Vol. 3 No. 196 About   |   Contact   |   Advertise 16th April 2020


‘ ’
 
 
  news :       ગરવી ગુજરાત વિશેષ
કોરોનાગ્રસ્ત બ્રિટિશ એશિયન્સ પર સરકાર ખાસ ધ્યાન આપે

નિષ્ણાંતોએ સરકારને ચેતવણી આપી છે કે બ્રિટિશ એશિયન્સ કોરોનાના ચેપનો મોટા પાયે ભોગ બની રહ્યા છે ત્યારે સરકારે તેમની સ્થિતિ વિષે ખાસ ધ્યાન આપવું જરૂરી છે. કોરોના વાઈરસના કારણે આઇસીયુમાં સારવાર લઇ રહેલા ત્રીજા ભાગના દર્દીઓ એશિયન અને બ્લેક સમુદાયના છે અને મૃત્યુ પામેલા 19 NHS મેડિક્સમાંથી 10 પણ એશિયન અને બ્લેક સમુદાયના છે. બ્રિટિશ મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડો. ચાંદ નાગપૌલે સરકારને વિનંતી કરી છે કે તે ચેપગ્રસ્ત BAME જૂથોના જાનહાનિના આંકડા પાછળના તર્કની તપાસ કરે, કારણ કે BAME લોકો અને ડોકટરોમાં ચેપની અસર અપ્રમાણસર અને ગંભીર છે.
Read More...
કોરોનાઃ અમેરિકામાં આખરે ઇમરજન્સી જાહેર
અમેરિકામા કોરોના વાઇરસનો રોગચાળો એટલો વ્યાપક બન્યો છે કે એકલા ન્યૂયોર્ક શહેરમાં જ ચીન અને બ્રિટનમાં છે તેના કરતાં વધારે દર્દીઓ અને મૃત્યુ આંક છે. મંગળવારે બપોર સુધીના આંકડાઓ મુજબ એકલા ન્યૂ યોર્કમાં 1,96,000 થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ અને 10,000થી વધુના મોત નોંધાયા હતા.
Read More...
ભારતમાં લોકડાઉન 3 મે સુધી લંબાવાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 14 એપ્રિલે દેશમાં 21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે રાષ્ટ્રને સંબોધન કરતા દેશના તમામ લોકોનો કોરોના વિરુદ્ધના જંગમાં સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કેટલાક લોકોને જમવાની તકલીફ પડી છે તો કેટલાકને બહાર જવાની મુશ્કેલી પડી છે.
Read More...
કોરોનાના કેરમાં અંતિમ વિધિ પણ મુશ્કેલ
કોરોના વાઈરસે બ્રિટન સહિત દુનિયામાં કાળો કેર વરતાવ્યો છે. યુકેમાં તો સ્થિતિ એ છે કે આપણા માતા-પિતા કે ભાઇ બહેનનું કોઈપણ કારણે મરણ થાય તો સગા દિકરાઓ કે ભાઇઓ તેમની અર્થીને કાંધ પણ આપી શકતા નથી. સૌની લાચારી એટલી બધી છે કે આપણા સ્વજનના મુખમાં છેલ્લી વખત પરંપરા મુજબ ગંગાજળનુ આચમન પણ કરાવી શકતા નથી કે તેમના અંતિમ દર્શન પણ કરી શકતા નથી. Read More...
યુરોપમાં મૃત્યુંઆંક 75,000ને પારઃ સૌથી વધુ ઇટાલીમાં નોંધાયા
વિશ્વમાં ખ્રિસ્તીઓના તહેવાર ઈસ્ટર પ્રસંગે પોપે પણ કોરોના સામેની લડતમાં લોકોને ઘરોમાં જ રહવેની ભલામણ કરતાં ઈસ્ટરના રવિવારની ઊજવણી ઝાંખી પડી છે. આવા સમયે યુરોપમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૭૫,૦૦૦ને પણ વટાવી ગયો છે. અમેરિકામાં પણ વધુ એક દિવસ ૨૪ કલાકમાં ૧૯૦૦થી વધુનાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૨૧,૪૦૭ થયો છે.
