Vol. 4 / No. 368 About   |   Contact   |   Advertise January 26, 2024


 
 
અયોધ્યામાં રામમંદિરની ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠાઃ વિશ્વભરના હિન્દુઓ માટે પાવન ઘડી

અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરમાં સોમવાર, 22 જાન્યુઆરીએ રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સમગ્ર દેશ રામમય બન્યો હતો. દેશભરમાં હર્ષ અને ઉત્સાહના વાતાવરણ સાથે વિશ્વભરના હિન્દુઓની આશરે 550 વર્ષની આતુરતાનો અંત આવ્યો હતો. એક સપ્તાહ લાંબી પૂજા વિધિ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયેલી પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, મહંત નૃત્ય ગોપાલદાસજી તથા રામ મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ સમગ્ર ભવ્ય-દિવ્ય પ્રસંગે આર્મીના હેલિકોપ્ટરોએ અયોધ્યા પર પુષ્પવર્ષા કરી હતી અને 30 કલાકારોએ રામ મંદિર પરિસરમાં વિવિધ ભારતીય સંગીતનાં વાદ્યો વગાડ્યાં હતાં.

Read More...
અભૂતપૂર્વ ધીરજ, અસંખ્ય બલિદાન અને તપસ્યા પછી રામનું આગમનઃ મોદી

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા પછી મંદિર પ્રાંગણમાં મહેમાનોની વચ્ચે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અભૂતપૂર્વ ધીરજ, અસંખ્ય બલિદાન અને આકરી તપસ્યા પછી આપણા ભગવાન રામનું આગમન થયું છે.

Read More...
માલ્યા, નીરવ મોદીના ઝડપી પ્રત્યાર્પણ માટે ભારતની ટીમ યુકે જશે

કિંગફિશરના ભાગેડુ અપરાધી વિજય માલ્યા, હીરાના વેપારી નીરવ મોદી અને સંરક્ષણ વેપારી સંજય ભંડારીના પ્રત્યાર્પણને ઝડપી બનાવવા માટે ભારતની તપાસ એજન્સીઓની ટીમ યુકેની મુલાકાત લેવાની વિચારણા કરી રહી છે.

Read More...
અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા પ્રસંગે યુકેભરમાં કાર્યક્રમો યોજાયા

500 કરતા વધુ વર્ષના તીવ્ર સંઘર્ષ પછી અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી પ્રસંગે યુકેભરમાં 200 કરતાં વધુ સંસ્થાઓ અને મંદિરોમાં પૂજા, કિર્તન, ભગવાન રામની મૂર્તિના અભિષેક અને પ્રસાદ કાર્યક્રમોના આયોજનો કરાયા હતા.

Read More...
સ્ટોર્મ ઈશાના કારણે ચાર લોકોના મોત

100 માઇલ પ્રતિ કલાકની ઝડપે આવેલા સ્ટ્રોમ ઈશા – વાવાઝોડાએ યુકેભરમાં વિવાશ વેર્યો હતો અને તેને પગલે ચાર માણસોના મોત નિપજ્યા હતા. પડી ગયેલા વૃક્ષો અને કાટમાળ તળે કાર કચડાઇ ગઇ હોવાના, ઘરોની છત અને નળીયા ઉડી ગયા હોવાના બનાવો બન્યા હતા તો 70,000

Read More...
ચાન્સેલર હન્ટે ચૂંટણી પૂર્વે ટેક્સ ઘટાડવાના સંકેત આપ્યા

ચાન્સેલર જેરેમી હન્ટે જણાવ્યું હતું કે તેઓ માર્ચમાં તેમના બજેટ સ્ટેટમેન્ટમાં આર્થિક વિકાસને વેગ આપવા માટે કરવેરામાં કપાત કરી શકે છે. આ બજેટ સ્ટેટમેન્ટ સંભવતઃ આ વર્ષે આવનારી રાષ્ટ્રીય ચૂંટણી પહેલાંનું તેમનું છેલ્લું હશે. વડા પ્રધાન સુનકે તા.

Read More...
‘પ્રાર્થના પરના પ્રતિબંધ’ માટે કાનૂની પડકારનો સામનો કરતી વેમ્બલીની મિકેલા સ્કૂલ

બ્રિટનમાં સૌથી કડક હેડ ટીચર તરીકે ઓળખાતા ભારતીય મૂળના કેથરિન બિરબલસિંહે તેમની મિકેલા સ્કૂલમાં ‘પ્રાર્થના કરવા પર પ્રતિબંધ’ મૂકતા શાળાને હાઈકોર્ટમાં કાનૂની પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.

