Vol. 3 No. 307 About   |   Contact   |   Advertise September 28, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
લેસ્ટરની હિંસા પછી ઠેરઠેર શાંતિ ડહોળાઈ, હવે સ્થિતિ થાળે પડી

લેસ્ટરમાં તા. 28મી ઓગસ્ટના રોજ રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ બાદ કાઢવામાં આવેલા વિજય સરઘસ પછી લેસ્ટરમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના જૂથો વચ્ચે થયેલી અથડામણો અને લેસ્ટર, બર્મિંગહામ, નોટીંગહામ અને કોવેન્ટ્રીના હિન્દુ મંદિરો સામે કેટલાક ઇસ્લામીસ્ટ કટ્ટરવાદીઓ દ્વારા કરાયેલા ઉગ્ર વિરોધ બાદ સમગ્ર યુકેની શાંતિ ડહોળાઇ ગઇ હતી. બન્ને સમુદાયના લોકોમાં અનેક પ્રકારની શંકા-કુશંકાઓ અને અફવાઓ ફેલાયા બાદ હવે સ્થિતી થાળે પડી રહી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોઇ નવા વિરોધ પ્રદર્શન થયા નથી.

Read More...
વિક્રમ દોરાઈસ્વામીએ યુકેમાં ભારતીય હાઈ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો

યુકેમાં ભારતના નવા હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી શુક્રવારે તા. 23ના રોજ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો અને પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા અને આંબેડકર મ્યુઝિયમમાં શ્રદ્ધાંજલિ

Read More...
લેસ્ટરમાં હિંદુ-મુસ્લિમો વચ્ચેના તોફાનો બાદ એશિયન નેતાઓની સૌને સાથે રહેવા વિનંતી

લેસ્ટરમાં વસતા હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે તોફાનો ફાટી નીકળ્યા બાદ એશિયન નેતાઓ, સાંસદો, ધાર્મિક અને નાગરિક નેતાઓ હિંદુ અને મુસ્લિમોને સાથે ઊભા રહેવા વિનંતી કરી હિંસા અને ખોટી માહિતી

Read More...
કેનેડામાં હવે ભારતીયો વિરૂદ્ધ હેટ ક્રાઈમમાં ઉછાળો

કેનેડામાં હેટ ક્રાઈમ, વંશીય હિંસા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ – ઘટનાઓમાં વધારો થયો છે. આ સંજોગોમાં હાલમાં ત્યાં વસતા ભારતીય નાગરિકો તથા વિદ્યાર્થીઓને સાવધ રહેવા સલાહ અપાયાનું ભારતના

Read More...
આર્થિક પછાત વર્ગના ક્વોટાથી SC, STના હક છીનવાતા નથીઃ કેન્દ્ર

ભારતની સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે સવર્ણોમાં આર્થિક પછાત વર્ગ (EWS)ને સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા અનામતની જગ્યાએ સ્કોલશીપ જેવા વિવિધ સકારાત્મક પગલાં

Read More...
ભારતમાં પ્રાથમિક શિક્ષણ, મહિલા સશક્તિકરણ માટે લાઇફ ગ્લોબલે પાંચ લાખ ડોલર એકત્ર કર્યા

ભારતની લાઇફ ગ્લોબલ અને લાઇફ ગ્લોબલ યુએસએ નામની સેવાભાવી સંસ્થાએ 18 સપ્ટેમ્બરે તેની પાંચમી એનિવર્સરી નિમિત્તે ન્યૂજર્સીમાં એક ભવ્ય સમારંભમાં અડધા મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કર્યું હતું.

Read More...
ગુજરાતના રમખાણકેસમાં તિસ્તા, બે માજી પોલીસ અધિકારીઓ સામે ચાર્જશીટ

ગુજરાતના રમખાણો પછી રાજ્યને બદનામ કરવાના અને નિર્દોષ લોકોને ફસાવી દેવાના કેસમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ)એ બુધવારે સીટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ સંસ્થાના સેક્રેટરી તિસ્તા શેતલવાડ

Read More...
કતાર એરવેઝ 2022ની વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન્સ, વિસ્તારા 20મા ક્રમે

સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરલાઇન એવોર્ડ 2022 માં કતાર એવરેઝને વિક્રમજનક સતત સાતમી વખત વિશ્વની શ્રેષ્ઠ એરલાઇનનો એવોર્ડ મળ્યો છે, જ્યારે સિંગાપોર એરલાઇન્સ અને એમિરેટ્સ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને

Read More...
કોંગ્રેસમાં 24 વર્ષ પછી ગાંધી પરિવાર સિવાયના નેતા અધ્યક્ષ બનશે

રાહુલ ગાંધી ચૂંટણી લડવાના ન હોવાથી કોંગ્રેસની કમાન 24 વર્ષ પછી ગાંધી પરિવાર સિવાયના નેતાને મળશે તે નિશ્ચિત લાગે છે. 1998માં સીતારામ કેસરીને હટાવીને સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યાં હતા.

