Vol. 3 No. 296 About   |   Contact   |   Advertise June 23, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ગુજરાતમાં મેઘસવારીનું આગમન

દક્ષિણ ગુજરાતમાં ઉમરગામ, વલસાડ વગેરે વિસ્તારોમાં તો સોમવારે મેઘસવારીનું ધમાકેદાર આગમન થયું હતું અને કેટલાક વિસ્તારોમાં તો પાણી ભરાતા વાહનોની અવરજવરને અસર થઈ હતી. ઉમરગામમાં તો 10 ઈંચ જેટલો ભારે વરસાદ થયો હતો. વલસાડ અને વાપીમાં પણ લગભગ ચાર ઈંચ જેટલો વરસાદ થયો હતો. ગુજરાતમાં 13 જૂને નૈઋત્યના ચોમાસાનું આગમન થયા બાદ ગયા સપ્તાહે રાજ્યના 87 તાલુકામાં મેઘમહેર થઈ ચૂકી છે. આ ચોમાસામાં હવામાન વિભાગે રાજ્યમાં સરેરાશ 108 ટકા વરસાદ થવાની આગાહી કરી છે.

Read More...
અમેરિકાના અડધા ઉપરાંતના વિસ્તારોમાં પ્રચંડ હીટવેવ, લોકો ત્રાહિમામ

અમેરિકામાં ગરમીએ માઝા મુકી છે. ગત સપ્તાહે ઇલીનોય,ઇન્ડિયાના, મિશિગન, આહાયો, વિસકોન્સિન, ફ્લોરિડા સહિતના અડધા ઉપરાંતના અમેરિકમાં ઉષ્ણતામાનનો પારો ઊંચો જતાં હીટવેવની સ્થિતિ સર્જાઇ હતી.

Read More...
એશિયનોમાં માનસિક બીમારી વિષે મૌન

સાઉથ એશિયાના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો અને બીમારીમાંથી બચી ગયેલા લોકો તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખાસ કાળજી પૂરી પાડવા સરકારને વિનંતી કરી રહ્યા છે.

Read More...
Click Full Screen
પાટીદાર નેતા નરેશ પટેલ હાલ પૂરતા રાજકારણમાં નહીં પ્રવેશે

ગુજરાતમાં પાટીદાર નેતા અને ખોડધામના ચેરમેન નરેશ પટેલે આખરે રાજકારણમાં પ્રવેશ કરવાના નિર્ણયને હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. ગુરુવાર (16 જૂન)એ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે પોતાના આ નિર્ણયની જાહેરાત કરી હતી.

Read More...
વિશ્વના 190થી વધુ દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મંગળવાર, 21 જૂને વિશ્વના 190થી વધુ દેશોમાં ઉજવણી ચાલુ થઈ હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસૂર પેલેસમાં ૧૫ હજાર લોકોની હાજરીમાં યોગાસનો કર્યા હતા.

Read More...
દ્રોપદી મુર્મુ – યશવંત સિંહા ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીના બે મુખ્ય ઉમેદવાર

ભાજપના વડપણ હેઠળના સત્તાધારી NDA ગઠબંધને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુના નામની જાહેરાત કરી છે. અગાઉ વિરોધ પક્ષોએ દેશના આ સર્વોચ્ચ હોદ્દાની ચૂંટણી માટે યશવંત સિંહાને તેમના ઉમેદવાર જાહેર કર્યા હતા.

Read More...
Click Full Screen
સંરક્ષણ દળોમાં ભરતીની નવી અગ્નિપથ યોજનાનો ઠેરઠેર ઉગ્ર વિરોધ

ભારતના લશ્કરી દળોમાં સૈનિકોની ભરતી માટેની સરકારની અગ્નિપથ નામની યોજનાનો ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા સહિતના શ્રેણીબદ્ધ રાજ્યોમાં વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે.

Read More...
આરતી પ્રભાકર બાઇડેનના વૈજ્ઞાનિક સલાહકાર બનશે

ઇન્ડિયન અમેરિકન ભૌતિકશાસ્ત્રી આરતી પ્રભાકરને વ્હાઇટહાઉસમાં સ્થાન મળવાનું છે. પ્રમુખ જો બાઇડેન આરતી પ્રભાકરને તેમના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નોમિનેટ કરવાના છે.