Read More...
એમપી ગેરેથ થોમસે હિંદુ મંદિરોના પૂજારીઓના વિઝા અંગે હોમ સેક્રેટરીને પત્ર લખ્યો

ટીયર 5 ધાર્મિક પૂજારીઓના વિઝા મેળવવામાં થઇ રહેલા “ગંભીર વિલંબ”ને કારણે ઘણા મંદિરો બંધ થઈ રહ્યા હોવાથી અથવા મંદિરો દ્વારા ઓછી સેવાઓ ઓફર કરાતી હોવાના કારણે હેરો વેસ્ટના લેબર એમપી અને ઓલ પાર્લામેન્ટરી ગ્રુપ ફોર બ્રિટિશ

Read More...
વોકર્સે મિની પોપ્પાડોમ માટે VAT ભરવો પડશે: જજ

વોકર્સે મિની પોપ્પાડોમ જે રીતે દેખાય છે અને તેને ક્રિસ્પ્સની જેમ પેક કરવામાં આવે છે તે જોતા ટેક્સ ટ્રિબ્યુનલનું કહેવું છે કે વોકર્સે મિની પોપ્પાડોમ પર VAT લાગવો જોઈએ, કારણ કે અને મર્યાદિત ડિપ ધરાવે છે.

Read More...
વડોદરાના તળાવમાં બોટ પલટી ખાઈ જતાં 13 વિદ્યાર્થી સહિત 15ના મોત

વડોદરા શહેરના હરણી વિસ્તાર ખાતે આવેલા મોટનાથ તળાવમાં ગુરુવારે બોટ પલટી ખાઈ જતાં 13 વિદ્યાર્થી, બે શિક્ષકો સહિત 15 વ્યક્તિઓના મોત થયા હતાં. દુર્ઘટના સમયે બોટમાં 27 લોકો સવાર હોવાનું માનવામાં આવે છે.

Read More...

  Sports
ભારતનો ત્રીજી ટી-20, સીરીઝમાં અફઘાનિસ્તાન સામે રોમાંચક વિજય

ભારતે ગયા સપ્તાહે પુરી થયેલી અફઘાનિસ્તાન સામેની ઘરઆંગણેની ત્રણ ટી-20 મેચની સીરીઝની ત્રીજી અને છેલ્લી ટી-20માં બુધવારે (17 જાન્યુઆરી) રાત્રે બેંગલુરૂમાં બે સુપર ઓવર પછી અફઘાનિસ્તાનને 10 રને હરાવ્યું હતું. આ મેચ રોમાંચક તો હતી જ,

Read More...
રોહિત શર્માનો પાંચ ટી-20 ઈન્ટરનેશનલ સદીનો વર્લ્ડ રેકોર્ડ

ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી ટી-20માં બુધવારે ઝમકદાર અણનમ સદી સાથે ટી-20માં પાંચમી સદી નોંધાવી હતી અને એ સાથે તેણે આ ફોર્મેટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ કર્યા હતો.

Read More...
ઈંગ્લેન્ડની ટીમનું ટેસ્ટ સીરીઝ માટે ભારતમાં આગમન

ભારત સાથે પાંચ ટેસ્ટ મેચની સીરીઝ માટે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ રવિવારે (21 જાન્યુઆરી) રાત્રે ભારતમાં હૈદરાબાદ પહોંચી ગઈ હતી. સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ હૈદરાબાદમાં જ ગુરૂવાર (25 જાન્યુઆરી) થી રમાશે. પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ 7

Read More...
સાનિયા મિર્ઝાથી અલગ થઈ શોએબ મલિકના અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજા લગ્ન

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાથી અલગ થઈને પાકિસ્તાના દિગ્ગજ ક્રિકેટર શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યા છે. મલિકે શનિવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં લગ્ન સમારંભની તસવીરો મૂકીને આ અંગેની જાહેરાત કરી હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
સૌથી મજબૂત કરન્સીની ફોર્બ્સની યાદીમાં US ડોલર છેક 10મા ક્રમે

વિશ્વભરમાં યુએસ ડોલરનું વર્ચસ્વ હોવા છતાં ફોર્બ્સની વિશ્વના સૌથી મજબૂત ચલણની યાદીમાં કુવૈતી દિનારને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે, જ્યારે બહેરીનો દિનાર અને ઓમાનનો રિયાલ બીજા અને ત્રીજા સ્થાને છે. આ યાદીમાં અમેરિકાનો ડોલર છેક 10માં ક્રમે અને યુકેનો પાઉન્ડ છઠ્ઠા ક્રમે છે. ટોપ 10 કરન્સીમાં ભારતના રૂપિયાને સ્થાન મળ્યું નથી. વિશ્વની ટોપ ટેન કરન્સીમાં અનુક્રમે કુવૈતી દિનાર, બહરાઇની દિનાર, ઓમાની રિયાલ, જોર્ડન દિનાર, જીબ્રાલ્ટર પાઉન્ડ, બ્રિટિશ પાઉન્ડ, કેમેન આઇલેન્ડ ડોલર, સ્વિસ ફ્રાન્ક, યુરો અને અમેરીકી ડોલરનો સમાવેશ થાય છે. ઓમાનનું રિયાલ એક પાવરફૂલ કરન્સી છે, જેની વેલ્યૂ 2.60 ડોલર અથવા 215 રૂપિયા થાય છે.

