Vol. 1 No. 16 About   |   Contact   |   Advertise 13th May 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 




  UK News
વડાપ્રધાનની લોકડાઉન યોજનાની ટીકા

વડાપ્રધાન બોરીસ જ્હોન્સને કોરોનાવાયરસ લૉકડાઉનમાંથી પોતાની ‘એક્ઝિટ વ્યૂહરચના’ અંગે રવિવાર તા. 10મી મેના રોજ સાંજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતુ. તેમણે બ્રિટનવાસીઓને નવા સૂત્રમાં ‘સ્ટે એલર્ટ, કંટ્રોલ વાયરસ એન્ડ સેવ લાઇવ્સ’ સુત્ર આપ્યુ હતુ. જો કે નિકોલા સ્ટર્જન અને લેબર પાર્ટીએ નવા ‘સ્ટે એલર્ટ’ યોજનાને ‘ભૂલ ભરેલી’ અને ‘ટોટલ જોક’ સમાન ગણાવી હતી. જ્હોન્સનના શક્તિશાળી ‘સ્ટે હોમ’ મંત્રને હળવો કરવાના નિર્ણયની નિંદા કરવામાં નિકોલા સ્ટર્જન સાથે વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડ પણ જોડાયા હતા. લેબરના સર કેર સ્ટાર્મરે કહ્યું કે ‘સ્પષ્ટતા અને સંમતિ’ નો અભાવ હતો.વડા પ્રધાન અસરકારક રીતે જાહેર પરિવહનનો ઉપયોગ કર્યા વિના અને સલામતી અથવા સ્પષ્ટ માર્ગદર્શન માટેની સ્પષ્ટ યોજના વિના લાખો લોકોને કામ પર પાછા ફરવાનું કહી રહ્યા છે.’’ તેમના અન્ય રાજકીય હરીફોએ યોજના મૂંઝવણભરી હોવાનુ જણાવ્યુ હતુ. ‘ડાઉનિંગ સ્ટ્રીટથી રાષ્ટ્રને ટીવી સંબોધનમાં વડા પ્રધાને ખૂની બિમારીને રોકવા બદલ બ્રિટનના ‘બલિદાન’ની સરાહના કરતા જણાવ્યુ હતુ કે ‘’સરકારની અગ્રતા એ છે કે અત્યાર સુધી કરવામાં આવેલા પ્રયત્નોને ‘ફેંકી દેવા’ જોઇએ નહિ.
Read More...
કોવિડ-19ની મહામારીઃ સાઈબર ફ્રોડના પ્રયાસો સામે સાવચેત રહો
છેલ્લા કેટલાક મહિનાઓથી માનવજાતમાં એક જીવલેણ વાઈરસ ફેલાઈ રહ્યો જ છે. કોરોનાવાઈરસે જે રીતે વિશ્વના લગભગ તમામ દેશોમાં હજ્જારો લોકોને ચેપગ્રસ્ત કર્યા છે, તેવી જ રીતે કોવિડ-19 રોગચાળા વિષે એક અપપ્રચારનો પણ ફેલાવો થઈ રહ્યો છે, તેનો ઈલાજ મળી આવ્યાના નિરાધાર દાવાઓ દ્વારા ફ્રોડ તત્ત્વો નિર્દોષ અને ઓછું જાણતા, સમજતા લોકોની દયાજનક સ્થિતિનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. માઈન્ડ ખાતેના હેડ ઓફ ઈન્ફોર્મેશન સ્ટીફન બકલેએ “ગરવી ગુજરાત”ને જણાવ્યું હતું કેઃ “સોશિયલ મીડિયા આપને લોકો સાથે સંપર્કમાં રહેવામાં મદદરૂપ થઈ શકે છે,
Read More...
£1.5 બીલીયનની છેતરપિંડી કેસમાં નીરવ મોદીએ સાક્ષીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી
ગયા વર્ષે હોલબોર્નની એક બેંકમાં ખાતું ખોલવાનો પ્રયાસ કરવા જતા ધરપકડ કરાયેલા ભારતના મોસ્ટ વોન્ટેડ જ્વેલરી મોગલ નીરવ મોદીએ £1.5 બીલીયનની છેતરપિંડી કેસમાં સાક્ષીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનુ ગઈકાલે કોર્ટને કહેવામાં આવ્યું હતું. 49 વર્ષીય નીરવ મોદીએ ભારતીય સરકારી માલિકીની પંજાબ નેશનલ બેન્કમાંથી મોટી છેતરપિંડીમાં કથિત ભાગ લીધા પછી ભાગી ગયો હતો. છેલ્લા 14 મહિનાથી ભારતની પ્રત્યાર્પણની લડત લડી રહ્યો છે
Read More...
  international news
વિશ્વભરમાં કોરોના વાઈરસના 42.87 લાખ કેસ, અત્યાર સુધીમાં 2.88 લાખ લોકોનાં મોત
વિશ્વભરમાં કોરોના વાઈરસના 42.87 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2.88 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 1.54 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.સ્પેનની સૌથી વૃદ્ધ મહિલા (113 વર્ષ) મારિયા બ્રાયન્સ હવે સ્વસ્થ્ય છે. તેમઓ એપ્રિલ મહિનામાં અન્ય એક મહિલા સાથે સંક્રમિત થઈ ગયા હતા. બ્રાયન્સને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે ત્યારે સ્ટાફે બહાર આવીને તાલીઓથી તેમનું સ્વાગત કર્યું હતું. અહીં મરનારની સંખ્યા 40 હજારને પાર થઈ ગયો છે.
Read More...
અમેરિકામાં 83425 લોકોનાં મોત થયાં, કુલ 99.36 લાખ લોકોના ટેસ્ટ કરાયા
વિશ્વભરમાં કોરોનાના 43.42 લાખથી વધારે કેસ નોંધાય ચૂક્યા છે. અત્યાર સુધીમાં 2.93 લોકોએ જીવ ગુમાવ્યા છે. 16 લાખથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 14 લાખ 8 હજારથી વધારે કેસ નોંધાયા છે. જેમાં 83 હજાર 425 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં 99.36 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. 2.97 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
Read More...
ન્યુઝિલેન્ડ, જર્મની, બેલ્જિયમમાં ચાર સ્વજનોને ભેગા થવાની છૂટઃ યુરોપમાં લૉકડાઉન હળવું
કોરોનાએ આરોગ્ય સાથે સામાજિક સમસ્યાઓ પણ ઉભી કરી છે. પરિવારજનો, સગાં-વ્હાલાં-સ્વજનો વિખુટા પડી ગયા છે. કોઈના મૃત્યુ જેવા પ્રસંગોમાં પણ પરિવારજનો જઈ શકતા નથી. પરિણામે સામાજીક ખાઈ મોટી થતી જાય છે. તેની સામે કેટલાક દેશોએ સોશિયલ ગેધરિંગની રણનીતિ અપનાવી છે. બેલ્જિયમ, ન્યુઝિલેન્ડ, જર્મની જેવા દેશોએ ચાર વ્યક્તિ સુધી ભેગા થવાની છૂટ આપી છે.
Read More...
 


THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

20 લાખ કરોડના વિશેષ આર્થિક પેકેજની જાહે૨ાત ક૨તા નાણાંપ્રધાન નિર્મલા સિતા૨ામન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા 20 લાખ કરોડ રૂપિયાના કોવિડ-19ના રાહત પેકેજનું સંપૂર્ણ બ્રેકઅપ આપવા નાણાં મંત્રી નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફોરન્સ શરૂ થઈ છે. ત્યારે વિશેષ આર્થિક પેકેજની જાહેરાત ક૨તા નાણાંમત્રી નિર્મલા સિતારામન. નાના ઉદ્યોગોને જામીન વગ૨ લોન : ૧૨ મહિના સુધી હપ્તા નહીં ભ૨વા પડે, ૪ વર્ષ સુધી લોનની મુદ્દત : કુલ ૩ લાખ કરોડની લોન અપાશે : ૨પ કરોડ સુધીની લોન લઈ શકાશે , ૧૦૦ કરોડ સુધીના ટર્નઓવ૨ ધરાવતા એકમોને લાભ મળશે. Read More...

ભારતમાં કોરોના વાયરસના 74281 કેસ, 2415 લોકોના મોત
કોરોના વાયરસના મામલામાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 3500થી વધારે કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસથી સંક્રમીત લોકોનો આંકડો વધીને 74281 સુધી પહોંચી ગયો છે.
Read More...

વંદે ભારત મિશન અંતર્ગત 8503 ભારતીયો 43 ફ્લાઇટમાં વિદેશથી વતન પરત ફર્યા
વંદે ભારત મિશન અંતર્ગત 7 મે 2020થી અત્યાર સુધીમાં 6 દિવસમાં 8503 ભારતીયો એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની ભારત આવતી 43 ફ્લાઇટ્સમા સ્વદેશ પરત આવ્યા છે. ભારત સરકારે 7 મે 2020ના રોજ વંદે મિશનની શરૂઆત કરી છે
Read More...
  Gujarat News
ગુજરાત પણ ખાસ ‘પેકેજ’ આપશે લોકડાઉન હળવુ થશે: મુખ્યપ્રધાન રૂપાણી
દેશમાં લોકડાઉન-3 ના અંત અને ચોથા તબકકાનું લોકડાઉન આવી શકે છે તે હવે લોકડાઉનથી જે આર્થિક અસર થઈ છે તેમાં રાહત મળે તે માટે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ માટે રૂા.20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે અને આજથી તેના પર રોજ-બરોજ નાણામંત્રી નિર્મલા સીતારામન જાહેરાત કરશે તે વચ્ચે હવે ગુજરાત સરકાર પણ રાજયનાં લોકો માટે કોઈ ખાસ રાહત પેકેજ જાહેર કરે તેવા સંકેત છે.
Read More...
ગુજરાત કોરોનાના મૃતકોની ઓટોપ્સી શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે કોરોના વાયરસને કારણે મૃત્યુ પામેલા મૃતકોની ઓટોપ્સી કરવાના અત્યંત વિચિત્ર નિર્ણયનો અમલ પણ શરૃ કરાવી દીધો છે. કોરોનાથી મૃત્યુ પામેલા ૫૦ વર્ષીય મહિલાની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓટોપ્સી કરવામાં આવી હતી.
Read More...
એક માત્ર બાકાત રહેલા અમરેલી જિલ્લામાં કેસ નોંધાતા હવે સમગ્ર ગુજરાત કોરોનાની ઝપેટમાં
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,904 કેસ નોંધાયા છે. તેની સાથે સાથે 3,246 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. છેલ્લા 24 કલાકમાં 3066 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે 2,978 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમ કુલ 88 ટેસ્ટ વધુ થયા છે અને 11 મે કરતા 20 કેસ વધુ પણ આવ્યા છે.

Read More...
લોકડાઉન દરમિયાન પગાર ચૂકવણી અને છટણી પર રોક લગાવવાનો મુદ્દો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો
ગુજરાતમાં લોકડાઉન સમયમાં પણ કામદારો-કર્મચારીઓને પગાર-ચુકવવા અને છુટા નહિં કરવાના ગુજરાત સરકારનાં આદેશ સાથે ગુજરાતનાં ઔદ્યોગીક ફેડરેશને સુપ્રિમ કોર્ટમા ઘા નાખી છે. તે દ્રષ્ટાંત સહિત જણાવ્યું હતું કે સરકાર જો કામદારોને રાહત આપવા માંગતી હોય તો તેણે બ્રિટન ફોર્મ્યુલા દ્વારા કામદારોને સીધુ પેકેજ ઓફર કરવુ જોઈએ.

Read More...
 
સંસ્થા સમાચાર   અવસાન નોંધ
 
gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store