Read More...
અમેરિકામાં ગર્ભપાતના કેસમાં વધારો, 30 વર્ષની ઘટાડાની સ્થિતિ બદલાઇ

અમેરિકામાં ગર્ભપાતની સંખ્યામાં વધારો થયો છે, જે છેલ્લા ત્રણ દસકાના ઘટાડાના વલણથી વિપરીત છે, તેવું એક નવા રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

Read More...
Click Full Screen
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં રૂ. 21 હજાર કરોડના વિકાસ કામોનો પ્રારંભ કરાવ્યો

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી શનિવારે વડોદરાના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે અંદાજે રૂ. 21 હજાર કરોડના વિવિધ વિકાસ લક્ષી કાર્યક્રમોનો પ્રારંભ કરાવ્યો હતો.

Read More...
વડાપ્રધાને પાવાગઢ ખાતે શ્રી કાલિકા માતાના પુનઃ વિકસિત મંદિરનું લોકાર્પણ કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢ ડુંગર ખાતે શનિવારે શ્રી કાલિકા માતાના પુનઃવિકાસિત મંદિરનું લોકાર્પણ કર્યું હતું. આ વિસ્તારના સૌથી જૂના મંદિરોમાંનું એક છે અને દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓને આકર્ષે છે.

Read More...
ગુજરાતમાં વધુ એક એરપોર્ટને કેબિનેટની મંજૂરી

કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના ધોલેરા ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ માટે આપી છે. માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટને રેલવે તથા હાઈવે જેવી મલ્ટિ મોડલ કનેક્ટિવિટી વડે જોડવામાં આવશે.

Read More...

  Sports
વરસાદે ઉત્તેજના ઉપર પાણી ફેરવ્યું, ભારત – સા. આફ્રિકા સીરીઝ ડ્રો

ભારત અને પ્રવાસી સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ ટી-20 ઈન્ટરનેશનલ્સની સીરીઝમાં નિર્ણાયક પાંચમી મેચ વિષે ચાહકો અને ખાસ તો ભારતીય ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્તેજના છવાઈ હતી ત્યારે રવિવારે (19 જુન) બેંગલુરૂ

Read More...
ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં, પ્રેકટીસ શરૂ કરી દીધી

ભારતીય ક્રિકેટ ટીમ એક ટેસ્ટ મેચ, ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે રમવા ગયા સપ્તાહે ઈંગ્લેન્ડ પહોંચી ગઈ હતી. ટીમ ગુરૂવારે ઈન્ડિયાથી રવાના થઈ હતી અને શનિવારે તો તેમણે લંડનમાં પ્રેકટીસ પણ શરૂ કરી દીધી હતી.

Read More...
નીરજ ચોપરાની આગેવાની હેઠળ ભારતના ૩૭ એથ્લીટ્સ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે

જુલાઈમાં બર્મિંગહામમાં શરૂ થઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની 37 એથ્લિટ્સની ટીમ ભાગ લેવાની છે, જેનું સુકાન ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ વિજેતા જેવેલિન થ્રોઅર – ભાલા ફેંક સ્પર્ધક નીરજ ચોપરાને સોંપાયું છે.

Read More...
ભારતીય મહિલા ટીમે પ્રો લીગ હોકીમાં આર્જેન્ટીનાને 2-1થી હરાવ્યું

નેધરલેન્ડ્ઝમાં ગયા સપ્તાહે રમાયેલા પ્રો લીગ હોકીના લેગમાં ભારતીય મહિલા ટીમે વર્લ્ડ નંબર ટુ આર્જેન્ટીનાને પેનલ્ટી શૂટઆઉટમાં ૨-૧થી હરાવ્યું હતું.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
ભારતમાં 5G સર્વિસનો પ્રારંભ થશે, જુલાઈમાં સ્પેકટ્રમની હરાજી

ભારતમાં ટૂંકસમયમાં 5G ટેલિકોમ સર્વિસનો પ્રારંભ થશે. ભારત સરકારે 5G ટેલિકોમ સર્વિસ માટે મેગા સ્પેક્ટ્રમ ઓક્શન કરવાની દરખાસ્તને ગુરુવારે મંજૂરી આપી છે. સરકાર 20 વર્ષના સમયગાળા માટે 72 ગીગાહર્ટ્ઝથી વધુ સ્પેક્ટ્રમની જુલાઈ 2022ના અંતમાં હરાજી કરશે. રિઝર્વ પ્રાઈસના આધારે 5G સ્પેક્ટ્રમ હરાજીથી સરકારને રૂ. 4.5 લાખ કરોડની કમાણીનો અંદાજ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી કેબિનેટની બેઠકમાં સ્પેક્ટ્રમની હરાજી માટે મંજૂરી અપાઈ હતી. દેશમાં હજુ સુધી 5G સર્વિસ શરૂ કરવાની તારીખ નક્કી નથી, પરંતુ સરકારના નિયમો મુજબ, જે કંપની સ્પેક્ટ્રમ ખરીદશે તેને 6 મહિનાથી 1 વર્ષની અંદર આ સર્વિસ શરૂ કરવી પડશે. ઘણી ટેલિકોમ કંપનીઓએ આ વિશેની તૈયારીઓ પણ પૂરી કરી લીધી છે. તેઓ સ્પેક્ટ્રમ ખરીદ્યાના 3થી 6 મહિનાની અંદર સર્વિસ શરૂ કરી શકે એમ છે.