Read More...
એરબસ ભારતથી વિમાન પાર્ટસની ખરીદી બમણી કરશે

યુરોપની અગ્રણી વિમાન ઉત્પાદક કંપની એરબસે આગામી વર્ષમાં ભારતમાંથી તેના પાર્ટની ખરીદીને બમણી કરીને 1.5 બિલિયન ડોલર કરવાની યોજના બનાવી છે. કંપનીના ઇન્ડિયા ચીફે ગુરુવારે આ અંગેની માહિતી જાહેર કરી હતી. કંપની વિશ્વના સૌથી વધુ ઝડપથી વિકસતા બજારના એવિયેશન માર્કેટનો લાભ લેવા માગે છે. ઇન્ડિગો, એર ઇન્ડિયા અને અકાસા જેવી ભારતની એરલાઇન્સે કંપનીને મોટા ઓર્ડર આપેલે છે. તેથી કંપની ભારતમાં પાર્ટ ઉત્પાદનને વેગ આપવા માગે છે. એરબસના ભારતમાં 40થી વધુ સપ્લાયર્સ ધરાવ છે, જેમાં ટાટા એડવાન્સ સિસ્ટમ્સ અને મહિન્દ્રા એરોસ્પેસનો સમાવેશ થાય છે.

Read More...
આગામી વર્ષોમાં વ્યાજદર ઊંચા રહેશે, મંદીની શક્યતા નહીંવત્ : IMF

દાવોસના વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં આઇએમએફના ગીતા ગોપીનાથે જણાવ્યું હતું કે ફુગાવા સામેની લડત હજુ પૂરી થઈ નથી અને વ્યાજદર ઊંચા રહેવાનો અંદાજ છે. ચાલુ વર્ષેના બીજા અર્ધવાર્ષિક ગાળામાં વ્યાજદર ઘટવાની શક્યતા વધુ છે. ભારતના કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ પણ દાઓસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત ૨૦૨૮થી બહુ પહેલાં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે. આઇએમએફના પ્રથમ ડેપ્યુટી એમડી ગીતા ગોપીનાથે જણાવ્યું હતું કે, “બજારોને આશા છે કે મધ્યસ્થ બેન્કો વ્યાજદર ઘટાડવા માટે આક્રમક વલણ અપનાવશે. જોકે, મને લાગે છે કે અત્યારથી આવો અંદાજ બાંધવો ઘણો વહેલો છે. ચાલુ વર્ષે વ્યાજદરમાં ઘટાડો થવાનો અંદાજ છે, પણ અમે અત્યારે જે ડેટા જોઈ રહ્યા છીએ તેના આધારે વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં વ્યાજદર ઘટવાની શક્યતા વધારે છે.”

Read More...
તાતા સ્ટીલ યુકેના પોર્ટ ટાલ્બોટ પ્લાન્ટના 2,800 કર્મચારીઓને છૂટા કરશે

તાતા સ્ટીલ કંપનીએ યુકેના પોર્ટ ટાલ્બોટ પ્લાન્ટની બ્લાસ્ટ ફર્નેસ (ભઠ્ઠીઓ) બંધ કરવાનો નિર્ણય લીધો હોવાથી 2,800થી વધુ કર્મચારીઓને છુટા કરાશે. કંપનીએ જણાવ્યું હતું કે, કુલ છટણીમાંથી 2500 કર્મચારીઓને આવનારા 18 મહિનામાં છૂટા કરવામાં આવશે. જ્યારે વધુ ૩૦૦ નોકરીઓ ત્રણ વર્ષમાં ઘટાડાશે. તાતા સ્ટીલે જણાવ્યું હતું કે, નોકરીઓમાં કાપ અંગે ટૂંક સમયમાં ચર્ચા શરૂ થશે. જોકે, કંપનીએ તેના સમય અંગે કોઈ માહિતી આપી ન હતી. નોકરી ગુમાવનારા કર્મચારીઓને 13 કરોડ પાઉન્ડથી વધુનું સપોર્ટ પેકેજ આપવામાં આવશે. કંપનીએ જણાવ્યું હતું કે, પ્રથમ ફર્નેસ 2024ના મધ્ય ભાગમાં બંધ કરાશે. બાકીની કામગીરી વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં બંધ કરાશે. નોકરીઓમાં ઘટાડો કરારનો ભાગ છે પણ સરકાર સાથેની સમજૂતીને પગલે યુકેના 5,૦૦૦ કર્મચારીઓની છટણી નહીં કરાય.