Read More...
ન્યૂ યોર્કમાં કોરોનાના મૃતકોના મૃતદેહો મેળવવા લશ્કર કામે લાગ્યું
નાયગ્રા ધોધની નજીક આવેલા નગરમાં કાઉન્સિલર તરીકે સેવા આપવા ઉપરાંત પ્રાંતિય સરકાર માટે કામ કરતા શોન લેવિન તેમના બે સંતાનો સાથે શાંતિપૂર્ણ પારિવારિક જીવન વિતાવતા હોય છે.
Read More...
અમેરિકામાં કોરોનાને કારણે 40થી વધુ ભારતીયોના મૃત્યુ
અમેરિકામાં કોરોના વાઇરસને કારણે 40થી વધુ ભારતીય અમેરિકન અને ભારતીય નાગરિકોના મૃત્યુ થયા છે, તો 1500થી વધુ મૂળ ભારતીયો ચેપગ્રસ્ત થયા છે. અમેરિકામાં કોરોના વાઈરસનો રોગચાળો વધતા ભારતીય સમુદાયના અગ્રણીઓએ આ અંગે માહિતી આપી હતી.
Read More...
બે ગુજરાતી અમેરિકન ભાઇઓએ 3.4 મિલિયનની કોરોના વિરોધી દવા ડોનેટ કરી
અમેરિકામાં સખાવતી કાર્યોમાં અગ્રેસર રહેતા બિલિયોનેર ચિરાગ અને ચિન્ટુ પટેલે કોરોના સામે લડવા માટે જરૂરી હાઇડ્રોક્સીક્લોરોક્વીન સલ્ફેટ ટેબલેટ્સની દવાનો માતબર જથ્થો ડોનેટ કર્યો છે. તેઓ તેમના વિવિધ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં આ મહિનામાં અંદાજે 20 મિલિયન ટેબ્લેટ્સનું ઉત્પાદન કરે તેવો અંદાજ છે.
Read More...
બર્મિંગહામ સહિત સમગ્ર યુકેમાં બીએપીએસ દ્વારા સમાજની સેવાની પહેલ
યુકેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)એ વૈશ્વિક કોરોનાવાયરસ રોગચાળા સામે લડવા અને રોગનો ભોગ બનેલા તેમજ આઇસોલેશન ભોગવતા લોકો અને સ્થાનિક સમુદાયોને ટેકો આપવા માટે લંડન, બર્મિંગહામ સહિત દેશવ્યાપી કોમ્યુનિટી કેર પ્રોગ્રામ શરૂ કર્યો છે.અનિશ્ચિતતાનો આ સમય વિશ્વભરમાં અભૂતપૂર્વ પડકાર અને અશાંતિ લાવ્યો છે ત્યારે બીએપીએસના આધ્યાત્મિક નેતા અને પવિત્ર મહંત સ્વામી મહારાજે તમામ સ્વયંસેવકોને તેમનો ધર્મ (ફરજ) બજાવવા સેવા કાર્યો માટે હાકલ કરી છે.
Read More...
સમતુલાની જાળવણી
જીવન એ સમતુલન છે. તમે જીવન તરીકે જે કાંઇ જુઓ છો તમે તમારા આપથકી જે કાંઇ જુઓ છો તે જ્યાં સુધી સમતુલનમાં છે ત્યાં સુધી સુંદર છે. તમારું શરીર, તમારા વિચારો, તમારી લાગણીઓ કે તમારી પ્રવૃત્તિ જ્યાં સુધી સમતુલા જાળવે છે ત્યાં સુધી સુંદર છે.સમતુલનમાં બેસવું, સમતુલા જાળવીને ઊભા રહેવું કે ચાલવું એ સર્વોચ્ચ સમતુલન છે. માત્ર બે પગથી તમે જે રીતે ચાલો છો તેમાં કેટલું સમતુલન જોઇએ તે તમે જાણો છો ખરા? જ્યારે તમે ચાલો છો ત્યારે તમારી જાતને સમતુલિત રાખવા કેટલી બધા બાબતો સંકળાયેલી છે
Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business