Read More...
અમેરિકામાં વ્યાજદરમાં 28 વર્ષનો સૌથી મોટો વધારો

અમેરિકામાં બેકાબુ ફુગાવાને અંકુશમાં લેવા માટે ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં છેલ્લાં 28 વર્ષનો સૌથી મોટો 0.75 ટકાનો વધારો જાહેર કર્યો છે. બુધવાર (15 જૂન)એ ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટીની બેઠકમાં વ્યાજના દરમાં 0.75 ટકાનો વધારો કરવાની જાહેરાત કરાઈ હતી. આમ માર્ચ મહિના પછી અમેરિકામાં વ્યાજદરમાં 1.50 ટકાનો વધારો થયો છે. બેન્કો પોતાની પાસે વધારાની રોકડ હોય તે બીજી બેંકને આપે કે બેંક રોકડ મેળવે તેના માટે ફેડરલ ફન્ડ હોય છે જેના વ્યાજમાં અપેક્ષિત વધારો કરવામાં આવ્યો છે. હવે ફેડરલ ફંડના વ્યાજ ૧.૫૦ ટકાથી 1.75 ટકા થશે. મે મહિનાની બેઠકમાં વ્યાજના દર 0.50 ટકાનો વધારો કરાયો હતો. હાલમાં વિશ્વભરમાં વ્યાજદરમાં વધારો થઈ રહ્યો છે. માર્ચ પછીથી બ્રાઝિલમાં વ્યાજદરમાં 2 ટકા, ભારતમાં 0.90 ટકા. યુકેમાં 0.50 ટકા, ઓસ્ટ્રેલિયામાં 0.75 ટકાનો વધારો થયો છે.ફેડે નિવેદનમાં જણાવ્યું હતું કે ફુગાવો હજી ઊંચો છે અને તેના માટે જરૂર પડ્યે વ્યાજના દર વધારવામાં આવશે. અમેરિકામાં ફુગાવાનો દર ચાર દાયકાની સૌથી ઉંચી સપાટી 8.6 ટકાએ છે. ઊંચા ફુગાવાના કારણે અમેરિકામાં સરકારી બોન્ડના યીલ્ડ ૩ ટકા ઉપર ચાલી રહ્યા છે.

Read More...
સ્વિસ બેંકમાં ભારતીયોના નાણા 50% વધી રૂ.૩૦,૫૦૦ કરોડને પાર

સ્વીસ બેન્કોમાં ભારતના નાગરિકો અને કંપનીઓએ મૂકેલું ભંડોળ 2021માં તીવ્ર વધીને 3.83 બિલિયન સ્વીસ ફ્રાન્ક (આશરે રૂ,30,500 કરોડ) થયું છે, જે છેલ્લાં 14 વર્ષમાં સૌથી વધુ છે. આની સાથે કસ્ટમર ડિપોઝિટમાં પણ વધારો થયો છે, એમ સ્વિસ નેશનલ બેંકના વાર્ષિક અહેવાલમાં ગુરુવારે જણાાવાયું હતું. સ્વીસ બેન્કમાં વિદેશી ક્લાયન્ટના નાણાના સંદર્ભમાં યુકે 379 બિલિયન સ્વીસ ફ્રાન્ક સાથે ટોચના સ્થાને છે. આશરે 168 બિલિયન સ્વીસ ફ્રાન્ક સાથે અમેરિકા બીજા સ્થાને છે. ભારતીયોનું સ્વિસ બેંકમાં રોકાણ વધ્યું છે. સ્વિસ નેશનલ બેંકે વ્યક્તિગત, કંપનીઓ અને સંસ્થાઓના રોકાણનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. ભારતીયોના ફંડમાં ૫૦ ટકાનો વધારો થયો હતો. સ્વિસ બેંકમાં ભારતીયોનું રોકાણ સતત બીજા વર્ષે પણ વધ્યું હતું. ૨૦૨૦માં સ્વિસ બેંકમાં ભારતીયોના ૨૦,૭૦૦ કરોડ રૃપિયા હતા, જે ૨૦૨૧ના વર્ષમાં વધીને ૩૦,૫૦૦ થયા છે. જોકે, વ્યક્તિગત રોકાણની કેટેગરીમાં ફંડ એક વર્ષમાં ૮.૩ ટકા ઘટીને ૯૩૨ કરોડ રૃપિયામાંથી ૯૨૭ કરોડ રૃપિયા થયું છે.

