Vol. 3 No. 352 About   |   Contact   |   Advertise September 8, 2023


 
 
‘સબકા સાથ, સબકા વિકાસ’ વિશ્વનો માર્ગદર્શક મંત્ર બની શકેઃ મોદી

સમગ્ર વિશ્વના દેશોએ આજે “જીડીપી કેન્દ્રી અભિગમ” બદલીને “માનવ કેન્દ્રી અભિગમ” અપનાવવાની જરૂર છે અને તેમનું “સબ કા સાથ, સબ કા વિકાસ” મોડલ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે માર્ગદર્શક મંત્ર બની રહેવાની ક્ષમતા ધરાવે છે, એમ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. આ સપ્તાહના અંતે ભારતની રાજધાની નવી દિલ્હીમાં જી-20 શિખર સંમેલનમાં તેઓ વિશ્વ નેતાઓના યજમાન બનવાના છે તેના ગણતરીના દિવસો અગાઉ નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસ સ્થાને ન્યૂજ એજન્સી પીટીઆઈને આપેલા એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કોઈપણ દેશની જીડીપીનું કદ ગમે તેટલું -મોટું હોય કે નાનુ – હોય, દરેક માનવીનો અવાજ મહત્ત્વનો છે.

Read More...
ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L1નું શ્રીહરિકોટાથી સફળ લોન્ચિંગ

ચંદ્રયાન-3ની ઐતિહાસિક સફળતા પછી હવે ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા શ્રીહરિકોટાથી સૂર્ય મિશન આદિત્ય એલ-1નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. હવે ઇસરો સૂર્યનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહ્યું છે.

Read More...
રાણી કેમિલાએ ભારતીય બ્રિટિશર જાસૂસ નૂર ઇનાયતના પોટ્રેટનું અનાવરણ કર્યું

બ્રિટનની રાણી કેમિલાએ ભારતીય બ્રિટિશર જાસૂસ અને ટીપુ સુલતાનના વંશજ નૂર ઇનાયત ખાનના નવા પોટ્રેટનું અહીં લંડનમાં રોયલ એર ફોર્સ (RAF) ક્લબમાં અનાવરણ કર્યું હતું.

Read More...
સુનક ભારતના હજારો વિદ્યાર્થીઓને વિઝા આપશે તેવા ભયથી ટોરી પક્ષમાં બળવો

ભારત અને યુકે વચ્ચે આગામી સપ્તાહોમાં થઇ રહેલા બમ્પર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને પગલે ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનક ભારતના હજારો વિદ્યાર્થીઓને વિઝા આપશે તેવા ભયના કારણે ટોરી પક્ષમાં તેમની સામે બળવો થયો છે.

Read More...
NHS દ્વારા ઇન્જેક્શન આપી 7 મિનિટમાં કેન્સરની સારવાર કરાશે

નેશનલ હેલ્થ સર્વિસ (NHS) દ્વારા કેન્સરના દર્દીઓનો ઉપચાર એક ઈન્જેક્શન આપીને માત્ર સાત મિનિટમાં કરવામાં આવશે. બ્રિટનની મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ રેગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ) દ્વારા

Read More...
શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ

શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી દ્વારા 30 ઓગસ્ટ 2023ના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે મંદિર દ્વારા શહેરીજનોને મુખ્ય સેવાઓ આપતા લંડન ફાયર બ્રિગેડ, લંડન એમ્બ્યુલન્સ, મેટ્રોપોલિટન પોલીસ સર્વિસ, ઢિફેન્સ મિનીસ્ટ્રી,

Read More...
ભારત અવકાશ કાર્યક્રમમાં મદદનો ‘બગાડ’ કરતું નથી: વિક્રમ દોરાઈસ્વામી

ભારતના ત્રીજા મૂન મિશન ચંદ્રયાન-3નું ગયા મહિને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ બાદ ભારતના યુકે સ્થિત હાઇ કમિશ્નર શ્રી વિક્રમ દોરાઈસ્વામીએ લંડનથી પ્રસિધ્ધ થતા ડેઇલી ટેલિગ્રાઇ દૈનિકમાં કોલમ લખતાં

Read More...
બર્લિનમાં જર્મનીના સૌથી મોટા હિન્દુ-ગણપતિ મંદિરનું દિવાળીએ લોકર્પણ

બર્લિનમાં જર્મનીના સૌથી મોટા હિન્દુ – ગણપતિ મંદિરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણતાના આરે છે. 70 વર્ષના વિલ્વનાથ કૃષ્ણમૂર્તિની 20 વર્ષની મહેનત પછી આ મંદિર સાકાર થઈ રહ્યું છે.

