સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની એક ફ્લાઇટમાં મંગળવાર, 17 જૂને ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને સાવચેતીના પગલા રૂપે, બધા મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા.(Public Relations, Kolkata airport/ANI Photo)

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને પગલે બોઇંગના ડ્રીમલાઇનર વિમાન અંગે વધતી જતી ચિંતા વચ્ચે એર ઇન્ડિયા ડ્રીમલાઇનરની 5 ઇન્ટરનેશનલ ફ્લાઇટને મંગળવાર, 17 જૂને રદ કરાઈ હતી. તેમાં અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ સુધીની એક ફ્લાઇટનો પણ સમાવેશ થતો હતો.

AI 915 (દિલ્હી-દુબઈ), AI 153 (દિલ્હી-વિયેના), AI 143 (દિલ્હી-પેરિસ), AI 159 (અમદાવાદ-લંડન) અને AI 170 (લંડન-અમૃતસર) સહિતની પાંચ ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ કરાઈ હતી.  આ ઉપરાંત, AI 315 દિલ્હી જતી ડ્રીમલાઇનરને પણ ટેકનિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો, જેના કારણે પાઇલટને હોંગકોંગ પાછા ફરવાની ફરજ પડી હતી.

વહેલી સવારે એર ઇન્ડિયાની સાન ફ્રાન્સિસ્કો-મુંબઈ ફ્લાઇટ કોલકાતામાં નિર્ધારિત રોકાણ દરમિયાન ટેકનિકલ ખામીનો સામનો કરવો પડ્યો હતો અને એરલાઇનને બધા મુસાફરોને ઉતારી દેવા પડ્યા હતાં.

એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તેની AI 143 સેવામાં ફ્લાઇટ પહેલાની તપાસ દરમિયાન સમસ્યા આવી હતી, અને તેને સુધારવામાં સમય થશે.

અમદાવાદ-લંડન ગેટવિક સેવા રદ થવા બદલ એરલાઇનને એરસ્પેસ નિયંત્રણો અને વધારાની સાવચેતી તપાસને કારણે વિમાન ઉપલબ્ધ ન હોવાનું કારણ આપ્યું હતું.

 

LEAVE A REPLY