Read More...
ભારતમાં માસ્ટરકાર્ડ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો

ભારતની સેન્ટ્રલ બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઓફ ઇન્ડિયાએ અમેરિકાની પેમેન્ટ ગેટવે કંપની માસ્ટરકાર્ડ પરના પ્રતિબંધને ગુરુવારે ઉઠાવી લીધો છે. આરબીઆઇએ સ્થાનિક ધોરણે ડેટા સ્ટોરના ધોરણનું પાલન ન કરવા બદલ માસ્ટરકાર્ડ પર ગયા વર્ષે પ્રતિબંધ મૂક્યો હતો. હવે પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવતા માસ્ટરકાર્ડ નવા ગ્રાહકોનો ઉમેરો કરી શકશે. આરબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે માસ્ટરકાર્ડ એશિયા-પેસિફિકના પેમેન્ટ સિસ્ટમ ડેટાના સ્ટોરેજ અંગે સંતોષજનક જવાબને પગલે નવા ડોમેસ્ટિક ગ્રાહકો ઉમેરવા પરના પ્રતિબંધને તાકીીદની અસરથી ઉઠાવી લેવામાં આવે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ પેમેન્ટ સિસ્ટમ ડેટા સ્ટોરેજ કરવાને લગતા તેના નિયમોનું પાલન નહીં કરવા બદલ કડક વલણ અપનાવતા માસ્ટરકાર્ડ એશિયા પેસિફિક નવા ક્રેડિટ, ડેબિટ અને પ્રીપેડ કાર્ડ ગ્રાહકોને ઈશ્યુ કરવા પર પ્રતિબંધ મુકી દીધો હતો.

Read More...
  Entertainment

લગ્ન પછી પણ રણબીર-આલિયા જૈસે થે….

રણબીર કપૂરને એવું લાગે છે કે હજી સુધી તેનાં લગ્ન થયાં જ નથી. રણબીર અને આલિયા ભટ્ટનાં લગ્ન 14 એપ્રિલે નજીકનાં પરિવારજનો અને મિત્રોની હાજરીમાં થયાં હતાં. આ બન્ને ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. આલિયા તેના હોલીવુડના પ્રોજેક્ટમાં બિઝી છે. રણબીર મનાલીમાં ‘એનિમલ’નું શૂટિંગ કરી રહ્યો છે. આ બન્ને છેલ્લાં પાંચ વર્ષથી સાથે જ રહેતાં હતાં. લગ્ન બાદ પણ તેમના જીવનમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી આવ્યું એવું જણાવતાં રણબીરે કહ્યું કે, ‘એવો મોટું કોઈ પરિવર્તન આવ્યું નથી. અમે પાંચ વર્ષથી સાથે છીએ. અમને વિચાર આવ્યો કે લગ્ન કરી લઈએ તો સારું. જોકે અમારાં પણ કેટલાક પ્રોફેશનલ કમિટમેન્ટ્સ હતાં. લગ્નના બીજા જ દિવસે અમે બન્ને કામ પર પરત ફર્યાં હતાં. આલિયા શૂટિંગ માટે ગઈ અને હું મનાલી ગયો હતો. તે જ્યારે લંડનથી પાછી ફરશે ત્યારે મારી ફિલ્મ ‘શમશેરા’ રિલીઝ થવાની છે. અમે એક અઠવાડિયાની રજા લેવાનું વિચાર્યું છે. અહેસાસ જ નથી થઈ રહ્યો કે અમારાં લગ્ન થઈ ગયાં છે.’

Read More...

ભણશાળીની વેબસીરિઝમાં રેખા દેખાશે?

