Vol. 3 No. 254 About   |   Contact   |   Advertise 24th June 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
પાંગળા નેતાઓએ NHSને રેસિસ્ટ બનાવ્યું

સાઉથ એશિયન મૂળના ડોકટરો પાસે કેટલાક શ્વેત દર્દીઓની સારવાર કરાવવાનું બંધ કરવામાં આવી રહ્યું છે એવું ગરવી ગુજરાતને કહેવામાં આવ્યુ છે. કેટલાકે સોશ્યલ મીડિયા પર જઇને શ્વેત માતાપિતા અને શ્વેત દર્દીઓ સામે ફરિયાદ કરી છે જેઓ તેમના દ્વારા સારવાર લેવાનો ઇનકાર કરી રહ્યા છે. જો કે કહેવાતી “વ્હાઇટ લેડ કેર”ની ઘટનાઓ નવી નથી.
પરંતુ દુ:ખની વાત એ છે કે, હેલ્થ સેક્રેટરીએ આદેશ આપ્યો હોવા છતાં ગરવી ગુજરાતે જાણ્યું હતું કે વરિષ્ઠ મેનેજરોએ “રેસીસ્ટ માતાપિતા અને દર્દીઓ” તરીકે વર્ણવેલ લોકો સાથે જોડાણ કરવાનું ચાલુ રાખ્યું છે.
બ્રિટીશ એસોસિએશન ઑફ ફિઝિશ્યન્સ ઑફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO)ના પ્રમુખ ડૉ. રમેશ મહેતાએ જણાવ્યું હતું કે, “ગઈ કાલે કોઈએ મને વોટ્સએપ પર સંદેશ મોકલી જણાવ્યું હતું કે એક શ્વેત માતાપિતાએ ભારપૂર્વક કહ્યું હતું કે શ્વેત ડોક્ટર જ હોવા જ જોઈએ, જેથી મેડિકલ ડાયરેક્ટરે શ્વેત ડૉક્ટર આપવાની સંમતિ આપી હતી.

Read More...
રસીના બન્ને ડોઝ લીધા હોય તેવા લોકોને કોવિડ ક્વોરેન્ટાઇન નિયમોમાં છૂટ

દેશના લોકો સમર હોલીડેઝનો આનંદ ઉઠાવી શકે તે આશયે સરકારે રસીનો ડબલ ડોઝ ધરાવનારા લોકોને કોવિડ ક્વોરેન્ટાઇન નિયમોમાં છૂટ આપવાનું સરકાર વિચારી રહી છે. મિનિસ્ટર્સ આગામી ઓગસ્ટથી મુસાફરી પરનો પ્રતિબંધ હળવો કરશે તેમ લાગી રહ્યું છે અને ગુરૂવારે મુસાફરી પરના પ્રતિબંધોમાં ફેરફારની ઘોષણા કરાશે.

Read More...
વિશ્વભરમાં 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

દુનિયાભરમાં 21 જૂને 7મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અમુક થીમ નક્કી કરવામાં આવે છે. આવી જ રીતે આ વર્ષની થીમ છે, યોગા ફોર વેલ-બિઇંગ એટલે કે કુશળતા માટે યોગ.

Read More...
કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનો વિશ્વભરમાં હાહાકાર

વિશ્વ આરોગ્ય સંસ્થા ‘હુ’ એ ગયા સપ્તાહે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસનો ખૂબજ વધારે ચેપી ડેલ્ટા વેરિયન્ટ હાલમાં આખી દુનિયામાં વાઈરસનો સૌથી વધુ છવાઈ ગયેલો અને ચિંતાજનક પ્રકાર બની ગયો છે. આ ડેલ્ટા વેરિયન્ટ સૌપ્રથમ ભારતમાં ઓળખાયો હતો અને હુએ તેને ડેલ્ટા વેરિયન્ટ તરીકે ઓળખાવ્યો તે પહેલા તે ઈન્ડિયન વેરિયન્ટ તરીકે પંકાઈ ગયો હતો.

