૧૩ જૂન, ૨૦૨૫ ના રોજ ઈરાનના તેહરાનમાં, ઇઝરાયલી હુમલાઓ પછી ક્ષતિગ્રસ્ત ઇમારતમાંથી ધુમાડો નીકળે છે. Majid sgaripour/WANA (West Asia News Agency) via REUTERS

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યપૂર્વમાં સંભવિત “મોટા સંઘર્ષ”ની ચેતવણી આપ્યા બાદ, ઇઝરાયલે શુક્રવાર, 13 જૂને ઇરાનના પરમાણુ પ્લાન્ટ અને લશ્કરી સ્થળો પર ભીષણ હુમલા કર્યાં હતાં. શુક્રવારે સવારે ઈરાનની રાજધાનીમાં વિસ્ફોટો સંભળાયા હતા. ઇરાનને પણ ઇઝરાયેલ પર 100થી વધુ ડ્રોન છોડ્યાં હતાં. ઇઝરાયેલના હુમલામાં ઈરાનમાં બે

વરિષ્ઠ લશ્કરી કમાન્ડરો અને ટોચના પરમાણુ વૈજ્ઞાનિકોના મોતમાં થયા હોવાના અહેવાલ મળ્યાં હતાં.
ઈરાનને દાવો કર્યો હતો કે તેની હવાઈ સંરક્ષણ 100 ટકા કાર્યરત ક્ષમતા પર છે. ઇઝરાયલે ઇમર્જન્સની જાહેરાત કરી હતી. તેના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે કહ્યું કે આ કાર્યવાહી બાદ તેહરાન તરફથી બદલો લેવાની કાર્યવાહી શક્ય છે.

લશ્કરી અને પરમાણુ મથકો સહિત અનેક વિસ્તારોમાં ઇઝરાયલ દ્વારા કરાયેલા ઘાતક હવાઈ હુમલાઓ બાદ ઈરાને “આકરો જવાબ” આપવાની ચેતવણી આપી હતી. ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનીએ કહ્યું હતું કે ઈરાનમાં બે વરિષ્ઠ લશ્કરી કમાન્ડરો અને ટોચના પરમાણુ વૈજ્ઞાનિકોના મોતનો યહૂદી દેશે ગંભીર પરિણામો ભોગવવા પડશે.

રાજ્ય ટેલિવિઝનના અહેવાલમાં જણાવાયું હતું કે ઇઝરાયલના અનેક સ્થળોને નિશાન બનાવ્યા બાદ ઇરાનના સશસ્ત્ર દળોના વડા મોહમ્મદ બાઘેરી અને વરિષ્ઠ રિવોલ્યુશનરી ગાર્ડ્સ કમાન્ડર ગુલામ અલી રશીદના મોત થયા હતા. તસ્નીમ ન્યૂઝ એજન્સીએ એ પણ અહેવાલ આપ્યો છે કે પરમાણુ વૈજ્ઞાનિકો મોહમ્મદ મેહદી તેહરાનચી અને ફેરેદુન અબ્બાસીના પણ મોત થયા હતાં.

LEAVE A REPLY