1998 માં રિલિઝ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘શહેનશાહ’નું આજે પણ ચાહકોના દિલમાં એક અલગ સ્થાન છે. ફિલ્મમાં અમિતાભે કરેલી એક્ટિંગ, તેનો લુક અને ડાયલોગ ‘રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં’ બહુ જ ફેમસ થયા હતા. સુત્રોએ આપેલી માહિતિ મુજબ, ડાયરેક્ટર ટીનુ આનંદ બહુ જલ્દી ‘શહેનશાહ’ની રીમેક બનાવવાના છે અને તેમા રણવીર સિંહને કાસ્ટ કરી શકે છે.

‘શહેનશાહ’ની રીમેક બનવાની છે તેવા સમાચાર તો બહુ પહેલા જ આવી ગયા હતા. પરંતુ અમિતાભ બચ્ચનનો રોલ કોણ કરશે એ નક્કી નહોતું. પરંતુ આ બાબતે અંતિમ નિર્ણયો લૉકડાઉન ખુલે પછી જ લેવામાં આવશે. પહેલા ચર્ચા એવી હતી કે અમિતાભ બચ્ચન જ શહેનશાહનો રોલ ભજવશે પણ હવે રણવીર સિંહનું નામ ચર્ચાઈ રહ્યું છે.

ડાયરેક્ટર ટીનુ આનંદે કહ્યું હતું કે, હું ‘શહેનશાહ’ની રીમેક બનાવવાનો છું પણ આ કોરોના વાયરસ પુરો થઈ જાય પછી. શુટિંગ ક્યારે શરૂ કરીશું અને ફિલ્મ રીલીઝ ક્યારે થશે એ બાબતે હજી કાંઈ જ વિચાર નથી કરાયો.