ફોર્બ્સની યાદીમાં એમેઝોનના બેઝોસ ટોચ પર, મુકેશ અંબાણી 17મા સ્થાને

બિઝનેસ મેગેઝિન ફોર્બ્સે વિશ્વના ધનવાનોની યાદી પ્રસિદ્ધ કરી છે. જેમાં સતત ત્રીજા વર્ષે એમેઝોનના જેફ બેઝોસ પ્રથમ નંબરે રહ્યા હતા. જેફ બેઝોસની સંપત્તિ ૧૧૩ બિલિયન ડોલર આંકવામાં આવી હતી. કોરોનાના કારણે ઘણાં ધનવાનોની સંપત્તિમાં ઘટાડો થયો છે. એ કારણે ૨૬૭ લોકો યાદીમાંથી બહાર થઈ ગયા છે. ફોર્બ્સની ધનવાનોની યાદીમાં જેફ બેઝોસે ૧૧૩ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ટોચનો ક્રમ જાળવી રાખ્યો છે. છૂટાછેડાના ભાગરૂપે જેફ બેઝોસે પૂર્વ પત્ની મેકેન્ઝી બેઝોસને જે સંપત્તિ આપી હતી તેના કારણે મેકેન્ઝી પહેલી વખત ફોર્બ્સની યાદીમાં ૨૨મા ક્રમે રહી હતી.૯.૮ બિલિયન ડોલરની સંપત્તિ સાથે બિલ ગેટ્સ બીજા ક્રમે રહ્યા હતા. બરનાર્ડ આર્લોન્ડ ત્રીજા ક્રમે પહોંચી ગયા હતા. વોરેન બફેટ ત્રીજા ક્રમેથી ચોથા ક્રમે ખસેડાયા હતા.
Read More...

ટ્વીટરના સીઇઓ જેક ડોર્સીનું કોરોના સામેના જંગ માટે એક બિલિયન ડોલરનું દાન
ટ્વીટરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેક ડોર્સીએ કોરોના વાઇરસના રોગચાળા સામેના જંગ માટે એક બિલિયન ડોલરનું દાન આપ્યું છે. જેક ડોર્સીની 3.9 બિલિયન ડોલરની નેટવર્થ છે, આ દાન તેની કુલ સંપત્તિના 28 ટકા છે. ટ્વીટરના સહસ્થાપકે જણાવ્યું હતું કે, તાત્કાલિક જરૂરિયાત વધી રહી હોવાથી આ દાન કર્યું છે. જીવન ઘણું ઓછું છે, તેથી લોકોને મદદ કરવા આજે ઘણું કરીએ.’ એક અહેવાલ પ્રમાણે કોઇ વ્યક્તિ દ્વારા વિશ્વભરમાં કોરોના સામે લડવા માટે આપવામાં આવેલું આ સૌથી મોટું દાન છે.જેફ બેઝોસનો સમાવેશ વિશ્વના ટોચના સૌથી ધનિકોમાં થાય છે. તેમણે અમેરિકન ફૂડ બેંકને 100 મિલિયન ડોલરનું દાન આપ્યું છે.
Read More...