Read More...
  Entertainment

ડિજિટલ પ્લેટફોર્મ પર નવા વર્ષે નવા મનોરંજનની ભરમાર

ભારતમાં મનોરંજન ક્ષેત્રે હિન્દી અને સાઉથ ઇન્ડિયાની ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે. હવે થોડા વર્ષથી ડિજિટલ પ્લેટફોર્મ પર વેબસીરિઝનો જમાનો આવ્યો છે. અહીં એવી અનેક વેબસીરિઝ ઉપલબ્ધ છે કે તે દર્શકોને જકડી રાખે છે. નવા વર્ષનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે આ પ્લેટફોર્મ હવે નવું ઘણું મનોરંજન પીરસાશે. ઇન્ડિયન પોલીસ ફોર્સઃ ભારતમાં પોલીસ ખાતાની સિરીઝ અને ફિલ્મોને દર્શકો પસંદ કરે છે. તેમાં પોલીસની સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ભૂમિકા જોવા મળે છે. રોહિત શેટ્ટી નિર્મિત સુશ્વાંત પ્રકાશે દિગ્દર્શિત નવી સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’

Read More...

‘મૈં અટલ હું’માં પંકજ ત્રિપાઠીની પડકારજનક ભૂમિકા

વેબ સીરિઝ અને હિન્દી ફિલ્મોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી રહેલા પંકજ ત્રિપાઠીની નવી ફિલ્મ ‘મૈં અટલ હું’ તાજેતરમાં રીલીઝ થઇ હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીના જીવન આધારિત આ ફિલ્મમાં વાજપેયીજીના રાજકીય જીવનને દર્શાવવામાં આવ્યું છે. તેમાં ગાંધીજીની હત્યાથી લઇને કારગિલ યુદ્ધ સુધીની ઐતિહાસિક ઘટનાઓ અને વાજપેયીજીના રાજકીય સંઘર્ષને રજૂ કરાયો છે.

Read More...

મુંબઈની જગ્યાએ ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ્સ યોજવાના મુદ્દે વિવાદ

આ વખતે મુંબઈની જગ્યાએ ગુજરાતના ગાંધીનગરમાં ફિલ્મફેર એવોર્ડ યોજવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે. મહારાષ્ટ્રના વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો છે કે મુંબઈના મહત્ત્વમાં ઘટાડો કરવાનો અને ફિલ્મ ઉદ્યોગને બહાર ખસેડવાનો આ એક પ્રયાસ છે. પરંપરાગત રીતે ફિલ્મફેર એવોર્ડ મુંબઈમાં યોજાતો હોય છે, પરંતુ આ વખતે ગુજરાત ટુરિઝમના સહયોગમાં 27-28 જાન્યુઆરીએ ગાંધીનગરમાં 69મો ફિલ્મફેર એવોર્ડ યોજાવાનો છે. રાજ્યની વિધાનસભામાં વિપક્ષના કોંગ્રેસી નેતા વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું કે બોલિવૂડ અને મુંબઈ વચ્ચે અતૂટ બંધન છે. મુંબઈની બહાર ફિલ્મફેર પુરસ્કારોનું આયોજન કરવાનો નિર્ણય મુંબઈનું મહત્વ ઘટાડવાનો અને ફિલ્મ ઉદ્યોગને શહેરની બહાર લઈ જવાનો પ્રયાસ છે.

Read More...

ફિલ્મ રીવ્યૂઃ મેરી ક્રિસમસ

દિગ્દર્શક શ્રીરામ રાઘવનની નવી સસ્પેન્સ-થ્રીલર ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા મુજબ ક્રિસમસની એક અંધારી કાળી રાતે બે અજાણ્યા વ્યક્તિઓની મુલાકાત થાય છે. મારિયા (કેટરિના કૈફ) અને આલ્બર્ટ (વિજય સેતુપતિ) એકબીજાને મળે છે. ક્રિસમસ પર આખું શહેર ઝગમગી રહ્યું છે. આ એ વખતનું મુંબઈ છે જ્યારે તે બોમ્બેના નામે જાણીતું હતું. આલ્બર્ટ સાત વર્ષ પછી પોતાના ઘરે પાછો આવ્યો છે. પરંતુ ક્રિસમસની રાત્રે ઘરમાં મૃત મમ્મીને યાદ કરીને ઉદાસ થવાના બદલે તે શહેરમાં ફરવા નીકળી પડે છે. એ વખતે એક રેસ્ટોરાંમાં પોતાની દીકરી અને તેના ટેડીબેર સાથે એકલી બેઠલી મારિયા સાથે તેની મુલાકાત થાય છે. પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે આલ્બર્ટ મારિયા તરફ આકર્ષાય છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store