્મર

‘’હમાસે ગાઝામાં બંધકોને મુક્ત કરવા જોઈએ અને બીજું, તાકીદે, ગાઝા પટ્ટીમાં ખોરાક, પાણી, બળતણ, દવાઓ મેળવવા માટે માનવતાવાદી સહાયની જરૂર છે. દેખીતી રીતે થોડી પ્રગતિ થઈ છે, પરંતુ ઘણું બધું જરૂરી છે.

Read More...
બ્રિટનના ઈમામોએ ગાઝા-ઇઝરાયેલ યુધ્ધમાં નિર્દોષ પીડિતોના મૃત્યુની નિંદા કરી

બ્રિટનના અગ્રણી ઇમામોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડી “હમાસ દ્વારા કરાયેલી નિર્દોષ લોકોની હત્યા અને અપહરણ તથા ઇઝરાયેલ દ્વારા વાપરવામાં આવેલા “અતિશય બળ”ની નિંદા કરી છે.

Read More...
યુકેમાં મહિલાઓ માટે ઉર્દૂ, પંજાબી અને ગુજરાતી ભાષામાં મેનોપોઝ અંગેની મીહિતી અપાશે

18 ઑક્ટોબરના વિશ્વ મેનોપોઝ ડે પ્રસંગે બેસિન હેલ્થકેરે વિવિધ વંશીય પૃષ્ઠભૂમિની મહિલાઓને તેમના જીપી અને અન્ય હેલ્થકેર પ્રોવાઇડર્સ સાથે વધુ સારી રીતે મેનોપોઝ અંગેની વાતચીતમાં મદદ કરવા માટે ‘A-Z’ સિમ્પ્ટમ્સ માર્ગદર્શિકા અને ‘જાર્ગન-બસ્ટર’ની પત્રિકા બહાર પાડી છે.

Read More...
યુકેમાં સ્ટોર્મ બાબેટનો હાહાકાર: સાતના મોત

સમગ્ર યુકેમાં સ્ટોર્મ બાબેટે હાહાકાર મચાવતા યુકેમાં મૃત્યુઆંક વધીને ઓછામાં ઓછો સાત થયો હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ ઈંગ્લેન્ડના પૂરગ્રસ્ત ભાગો માટે મેટ ઓફિસ દ્વારા વરસાદની ચેતવણી જારી કરવામાં આવી હતી.

Read More...
પાકિસ્તાનના માજી વડાપ્રધાન નવાઝ શરીફની ચાર વર્ષે વતન વાપસી

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે આશરે ચાર વર્ષ પછી શનિવારે વતન વાપસી કરી હતી. તેમના સ્વાગતમાં એરપોર્ટ પર તેમની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા.

Read More...
કેનેડાએ ભારતના ત્રણ શહેરોમાં કોન્સ્યુલર સર્વિસમાં કાપ મૂક્યો

બ્રિટિશ કોલંબિયામાં એક શીખ અલગતાવાદી નેતાની હત્યા અંગેના રાજદ્વારી વિવાદની વચ્ચે કેનેડાએ કેટલાક ભારતીય શહેરોમાં વાણિજ્ય દૂતાવાસમાં અસ્થાયીરૂપે વ્યક્તિગત કામગીરીને સ્થગિત કરી દીધી છે અને અને વિઝા પ્રક્રિયામાં વિલંબની ચેતવણી આપી હતી.

Read More...
ઓસીઆઇને ભારતના નાગરિક સાથે સરખાવી શકાય નહીઃ કોર્ટ

ગુજરાત હાઈકોર્ટે ગત સપ્તાહે મેડિકલ સ્ટુડન્ટ દ્વારા ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (ઓસીઆઈ) કાર્ડ ધરાવતા મેડિકલ કોર્સમાં જનરલ કેટેગરીમાં પ્રવેશ માટે કરેલી અપીલને ફગાવી દીધી હતી.

Read More...
ગુજરાતમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી 10ના મોત

ગુજરાતમાં શનિવારે સાંજે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં નવરાત્રિની ઉજવણી દરમિયાન ગરબા રમતી વખતે ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાં હતાં. મૃતકોમાં કિશોરોથી લઈને આધેડ વયના લોકોનો સમાવેશ થતો હતો.

Read More...

  Sports
ભારતે વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું

હિમાચલ પ્રદેશના ધરમસાલામાં રવિવારે ભારતે વર્લ્ડ કપની ત્યાર સુધીની બીજી અજેય ટીમ, ન્યૂઝીલેન્ડને હરાવી યજમાન તરીકે સતત પાંચ મુકાબલામાં અજેય રહ્યાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું, તો ગયા સપ્તાહમાં તે અગાઉ બાંગલાદેશને પણ પ્રભાવશાળી રીતે હરાવ્યું હતું.

Read More...
અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું

અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે પોતાનો પ્રથમ વન-ડે વિજય ખૂબજ યાદગાર રીતે નોંધાવ્યો હતો. વર્લ્ડ કપ 2023ના તેના બીજા મેજર અપસેટમાં સોમવારે (23 ઓક્ટોબર) અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું.

