
અમેરિકા અને ઇઝરાયેલ સાથેના યુદ્ધને કારણે એક અંદાજ મુજબ ઇરાનમાં 32 લોકો વિસ્થાપિત થયા હોવાનું અનુમાન છે. યુનાઇટેડ નેશન્સની રેફ્યુજી એજન્સી જણાવ્યા મુજબ, લોકો પોતાનાં ઘર છોડીને વધુ સુરક્ષિત વિસ્તારો તરફ જવા મજબૂર બન્યા છે. ઘણાં શહેરોમાં ભારે વિનાશ થયો છે અને 30થી વધુ હોસ્પિટલોને નુકસાન થયું છે.
અમેરિકા અને ઇઝરાયલના સતત હવાઈ હુમલાઓ વચ્ચે ઈરાનમાં માનવીય સંકટ દિવસે ને દિવસે ગંભીર બની રહ્યું છે. UNHCRના જણાવ્યા અનુસાર જો હુમલા ચાલુ રહેશે તો સ્થળાંતરિત લોકોની સંખ્યા વધુ ઝડપથી વધી શકે છે. એજન્સી મુજબ આ સંખ્યા લગભગ છ લાખથી 10 લાખ ઈરાની પરિવારો જેટલી થાય છે. UNHCRનાં અધિકારી અયાકી ઈતોએ જણાવ્યું હતું કે, મોટા ભાગના લોકો તહેરાન અને અન્ય મોટા શહેરી વિસ્તારોમાંથી દેશના ઉત્તર ભાગો અને ગ્રામીણ વિસ્તારો તરફ જઈ રહ્યા છે, જ્યાં તેઓ તુલનાત્મક રીતે વધુ સુરક્ષિત સ્થાન શોધી રહ્યા છે. UNએ ચેતવણી આપી છે કે યુદ્ધની આ વિનાશકારી અસર લેબેનોન અને મધ્ય-પૂર્વના અન્ય દેશોમાં પણ જોવા મળી શકે છે. લેબેનોનમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પોતાનાં ઘરો છોડીને ભાગી રહ્યા છે.