Read More...
મોદી સરકારે સંસદનું “વિશેષ સત્ર” બોલાવ્યું

મોદી સરકારે 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન “સંસદનું વિશેષ સત્ર” બોલાવાની સૌને ચોંકાવી દીધા હતા. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા “સંસદના વિશેષ સત્ર”માં પાંચ બેઠકો હશે.

Read More...
સાળંગપુર મંદિર વિવાદમાં સમાધાનઃવિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી લેવાયા

બોટાદ નજીકના સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે દર્શાવતા ભીંતચિત્રોના વિવાદનો ગત સોમવારે અંત આવ્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તક્ષેપ બાદ વડતાલ

Read More...

  Sports
હોકી ફાઈવ્સ એશિયા કપમાં ભારતને બન્ને ગોલ્ડ

ઓમાનમાં ગયા સપ્તાહે રમાઈ ગયેલી પાંચ ખેલાડીઓની ટીમની એશિયા કપ હોકીમાં – તે હોકી ફાઈવ્સ તરીકે ઓળખાય છે – ભારતે પુરૂષો અને મહિલાઓ, બન્ને વિભાગમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા.

Read More...
ભારતની વર્લ્ડ કપ ટીમમાં સૂર્યકુમાર, કુલદીપ, ઈશાન કિશનનો સમાવેશ

ભારતની વન-ડે વર્લ્ડ કપ માટેની ટીમની જાહેરાત પસંદગીકારોએ મંગળવારે કરી હતી, જેમાં સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, ઈશાન કિશન અને કે. એલ. રાહુલનો સમાવેશ કરાયો છે, તો નવા ઉભરતા બેટર તિલક વર્માને તક નથી મળી.

Read More...
યુએસ ઓપનમાં સ્વીઆટેકનો અપસેટ પરાજય

યુએસ ઓપન મહિલા સિંગલ્સમાં ઈગા સ્વીઆટેકનો ચોથા રાઉન્ડમાં ચોંકાવનારો પરાજય થયો હતો અને એ સાથે 75 સપ્તાહ સુધી વિશ્વમાં નં. 1 ક્રમ જાળી રાખ્યા પછી હવે સ્વીઆટેક એ સ્થાન પણ ગુમાવે તેવી શક્યતા છે.

Read More...
ભારતનો એશિયા કપમાં નેપાળ સામે 10 વિકેટે વિજય

શ્રીલંકામાં એશિયા કપની બીજી મેચમાં ભારતે સોમવારે (4 સપ્ટેમ્બર) નેપાળ સામે 10 વિકેટે વિજય સાથે સુપર ફોરના રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ડિજિટલ પેમેન્ટમાં ભારતની હરણફાળ, એક મહિના 10 બિલિયન UPI ટ્રાન્ઝેક્શન

ભારતમાં ડિજિટલ પેમેન્ટની લોકપ્રિયતામાં કુદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટમાં પ્રથમ વખત રૂ. 15,700 બિલિયનથી વધુના 10 બિલિયન UPI ટ્રાન્ઝેક્શન થયાં હતાં, જે એક રિકોર્ડ છે. છેલ્લા સાત વર્ષમાં ભારતની ડિજિટલ સફરમાં આ એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડેટા પ્રમાણે ઓગસ્ટમાં 135 કરોડ લોકોના દેશમાં, UPI દ્વારા એક મહિનામાં કુલ 10.58 બિલિયન વ્યવહારો ડિજિટલ રીતે કરવામાં આવ્યા હતાં, જેનું મૂલ્ય રૂ. 15,760 બિલિયન ($183 બિલિયનથી વધુ) હતું. ઓગસ્ટની ગણતરીમાં હજુ એક દિવસ ઉમેરવાનો બાકી હતો.

