ઇઝરાયલના હર્ઝલિયામાં ૧૭ જૂન, ૨૦૨૫ના રોજ ઇરાનના મિસાઇલ હુમલા બાદ બસમાં આગ લાગી હતી. REUTERS/Ronen Zvulun

ઇરાનના પરમાણુ મથકોનો નાશ કરવા માટે ઇઝરાયેલે કરેલા હુમલા પછી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. પાકિસ્તાનને લાગે છે કે ઇરાન પછી ઇઝરાયેલ પાકિસ્તાનને ટાર્ગેટ કરી શકે છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે એક ઈરાની જનરલના ઓનલાઈન ફરતી વીડિયો ક્લિપ બનાવટી હોવાની જાહેરાત કરવી પડી હતી.

નાયબ વડાપ્રધાનનો પણ હોદ્દો સંભાળતા ડારે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર એક વીડિયો છે જેમાં એક ઈરાની જનરલને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે: ‘જો ઈઝરાયલ ઈરાન પર પરમાણુ હુમલો કરશે તો પાકિસ્તાન ઈઝરાયલ પર પરમાણુ હથિયારોથી હુમલો કરશે. આ બેજવાબદાર અને ખોટા સમાચાર છે. આવા દાવાઓ ઇન્ટરનેટ પર વાયરલ થયા હતાં અને યુકેના એક મીડિયા હાઉસે પણ આવો રીપોર્ટ કર્યો હતો. અમારા તરફથી, આવું કોઈ નિવેદન આવ્યું નથી. તે બનાવટી છો.

ડારે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાનની પરમાણુ નીતિ 1998થી બદલાઈ નથી. પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો સ્વબચાવ માટે છે. તે આ પ્રદેશમાં સમાનતા, શાંતિ અને સુરક્ષા માટે જરૂરી છે. ઇઝરાયલ પાકિસ્તાન તરફ નજર કરવાની પણ હિંમત કરી શકે નહીં. પાકિસ્તાન પાસે કોઈપણ કાર્યવાહીનો જવાબ આપવા માટે પૂરતી શક્તિ છે. આપણા સશસ્ત્ર દળો સંપૂર્ણપણે સતર્ક છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાને ઈરાન સંઘર્ષ પર નજર રાખવા માટે 13 જૂને વિદેશ મંત્રાલયના ઇમર્જન્સી મેનેજમેન્ટ યુનિટને સક્રિય કર્યું છે.

LEAVE A REPLY