લોકડાઉનના કારણે ભારતને રૂ. 8 લાખકરોડનું નુક્સાન
ભારતમાં કોરોના સામેની લડાઈનો અને તેને લઈને કરવામાં આવેલ લોકડાઉનનો પ્રથમ તબક્કો આજે એટલે કે 14 એપ્રિલના રોજ સમાપ્ત થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે તેને 3 મે સુધી વધારવાની જાહેરાત કરી છે. આ લોકડાઉન ભારતના અર્થતંત્ર માટે મોટો આંચકો સાબિત થઈ રહ્યો છે. પ્રથમ તબક્કાના લોકડાઉનને કારણે અર્થતંત્રને આશરે 8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
Read More...
  Entertainment

શહેનશાહની રીમેકમાં લીડ રોલ માટે રણવિરસિંહનો સંપર્ક કરાયો

1998 માં રિલિઝ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘શહેનશાહ’નું આજે પણ ચાહકોના દિલમાં એક અલગ સ્થાન છે. ફિલ્મમાં અમિતાભે કરેલી એક્ટિંગ, તેનો લુક અને ડાયલોગ ‘રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં’ બહુ જ ફેમસ થયા હતા. સુત્રોએ આપેલી માહિતિ મુજબ, ડાયરેક્ટર ટીનુ આનંદ બહુ જલ્દી ‘શહેનશાહ’ની રીમેક બનાવવાના છે અને તેમા રણવીર સિંહને કાસ્ટ કરી શકે છે.‘શહેનશાહ’ની રીમેક બનવાની છે તેવા સમાચાર તો બહુ પહેલા જ આવી ગયા હતા. પરંતુ અમિતાભ બચ્ચનનો રોલ કોણ કરશે એ નક્કી નહોતું.
Read More...

રકુલ પ્રીત પોતાની યુ ટ્યુબ ચેનલની કમાણી દાન કરશે
કોરોના વાઇરસ સામે લડવા માટે દરેક સેલેબ્સ કોઈને કોઈ રીતે લોકોની સહાય કરી રહ્યા છે. રકુલ પ્રીત સિંહ તેના ઘર આસપાસ રોજ 200 ગરીબ પરિવારને બે સમયનું ભોજન પૂરું પાડે છે. આ સિવાય હવે તેણે મદદ માટે એક નવી પહેલ શરૂ કરી છે. તેણે જાહેરાત કરી કે તે યુ ટ્યુબ ચેનલ શરૂ કરે છે અને તેમાંથી જે કમાણી થશે તેને રકુલ PM-CARES ફંડમાં દાન કરશે.રકુલે સોશિયલ મીડિયા પર આ વાત શેર કરતા લખ્યું કે, હાલ ઘણો સમય છે તો મેં વિચાર્યું કે મારી યુ ટ્યુબ ચેનલ લોન્ચ કરું જેમાં ઘણી બધી મજાની વાતો હશે.
Read More...

‘કોમ્પ્રોમાઇઝ’ના બદલામાં ત્રણ ગણી ફીની ઓફર થાય છેઃ માનવી ગગરુ
બોલિવૂડમાં જ્યારથી મીટૂ કેમ્પેઇન શરૂ થયું છે ત્યારથી અનેક એક્ટ્રેસીસે પોતાની આપવીતી જણાવી છે. અનેક જાણીતી સેલિબ્રિટીઝની વિરુદ્ધ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. હવે શુભ મંગલ જ્યાદા સાવધાન સહિત કેટલીક ફિલ્મ્સ અને વેબ સીરિઝીસમાં જોવા મળનારી માનવી ગગરુએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેને એક વેબ સીરિઝના બદલામાં કોમ્પ્રોમાઇઝ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
Read More...

લૉકડાઉનને કારણે કપિલ શર્મા પોતાના શોના નવા એપિસોડ ઘરેથી શૂટ કરશે
હોસ્ટ તથા કોમેડિયન કપિલ શર્માએ પોતાના શો ‘ધ કપિલ શર્મા શો’ને લઈ એક નવતર ઉપાય અજમાવવાનું નક્કી કર્યું છે. લૉકડાઉન હોવાને કારણે ટીવી તથા ફિલ્મના શૂટિંગ બંધ છે. સૂત્રોના મતે, શોના પ્રોડ્યૂસર્સ આ શોને લાઈવ ઓડિયન્સ વગર જ પ્રસારિત કરવાનું વિચારી રહ્યાં છે.
Read More...

 
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]