Read More...
ગુજરાતમાં એક વર્ષમાં કરોડપતિઓની સંખ્યામાં 50% ઉછાળો

ભારતમાં બીજા રાજ્યોની તુલનામાં આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા ગુજરાતમાં કરોડપતિઓની સંખ્યા વધતી જાય છે. ઈન્કમ ટેક્સની ચુકવણીના ડેટા દર્શાવે છે કે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં કરોડપતિ કરદાતાઓ વધ્યાં છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના ડેટા મુજબ વર્ષ 2022-23માં ગુજરાતમાં કરોડપતિ કરદાતાની સંખ્યા 49 ટકા વધી છે. એક નાણાકીય વર્ષમાં જેમની કરપાત્ર આવક એક કરોડ કરતા વધુ હોય તેમને કરોડપતિ કરદાતાની કેટેગરીમાં મુકવામાં આવે છે.

Read More...
હિન્ડનબર્ગ પછી OCRPના અદાણી ગ્રુપ સામે ગંભીર આક્ષેપો

હિન્ડનબર્ગ રિસર્ચે આપેલો આંચકો ઓછો હોય તેમ હવે જ્યોર્જ સોરોસ દ્વારા ફંડેડ ઓર્ગેનાઇઝેશન OCCRPએ અદાણી ગ્રૂપ સામે વધુ ગંભીર આક્ષેપો કરાયાં હતાં. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCRP)એ ગુરુવારે આરોપ મૂક્યો હતો કે મોરેશિયસ સ્થિત “અપારદર્શક” ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સે અદાણી ગ્રૂપના શેરોમાં લાખ્ખો ડોલરનું રોકાણ કર્યું હતું. આ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ પ્રમોટર્સ ફેમિલીના કથિત ભાગીદારો છે. જોકે અદાણી ગ્રૂપે આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા.

Read More...
યેલેન ભારતમાં G20 સમીટમાં હાજર રહેશે

અમેરિકાના નાણાપ્રધાન જેનેટ યેલેન 7-10 સપ્ટેમ્બર દરમિયાન જી20 લીડર્સ સમિટમાં ભાગ લેવા નવી દિલ્હી જશે. છેલ્લાં 10 મહિનામાં તેમની આ ચોથી ભારત મુલાકાત કરશે, ટ્રેઝરી વિભાગે ગુરુવારે જણાવ્યું હતું. યેલેન સમિટમાં વૈશ્વિક અર્થતંત્રને મજબૂત કરવા તથા નીચી અને મધ્યમ આવક ધરાવતી દેશોને સપોર્ટ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરશે. તેઓ દેવાના પુનર્ગઠન, મલ્ટિલેટર ડેવલપમેન્ટ બેન્કના વિકાસ તથા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ટ્રસ્ટ ફંડના નાણાના ઉપયોગ અંગે ચર્ચાવિચારણા કરશે.

Read More...
  Entertainment

બોલીવૂડમાં ભાઇ-બહેનો વચ્ચે મજબૂત બોન્ડિંગ

બોલીવૂડમાં કાર્યરત અનેક કલાકારોનું તેમના ભાઇ-બહેન સાથેનું જોડાણ ખૂબ જ મજબૂત છે. તાજેતરમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી વખતે ઘણા અભિનેતા-અભિનેત્રીઓએ તેમના ભાઇ-બહેન સાથેના સંસ્મરણોને વાગોળ્યા. અનુષ્કા શર્મા-કર્ણેશ શર્મા અનુષ્કા શર્મા તેના ભાઈ કર્ણેશની ખૂબ નજીક છે. તેઓ પ્રોફેશનલી પણ એકબીજા સાથે ટીમ બનાવીને કામ કરે છે. તેમણે મળીને NH-10 જેવી સુપરહિટ ફિલ્મ બનાવી છે. રક્ષાબંધન અંગે પોતાના બાળપણની યાદગારી જણાવતા અનુષ્કાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,

Read More...

