પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગયા જાન્યુઆરી મહિનામાં માંડલની હોસ્પિટલમાં 17 દર્દીઓને આંખના મોતિયાંનાં ઓપરેશન બાદ ઇન્ફેક્શન થયું હતું ત્યારે હવે તેના થોડા દિવસોમાં જ ગુજરાતમાં ફરી એક આવી ઘટના બની છે. રાધનપુરની સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના પાંચ દર્દીઓએ એક અઠવાડિયા પહેલા મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું, તેઓ હવે ઇન્ફેક્શનનો સામનો કરી રહ્યાં અને તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

સિવિલ હોસ્પિટલના આંખના સર્જન અને આરએમઓ ડો. ઉમંગ મિશ્રાએ જણાવ્યું હતું કે શુક્રવારે વહેલી સવારે, દર્દીઓ અસ્પષ્ટ દ્રષ્ટિ, આંખમાં દુખાવો અને પાણીની ફરિયાદ સાથે સિવિલ આઈ હોસ્પિટલ પહોંચ્યા હતાં. પ્રારંભિક તપાસમાં સંભવિત બેક્ટેરિયલ ચેપનું હોવાનું જણાય છે.

આ દર્દીઓએ બે ફેબ્રુઆરીએ સારવાર કરાવી હતી જે બાદ ઇન્ફેકશન થતા 4 તારીખે સિવિલ દાખલ કરાયા હતા. ઓપરેશન બાદ પાંચ જેટલા દર્દીઓને આંખમાં દુખાવાની ફરિયાદ હતી. સાથે આંખ લાલ રહેવી, આંખમાંથી પાણી પડવાની પણ સમસ્યા થઇ હતી. જોકે આ મામલે કોઈ ફરિયાદ થઇ નથી.

માંડલમાં શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં ઓપરેશન કરાવનાર દર્દીઓ સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ જિલ્લાના હતા. કુલ 25 દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાંથી 17 દર્દીઓને ઈન્ફેક્શન લાગ્યું હતું જેમાંથી પાંચ દર્દીઓને દેખાવાનું બંધ થઈ જતા અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં. મહત્વનું છે કે, માંડલ અંધાપાકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ થઇ હતી. હાઇકોર્ટે આરોગ્ય વિભાગની ઝાટકણી કાઢી હતી.

LEAVE A REPLY

2 × one =