Read More...
વિનોદ અદાણી વિશ્વના સૌથી ધનવાન એનઆરઆઈ

ભારતના મોખરાના બિઝનેસ હાઉસ-અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના મોટાભાઇ અને બિઝનેસમેન વિનોદ શાંતિલાલ અદાણી સૌથી ધનિક વિદેશવાસી ભારતીય જાહેર થયા છે.

Read More...
મા શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિનો પ્રારંભઃ ખેલૈયાઓ થનગની ઉઠયા

મા શક્તિની આરાધનાનો તહેવાર એટલે શારદીય નવરાત્રિનો સોમવાર, 26 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે. કોરોનાના બે વર્ષ પછી કોઈ નિયંત્રણો વગર નવરાત્રીનું આયોજનની તૈયારીઓ થઈ ગઈ છે.

Read More...
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ, ચૂંટણી પંચની ટીમ રાજ્યની મુલાકાતે

ગુજરાતમાં આ વર્ષના અંત ભાગમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને અનુપ ચંદ્રાના વડપણ હેઠળની કેન્દ્રીય

Read More...
ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટિલે વહેલી ચૂંટણીના સંકેત આપ્યાં

આણંદમાં અક્ષર ફાર્મ વિદ્યાનગર ખાતે ભાજપના નવા જિલ્લા કાર્યાલય શ્રી કમલમના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે રાજ્યમાં 10થી 12 દિવસ વહેલી ચૂંટણીના સંકેત આપ્યા હતા.

Read More...

  Sports
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડને તેના ઘરઆંગણે વન-ડેમાં 3-0થી હરાવ્યું

ભારતની પીઢ ફાસ્ટ બોલર – ઓલરાઉન્ડર ઝુલન ગોસ્વામીની લાંબી કારકિર્દીની અંતિમ મેચ એકથી વધુ રીતે યાદગાર બની ગઈ હતી. ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય મહિલા ક્રિકેટ

Read More...
રોજર ફેડરરની ટેનિસને લાગણીસભર અલવિદા

ગયા સપ્તાહે લંડનમાં લેવર કપ ટેનિસના ડબલ્સના અંતિમ મુકાબલામાં પરાજય સાથે રોજર ફેડરરે ટેનિસ ખેલાડી તરીકે લાગણીસભર અલવિદા કરી હતી. સ્વિત્ઝરલેન્ડનો આ સ્ટાર ખેલાડી

Read More...
ભારતનો ટી-20 સીરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે 2-1થી વિજય

સીરીઝની પહેલી મેચમાં નબળી બોલિંગ અને કંગાળ ફિલ્ડિંગના કારણે પરાજય પછી બીજી અને ત્રીજી ટી-20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને રસાકસીભર્યા મુકાબલામાં હરાવી 9

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
યુકે-ઇન્ડિયા FTAને દિવાળી ધમાકા બનાવવાનો બંને દેશોમાં આશાવાદ

યુકે અને ભારત વચ્ચે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ)ને આખરી ઓપ આપવા માટે બંને દેશોના અધિકારીઓ તડામાર કામગીરી કરી રહ્યાં છે અને બંને દેશોને દિવાળી સુધીની મહેતલ સુધી આ મહત્ત્વકાંક્ષી સમજૂતી કરવાનો ઊંચો આશાવાદ પ્રવર્તે છે. ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશનર એલેક્સ એલિસે એક ઇવેન્ટમાં મંગળવાર 20 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે દિવાળીની ઉજવણી કરવાનો શ્રેષ્ઠ માર્ગ ભારત અને યુકે વચ્ચે સારી મુક્ત વેપાર સમજૂતી હશે. દિવાળી સુધી એફટીએ થવાની ઊંચી આશા છે. તે શુભતારીખ પણ છે. એફટીએના સંદર્ભમાં ભારત માટે દિવાળી ધમાકાની ધારણા રાખી શકાય કે નહીં તેવા પ્રશ્વનના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે હું આવી આશા રાખીશું. ભારતના વેપાર પ્રધાન પીયૂષ ગોયલે પણ નવી દિલ્હીમાં 20 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે યુકે અને ભારત એફટીએ માટે દિવાળીની ડેડલાઇન માટે ઝડપથી કામગીરી કરી રહ્યાં છે.