શાહરૂખની ‘જવાન’ ફિલ્મ વિશ્વના સૌથી મોટા પડદે દર્શાવાશે

શાહરૂખ ખાનની નવી ફિલ્‍મ જવાન ટૂંક સમયમાં રીલીઝ થઇ રહી છે. પરંતુ દર્શકોમાં પહેલાથી જ તેના માટે ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્‍મનું એડવાન્‍સ બુકિંગ શરૂ થઈ ગયું છે. અમેરિકામાં એડવાન્સ બુકિંગની ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. શાહરૂખ ખાન-નયનતારા અભિનિત ફિલ્‍મના રિલીઝ થયેલા ગીતો અને પ્રીવ્‍યુ-પોસ્‍ટર્સ જોયા પછી ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાહરૂખ ખાનની આ વર્ષની બીજી રિલીઝ ફિલ્‍મ છે. હવે જો સૂત્રોની વાત માનીએ તો શાહરૂખ ખાનની આ ફિલ્‍મ વિશ્વના સૌથી મોટા પડદે રિલીઝ થશે. કેટલાક અખબારી રીપોર્ટમાં જણાવ્યા મુજબ, શાહરૂખ ખાનની આ ફિલ્‍મ 7 સપ્‍ટેમ્‍બરે જર્મનીમાં વિશ્વની સૌથી મોટી સિનેમા સ્‍ક્રીન પર દર્શાવવામાં આવશે.

Read More...

અમીષાની નવી સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ

અમીષા પટેલ અત્યારે તેની નવી ફિલ્મ ગદર 2ની અભૂતપૂર્વ સફળતાની ઉજવણી કરી રહી છે. હવે તેની આવનારી ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ ગયું છે. સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મ ‘મિસ્ટ્રી ઓફ ટેટૂ’ ના ટ્રેલરમાં અમીષા પટેલની સાથે અર્જુન રામપાલ, ડેઝી શાહ પણ મહત્વના પાત્રમાં છે. ‘મિસ્ટ્રી ઓફ ટેટૂ’ ફિલ્મમાં એક મર્ડર મિસ્ટ્રી ઉકેલવાનો પ્રયત્ન થતો જોવા મળી રહ્યો છે, જેની કડી એક ટેટૂ સાથે જોડાય છે. આ ફિલ્ના ટ્રેલરના પ્રથમ દૃશ્યમાં લંડન પોલીસ જોવા મળે છે. પછી મર્ડર મિસ્ટ્રી વિશે જણાવવામાં આવે છે, જ્યાં કિલર લોકોની હત્યા કર્યા પછી તેમના શરીર પર ટેટૂ બનાવીને જાય છે.

Read More...

મૂવી રિવ્યૂ: ગદર 2

સન્ની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ‘ગદર’ રિલીઝ થયાના 22 વર્ષ પછી તેની સીક્વલ રીલીઝ થઇ છે. ફિલ્મના એક સીનમાં પાકિસ્તાની જનરલ તારા સિંહના પુત્રને કેદ કરીને તેને પડકારે છે. હવે આ સીક્વલ ફિલ્મમાં ઘણું નવું છે. ‘ગદર’ની કથા 1947ના ભારત-પાકિસ્તાનના વિભાજનની પૃષ્ઠભૂમિ પર આધારિત હતી. જ્યારે ‘ગદર 2’ની વાર્તા 1971માં ભારત-પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થયું એ પહેલાની છે. ગત ફિલ્મમાં તારા સિંહ મુસીબતોનો સામનો કરીને પત્ની સકીનાને પાકિસ્તાનથી પાછી લાવ્યો હતો. ‘ગદર 2’ની વાર્તાની વાત કરીએ તો, તારા સિંહ (સન્ની દેઓલ) અને સકીના (અમિષા પટેલ) ભારત પાછા આવીને ખુશીથી જિંદગી વિતાવી રહ્યા હોય છે. તેમનો દીકરો ચરણજીત ઉર્ફે જીતે (ઉત્કર્ષ શર્મા) હવે મોટો થઈ ગયો છે. બીજી તરફ પાકિસ્તાનમાં મેજર જનરલ હામિદ ઈકબાલ (મનીષ વાધવા)માં બદલો લેવાની આગ ભભૂકે છે,

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store