વિતેલા જમાનાની પીઢ અભિનેત્રી રેખા છેલ્લા અનેક વર્ષોથી ફિલ્મોમાં જોવા મળી નથી. રેખા છેલ્લે 2014માં ફિલ્મ ‘સુપર નાની’માં જોવા મળી હતી. જોકે, તે અનેકવાર ટેલિવિઝન રિયાલિટી શો અને અવોર્ડ ફંક્શનમાં જોવા મળે છે પરંતુ ફિલ્મોથી તે દૂર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રેખા ટૂંક સમયમાં સંજય લીલા ભણશાળીની બહુચર્ચિત વેબસિરિઝ ‘હીરામંડી’માં જોવા મળે તેવી સંભાવના છે. આ વેબસિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થશે અને તેના માટે રૂ. 200 કરોડના કરાર થયા છે. જેમાં ભણશાળીની જ ફી રૂ. 65 કરોડ હોવાનું કહેવાય છે. રેખાના કરોડો ચાહકો તેને ફરી એકવાર એક્ટિંગ મોડમાં જોવા ઇચ્છે છે અને રીપોર્ટ્સ મુજબ, રેખા તેનું ડીજીટલ પદાર્પણ કરવા તૈયાર છે, પરંતુ હજુ સુધી પ્રોડક્શન હાઉસ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી નથી. રીપોર્ટ્સ મુજબ, પ્રોડક્શન હાઉસ અત્યારે રેખાના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં તે અંગેની જાહેરાત કરવામાં આવશે.

Read More...

તારક મહેતા….માં નવા દયાબેન આવશે

જાણીતા ટેલિવિઝન શો તારક મેહતા કા ઊલ્ટા ચશ્મામાં દયાબેનના રોલમાં નવી અભિનેત્રી જોવા મળશે. ઘણા સમય અગાઉ એવી વાત બહાર આવી હતી દિશા વાકાણી ફરીથી દયાબેનની ભૂમિકા ભજવશે, પરંતુ તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હોવાથી તેઓ આ રોલ નહીં કરે તેવું લાગી કરે તેવું માનવામાં આવે છે. શોના પ્રોડ્યુસર અસિત મોદીએ કન્ફર્મ કર્યું છે કે, ગોકુલધામમાં દયાબેન પાછા આવી રહ્યા છે, પરંતુ દિશા વાકાણી જોવા નહીં મળે. દિશા વાકાણીનું રીપ્લેસમેન્ટ શોધવા માટે ઓડિશન ચાલી રહ્યા છે અને દયાબેનના કેરેક્ટર માટે અભિનેત્રીનું સિલેક્શન ટૂંક સમયમાં થઈ જશે. ટીવી શોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક પ્રોમો શેર થયા છે. એક પ્રોમોમાં દયાબેનનો ભાઈ સુંદર જેઠાલાલ સાથે ફોન પર વાત કરે છે. સુંદર તેમને ખાતરી આપે છે કે, તે દયાબેનને ગોકુલધામ સોસાયટીમાં લાવશે. પહેલા બે દિવસમાં દયાબેનને પાછા લાવવાની વાત કરે છે, પરંતુ બાદમાં સુંદરનો પ્લાન ડીલે થાય છે. પ્રોમો બાદ આ શોના ફેન્સ દિશા વાકાણીને જ દયાબેન બનાવવા માગી રહ્યા છે.

Read More...

મહિમાનું બોલીવૂડમાં કમબેક

કેન્સરને મ્હાત આપીને મહિમા ચૌધરીએ હવે અનુપમ ખેર સાથે ‘ધ સિગ્નેચર’ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ તેણે અનુપમ ખેર સાથે ફોટોશૂટ કર્યો હતો. થોડા સમય પહેલાં જ જાણ થઈ છે કે મહિમાને કેન્સર થયું હતું. તાજેતરમાં જ મહિમાએ પોતાની કેન્સરની બીમારીની સ્પષ્ટતા ઇન્સ્ટાગ્રામ પર કરી હતી. તેનો વીડિયો અનુપમ ખેરે પોસ્ટ કર્યો હતો અને તેને હિમ્મત આપી હતી. હવે મહિમા સાથેના ફોટોશૂટની એક ઝલક ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને અનુપમ ખેરે લખ્યું હતું કે, ‘ક્યારેક આપણે આંખોમાં આંસુઓ સાથે હસવું પડે છે, તકલીફમાં પણ હસતો ચહેરો રાખવો પડે છે જેથી તમે દુ:ખમાં પણ ખુશ રહી શકો છો. આ અદભુત ફોટો ‘ધ સિગ્નેચર’ના સેટ પર લેવામાં આવ્યા છે.’

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store