Read More...
રતન ટાટા, સુધા મૂર્તિ સહિતની હસ્તીઓ PM કેર્સ ફંડના ટ્રસ્ટી

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને વડાપ્રધાન મોદીએ પીએમ કેર્સ ફંડના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ કેટી થોમસ અને લોકસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડાને પણ પીએમ કેર્સ ફંડના ટ્રસ્ટી બનાવાયા છે, એમ સરકારે બુધવાર સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું. 2020ના કોરોના કેર વખતે પીએમ કેર્સ ફંડની રચના કરવામાં આવી હતી. તેના અધ્યક્ષ વડાપ્રધાન મોદી પોતે છે. અહેવાલ અનુસાર દેશના બીજા કેટલાક જાણીતા વ્યક્તિઓને પણ એડવાઈઝર ગ્રુપમાં સ્થાન અપાયું છે. જેમાં ભૂતપૂર્વ સીએજી રાજીવ મહર્ષિ, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ચેરમેન સુધા મૂર્તિ, પિરામલ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ સીઈઓ આનંદ શાહનો સમાવેશ થાય છે. મંગળવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં પીએમ કેરના ટ્રસ્ટી બોર્ડની બેઠક યોજાઈ હતી. તેમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને નાણા પ્રધાન નિર્મલા સિતારમન પણ હાજર રહ્યા હતા.

Read More...
મુનલાઇટિંગ સામે વિપ્રોનું કડક વલણ, 300 કર્મચારીની હકાલપટ્ટી

વર્ક ફ્રોમ હોમની સુવિધાને પગલે ભારતની આઇટી કંપનીઓમાં ઘણા કર્મચારીઓ મુનલાઈટિંગ કરતા હોવાની સમસ્યા ઊભી થઈ છે. મુનલાઇટિંગ એટલે નોકરીના કલાકો પૂરા થયા પછી પછી બીજી કંપનીઓ માટે કામ કરવું અને વધારાની કમાણી કરવી. મુનલાઇટિંગ અંગે હવે IT કંપનીઓ કડક બની છે અને બીજા માટે કામ કરનારા કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટી કરી રહી છે. વિપ્રોએ પણ તાજેતરમાં આ કારણથી 300 લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા છે. વિપ્રોના એક્ઝિક્યુટિવ ચેરમેન રિશદ પ્રેમજીએ બુધવારે આ વાતની જાહેરાત કરી હતી.

Read More...
રશિયાના ડિસ્કાઉન્ટેડ ક્રૂડની ખરીદીથી ભારતને રૂ.35,000 કરોડની બચત

પશ્ચિમી દેશોના વિરોધ છતાં ભારતે રશિયામાંથી ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડ ઓઇલની કરીને આશરે રૂ.35,000 કરોડની બચત કરી હોવાનો અંદાજ છે. ભારતે આ વર્ષના પ્રથમ 3 મહિનામાં રશિયા પાસેથી 6.6 લાખ ટન ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. બીજા 3 મહિનામાં તે વધીને 84.2 મિલિયન ટન થઈ ગયું. આ દરમિયાન રશિયાએ પણ પ્રતિ બેરલ 30 ડોલરનું ડિસ્કાઉન્ટ આપ્યું હતું. તેના કારણે પ્રથમ 3 મહિનામાં એક ટન ક્રૂડ ઓઈલની આયાતનો ખર્ચ લગભગ 790 ડોલર થયો હતો. ત્યારબાદ બીજા 3 મહિનામાં તે ઘટીને 740 ડોલર રહી ગઈ હતી. આમ ભારતને કુલ 3,500 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. આ સમયગાળામાં અન્ય સ્ત્રોતો પરથી આયાતનો ખર્ચ વધ્યો હતો. 2022માં રશિયામાંથી સસ્તા તેલની આયાતમાં 10 ગણો વધારો થયો છે.

Read More...
  Entertainment

વીતેલા યુગની અભિનેત્રી આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

ભારત સરકારે બોલીવુડના પીઢ ગુજરાતી અભિનેત્રી આશા પારેખને 2020 માટેનો રાષ્ટ્રીય દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવાનો નિર્ણય કર્યો છે. આ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સર્વોચ્ચ અવોર્ડ છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે મંગળવારે દિલ્હીમાં આ અંગેની જાહેરાત કરી હતી. 79 વર્ષના આશા પારેખને 68મા નેશનલ ફિલ્મ અવોર્ડ દરમિયાન દાદા સાહેબ ફાળકે અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આશા પારેખ બોલીવુડના સુવર્ણયુગ ગણાતા બ્લેક એન્ડ વાઈટ યુગથી માંડીને રંગીન ફિલ્મો સુધીના આધુનિક યુગના સાક્ષી રહ્યા છે. તેમની જાણીતી ફિલ્મોમાં કટી પતંગ, કારવા.