Read More...
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન, દિગ્ગજ સ્પિનર ​​બિશન સિંહ બેદીનું નિધન

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને પ્રખ્યાત સ્પિન ત્રિપુટીમાંના એક, બિશન સિંહ બેદીનું લાંબી બિમારી પછી સોમવાર, 23 ઓક્ટોબરે નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શોક વ્યક્ત કર્યો હતો.

Read More...
સિંધુનો ડેન્માર્ક ઓપનની સેમિફાઈનલમાં પરાજય

ડેન્માર્ક ઓપન સુપર ૭૫૦ ટુર્નામેન્ટમાં ગયા સપ્તાહે શનિવારે ભારતની પી. વી. સિંધુનો સ્પેનની કૅરોલિના મારિન સામે ૧૮-૨૧, ૨૧-૧૯, ૭-૨૧થી પરાજય થયો હતો. ઓડેન્સમાં રમાયેલી આ મૅચમાં બન્ને વચ્ચે બોલાચાલી થતાં બન્નેને યલો કાર્ડ મળ્યા હતા.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
એર ઈન્ડિયા એક્સપ્રેસ, એર એશિયાની નવી બ્રાન્ડ ઓળખનું અનાવરણ

ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાની બંને પેટાકંપનીઓ એર ઈન્ડિયા એક્સપ્રેસ અને એરએશિયા ઈન્ડિયાએ નવા બોઈંગ 737-8 એરક્રાફ્ટ પર ‘એર ઈન્ડિયા એક્સપ્રેસ’ તરીકે એક એક કોમન નવા બ્રાન્ડિંગનું અનાવરણ કર્યું હતું. નવી એરક્રાફ્ટ લિવરીમાં ઓરેન્જ અને ટર્ટોઇઝ વાઇબ્રન્ટ શેડ્સનો સમાવેશ થાય છે. એરલાઇન અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રભાવશાળી એક્સપ્રેસ ઓરેન્જ એર ઇન્ડિયા એક્સપ્રેસના ઉત્સાહ અને ચપળતાના બ્રાન્ડ મૂલ્યોનું પ્રતીક છે. ટર્ટોઇઝ સમકાલીન પ્રીમિયમ સંવેદનશીલતા અને ડિજિટલ-ફર્સ્ટ અભિગમને મૂર્ત બનાવે છે.

Read More...
ડાબરની પ્રોડક્ટ્સથી કેન્સર થતું હોવાના અમેરિકા, કેનેડામાં કાનૂની દાવા

ડાબરની ત્રણ પેટાકંપનીઓ સામે અમેરિકા અને કેનેડામાં અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે. ગ્રાહકોનો આરોપ છે કે કંપનીની હેર પ્રોડક્ટ્સને કારણે અંડાશય અને ગર્ભાશયનું કેન્સર થાય છે. આ પેટાકંપનીઓમાં નમસ્તે લેબોરેટરીઝ એલએલસી (“નમસ્તે”), ડર્મોવિવા સ્કિન એસેન્શિયલ્સ (“ડર્મોવિવા”) અને ડાબર ઇન્ટરનેશનલ (“DINTL”)નો સમાવેશ થાય છે. ત્રણેય કંપનીઓ તમામ ડાબર ઇન્ડિયા લિમિટેડની પેટાકંપનીઓ છે. જોકે કંપનીએ જણાવ્યું હતું કે આ દાવા “અપ્રમાણિત અને અપૂર્ણ” અભ્યાસ પર આધારિત છે.

Read More...
ભારતમાં પિક્સલ ફોનનું ઉત્પાદન કરવાની ગૂગલની જાહેરાત

ગૂગલે ગુરુવારે જાહેરાત કરી હતી કે તે ભારતમાં પિક્સલ સ્માર્ટફોનનું ઉત્પાદન શરૂ કરવાની યોજના ધરાવે છે. સર્ચ જાયન્ટ ભારતમાં પિક્સલ 8 નું ઉત્પાદન કરશે અને પ્રથમ યુનિટ 2024માં ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. પિક્સલ 8 કંપની દ્વારા આ મહિનાની શરૂઆતમાં પ્રીમિયમ પિક્સલ 8 પ્રો મોડલની સાથે ભારતમાં અને વૈશ્વિક બજારોમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં કસ્ટમ ગૂગલ ટેન્સર G3 ચિપ અને Titan M2 સુરક્ષા ચિપ છે. ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે અને એક્સ્ટ્રીમ બેટરી સેવર મોડ સાથે 72 કલાક સુધીની બેટરી લાઇફ છે.

Read More...
સાત દેશોમાં નોન બાસમતી ચોખાની નિકાસને ભારતની મંજૂરી

ભારત નેપાળ, કેમરૂન, મલેશિયા, ફિલિપાઇન્સ, સેશેલ્સ, આઇવરી કોસ્ટ અને રિપબ્લિક ઓફ ગિનીમાં નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસને મંજૂરી આપશે, એમ બુધવારે એક સરકારી નોટિફિકેશનમાં જણાવાયું હતું. સરકારે જણાવ્યું હતું કે તેને નેપાળ, કેમરૂન અને મલેશિયા સહિત સાત દેશોમાં 10,34,800 ટન નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસને મંજૂરી આપી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL) મારફત નિકાસની પરવાનગી આપવામાં આવી છે.