Read More...
જોન્સનની ‘રફ શિયાળા’ની ચેતવણી: વધુ લોકડાઉનને નકાર્યું

હર્ટફર્ડશાયરની એક લેબોરેટરીની 20 જૂનના રોજ મુલાકાત દરમિયાન વડા પ્રધાન બોરિસ જોન્સને ‘રફ શિયાળા’ની ચેતવણી આપતા ભવિષ્યના વધુ લોકડાઉનને નકારી કાઢી હોલીડે કરવાની બ્રિટનના લોકોની આશા હોવા છતાં મુસાફરી માટે આગામી વર્ષ ‘મુશ્કેલ વર્ષ’ બનશે એમ જણાવ્યું હતું.

Read More...
યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સની એચ-1બી વીઝાની સંખ્યા બમણી કરવા માંગણી

યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સે કુશળ અને પ્રોફેશનલ વર્કફોર્સની અછત ટાળવા બાઇડેન તંત્ર અને કોંગ્રેસને અનુરોધ કરીને એચ-1બી વીઝાની સંખ્યા બમણી કરવા તથા ગ્રીન કાર્ડ માટે દેશ દીઠના ક્વોટા દૂર કરવા માંગણી કરી છે.

Read More...
વિદેશી વિદ્યાર્થીઓને યુકેમાં વર્ક વીઝાના લાભ માટેની પ્રવેશ મર્યાદા લંબાવાઈ, ભારતીયોને ફાયદો થશે

યુકેમાં અભ્યાસ પછીના નવા વર્ક (પીએસડબ્લ્યુ) વીઝાનો લાભ મેળવવા હકદાર વિદ્યાર્થીઓ માટે યુકેમાં પ્રવેશવાની સમયમર્યાદામાં સરકારે ગયા સપ્તાહે ફરી વધારો કરતાં ભારતીય સહિતના વિદેશી વિદ્યાર્થીઓને ફાયદો થશે. છેલ્લા એક વર્ષ દરમિયાન યુકેમાં અભ્યાસ માટે જતા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયો સંખ્યાના આધારે સૌથી મોટા જૂથમાંના એક છે.

Read More...
ભારતમાં ઓક્ટોબર સુધી કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના

ભારતમાં ઓક્ટોબર સુધી કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના છે, જેથી વધુ સારી તૈયારીઓ કરવી જરૂરી છે. આ રોગચાળો ઓછામાં ઓછો એક વર્ષ માટે જાહેર આરોગ્ય માટે ખતરો બની રહેશે, એવી રોઇટર્સના મેડિકલ એક્સપર્ટ પોલમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Read More...
જામનગરની હોસ્પિટલમાં યૌનશોષણના આક્ષેપથી ખળભળાટ

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં કોવિડ બિલ્ડિંગમાં એટેન્ડન્ટ તરીકે કામ કરતી કેટલીક યુવતીઓના કથિત યૌન શોષણના મુદ્દે સમગ્ર રાજ્યરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાત્કાલિક અસરથી જિલ્લાના વહીવટી તંત્રને સમગ્ર મુદ્દાની વિગતવાર તપાસ કરવા માટેના અને દોષિતો કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

Read More...
આણંદ – તારાપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 9ના મોત

આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ ગામ નજીક બુધવારે સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા હતા. આ ઇકો કાર સુરતથી ભાવનગર લઇ રહી હતી અને તેમાં મૂળ ભાવનગરના વરતેજ ગામનો અજમેરી પરિવાર હતો.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
સ્વીસ બેન્કોમાં ભારતીયોની ડિપોઝિટ વધીને 13 વર્ષની ટોચે