Read More...

આયેશા ઝુલ્કા – જુહી ચાવલાનું ડિજિટલ ડેબ્યુ

આજથી વીસેક વર્ષ અગાઉ બોલીવૂડમાં જાણીતી બનેલા કલાકારો અત્યારે ફિલ્મોમાં ઓછા જોવા મળે છે. તેઓ પોતાનું કામ આગળ વધારવા માટે નવા જમાનાના ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી રહ્યા છે. ડિજિટલ ક્ષેત્ર-વેબસીરિઝ થકી તેઓ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે અને તેમને તેમાં સારું કામ પણ મળી રહ્યું છે. માધુરી દીક્ષિત, રવિના ટંડન તથા કાજોલ સહિતની અભિનેત્રીઓ આ ક્ષેત્રમાં આવી ચુકી છે. અનેક અભિનેત્રીઓ તો એવું પણ માને છે કે, તેમના સમયમાં બનતી ચોક્કસ પ્રકારની ફોર્મ્યુલા આધારિત ફિલ્મોને કારણે તેમની અભિનય ક્ષમતાનો યોગ્ય ઉપયોગ થયો જ નથી અને હવે તેઓ વેબસીરીઝમાં પડકારરૂપ ભૂમિકાઓ ભજવીને ખુશ થઇ રહી છે.

Read More...

હવે બોબી દેઓલે નવા પ્રોજેક્ટની તૈયારી શરૂ કરી

હીમેન- ધર્મેન્દ્ર પુત્ર બોબી દેઓલ ભલે છેલ્લા એક દાયકાથી સિનેમામાં જોવા મળ્યો નથી પરંતુ તે તેની આશ્રમ-3 વેબસીરિઝથી વધુ ચર્ચામાં છે. તાજેતરમાં જ આવેલી તેની આશ્રમ-3 પણ સફળ રહી હતી. તેણે ફિલ્મ બરસાતથી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. પછી ગુપ્ત, સોલ્જર, બાદલ અને બિચ્છુ જેવી ફિલ્મોમાં તેણે કામ કર્યું હતું. જોકે, તે શરૂઆતની ફિલ્મોમાં થોડો સફળ થયો હતો પણ પછીથી તે નિષ્ફળ થતો ગયો. પ્રકાશ ઝાની આશ્રમ સીરિઝે તેને નવી ઓળખ આપી. હાલમાં આશ્રમની ત્રણેય સીરિઝ સફળ રહી છે અને હવે તેના ચાહકો આશ્રમ-4ની રાહ જોઇ રહ્યા છે અને આ તરફ બોબી તેનો નવો પ્રોજેક્ટ ‘શ્લોકઃ ધ દેશી શરલોક’ લઇને આવી રહ્યો છે.

Read More...

હવે આશિકીની ત્રીજી રીમેક બનશે

1990ના દાયકાની મ્યુઝિકલ સુપરહિટ આશિકી સિરીઝની ત્રીજી ફિલ્મ બનાવવાની જાહેરાત નિર્માતાઓ દ્વારા કરવામાં આવી છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યનને મુખ્ય ભૂમિકા ભજવવા માટે સાઇન કરવામાં આવ્યો છે. કાર્તિકની કરીઅર અત્યારે સડસડાટ રીતે આગળ વધી રહી છે. થોડા દિવસ અગાઉ જ તેની ગુજરાતી બેકગ્રાઉન્ડ ધરાવતી ફિલ્મ સત્ય પ્રેમ કી કથાનું શૂટિંગ શરૂ થયું છે. આશિકી પ્રથમવાર 1990માં બની હતી. મહેશ ભટ્ટનાં દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મના મુખ્ય કલાકારો રાહુલ રોય અને અનુ અગ્રવાલ હતા, આ તદ્દન નબળી ફિલ્મનું મ્યુઝિક સુપરહિટ થયું હતું અને તેનાથી નદીમ-શ્રવણ સંગીતકાર તરીકે તથા કુમાર શાનુ ગાયક તરીકે ખૂબ જ લોકપ્રિય બની ગયા હતા.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store