Read More...
  Entertainment

બોલીવૂડની ઘણી ફિલ્મોમાં પિતા અને સંતાન વચ્ચેના સંબંધોની અદભૂત રજૂઆત

સામાન્ય રીતે બોલીવૂડની ફિલ્મોમાં બે મુખ્ય અભિનેતા-અભિનેત્રીના પ્રણય પ્રસંગો, પ્રેમગીતો, વિરહ અને મિલન વગેરે દૃશ્યો જોવા મળે છે. પરંતુ કેટલીક ફિલ્મોમાં અભિનેતાના જીવન સંઘર્ષની અને સફળતાની કથા હોય છે. કેટલીક ફિલ્મોમાં નવા-આધુનિક યુગના ચોર કે ગેંગસ્ટરની રક્તરંજિત કહાની પણ હોય છે. બીજી તરફ, બહુ ઓછી હિન્દી ફિલ્મો પિતા-સંતાન વચ્ચેના સંબંધ પર બની છે. સામાન્ય રીતે ભારતીય સમાજમાં પોતાનાં સંતાનોને સુખી, શિસ્તપ્રિય, સુશિક્ષિત બનાવવા પિતા સત સંઘર્ષ કરતા હોય છે. જ્યારે માતા પોતાની મમતા, વ્હાલથી સંતાનોને સંસ્કારી અને પરિવારપ્રિય બનાવે છે. કેટલીક હિન્દી ફિલ્મોમાં પિતા અને સંતાનો વચ્ચેના સંબંધમાં પિતાના વિવિધ સ્વરૂપ જોવા મળ્યાં છે.

Read More...

જુની અને નવી પેઢીની અભિનેત્રીઓ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત

ભારતનાં પ્રેસિડેન્ટ શ્રીમતી દ્રોપદી મુર્મુએ તાજેતરમાં નવી દિલ્હી ખાતે 2021 માટેના 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કર્યા હતા. આ પ્રસંગે પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કર્યો હતો. પ્રેસિડેન્ટ મુર્મુએ વહીદા રહેમાનને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, તેઓ પોતાની કળા અને વ્યક્તિત્વ સાથે ફિલ્મ ઉદ્યોગનાં શિખર પર સ્થાપિત થયા છે. અંગત જીવનમાં પણ તેમણે એક પ્રતિષ્ઠિત, આત્મવિશ્વાસ અને મૌલિકતા ધરાવતી મહિલા તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. તેમણે ઘણી એવી ફિલ્મો પસંદ કરી હતી જેમાં તેમની ભૂમિકાઓએ સામાન્ય રીતે મહિલાઓ સાથે સંકળાયેલા ઘણા અવરોધોને તોડી નાખ્યા હતા.

Read More...

રણબીર કપૂરની ધાર્મિક કટિબદ્ધતા!

રણબીર કપૂરે બોલીવૂડમાં તેની છાપ એક ચોકલેટી અભિનેતા તરીકે ઊભી કરી છે. તે ફિલ્મોમાં હંમેશા નવા અવતારમાં જ જોવા મળે છે. આવી સ્થિતિમાં તે પોતાના કામ પર ખૂબ ધ્યાન પણ આપે છે. હવે એવી ચર્ચા છે કે, તે નિતેશ તિવારીની રામાયણ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. આ માટે તેણે માસાંહાર અને દારૂનું સેવન બંધ કરી દીધું હોવાની ચર્ચા છે. મીડિયાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ‘આ પૌરાણિક વિષય પરની ફિલ્મનું શૂટિંગ થાય ત્યાં સુધીમાં રણબીર કપૂર તેના રોલ માટે ખૂબ જ મહેનત કરવાનો છે.

Read More...

સારાને યુકેમાં ફરવું ગમે છે

સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની પુત્રી સારા અલી ખાનને જુદા-જુદા સ્થળોનો પ્રવાસ કરવાનું ખૂબ જ પસંદ છે. તે સમય મળે ત્યારે બ્રેક લઈને નવા-નવા વિસ્તારો ખૂંદવા નીકળી પડે છે. સારાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રાવેલ ડાયરીથી ભરચક હોય છે. સારાના પસંદગીના પ્રવાસન સ્થળોમાં લંડનનો પણ સમાવેશ થાય છે. સારા તાજેતરમાં પોતાની માતા અમૃતા સિંઘ સાથે યુકે પહોંચી છે. તેણે લંડનથી સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યા હતા. કેપ્શનમાં સારાએ લખ્યું છે કે, વિલન્સ ઈન વિલાયત. કભી વર્ક આઉટ યા કોફી, કભી બ્રેકિંગ ડાયટ, બટ ઓલ ધ વ્હાઈલ-માય બ્રાઈટ બોલ્ડ કલર્સ કોઝિંગ રાયોટ.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store