ભારતીયો અને ભારતીય કંપનીઓની દ્વારા સ્વિત્ઝર્લેન્ડની બેન્કોમાં મૂકવામાં આવેલું જમારકમ 2020માં વધીને 2.55 બિલિયન સ્વિસ ફ્રાન્ક્સ (આશરે રૂ.20,700 કરોડ) થઈ હતી, જે છ્લ્લાં 13 વર્ષમાં સૌથી વધુ છે. આ જમા રકમમાં સ્વિસ બેન્કોની ભારતમાં સ્થિત બ્રાન્ચ અને અન્ય નાણાંકીય સંસ્થાઓ દ્વારા જમા કરેલી રકમનો પણ સમાવેશ થાય છે.

Read More...
વિશ્વની 60 કંપનીના ટોચના મેનેજમેન્ટમાં ભારતીય મૂળના લોકોનો દબદબો

આશરે એક બિલિયન ડોલરની આવક સાથે વિદેશમાં હેડક્વાર્ટર ધરાવતી આશરે 60 કંપનીઓના વડા ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ છે, એમ ઇન્ડિયન ડાયસ્પોરોના નોન પ્રોફિટ સંગઠન ઇન્ડિયાસ્પોરાએ જણાવ્યું હતું. આમાંથી કેટલાંક ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ ચેરમેન અને સીઇઓ બંનેની ભૂમિકામાં છે અને આવી યાદીમાં તાજેતરમાં સત્યા નાંદેલો સામેલ થયા છે.

Read More...
ભારતમાં ગોલ્ડ જ્વેલરીમાં હોલમાર્કિંગ ફરજિયાત

ભારતમાં 16 જૂનથી સોનાના દાગીના પર BIS માપદંડ પ્રમાણે હૉલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નવા નિયમનો તબક્કાવાર રીતે 256 જિલ્લાઓમાં અમલ કરાશે. હોલમાર્કિંગ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આપવામાં આવતું ક્વોલિટી અંગેનું સર્ટિફિકેટ છે.

Read More...
ભારતની ટોચની 5 આઇટી કંપનીઓ 96,000 લોકોની ભરતી કરશેઃ નાસકોમ

ઓટોમેશનનને કારણે આઇટી ક્ષેત્રમાં આશરે 3 મિલિયન નોકરીઓ સામે જોખમ ઉભું થશે તેવા અહેવાલનો જવાબ આપતા ભારતના આઇટી ક્ષેત્રના સંગઠન નાસકોમે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની ટોચની પાંચ આઇટી કંપનીઓ રોજગારીની નવી 96,000 તકનું સર્જન કરશે.

Read More...
સત્યા નાદેલાને પ્રમોશન, માઈક્રોસોફ્ટમાં બોર્ડ ચેરમેન બનાવાયા

માઈક્રોસોફ્ટના ભારતીય મૂળના સીઈઓ સત્યા નાદેલા કંપનીએ હવે બોર્ડ ચેરમેન બનાવ્યા છે. તેઓ ચેરમેન તરીકે જોન થોમ્પસનનું સ્થાન લેશે. આ પ્રમોશનને પગલે વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપનીમાં 53 વર્ષીય નાદેલાના પ્રભાવમાં વધારો થશે.

Read More...
  Entertainment

ફિલ્મોમાં શિલ્પા શેટ્ટીનું 13 વર્ષે કમબેક

છેલ્લા 13 વર્ષથી શિલ્પા શેટ્ટી ફિલ્મી પડદાને બદલે ટીવી પડદે વધુ જોવા મળી છે. જુદા જુદા ડાન્સ અને મ્યુઝિકલ શોમાં તેણે જ્યૂરી તરીકે કામ કર્યું છે. હવે એવું કહેવાય છે કે, લાંબા સમય પછી તે ફરીથી ફિલ્મી કારકિર્દી માટે ગંભીર બની છે.

Read More...

હિમેશના નવા આલ્બમની ચર્ચા

બોલીવૂડમાં મૂળ ગુજરાતી ગાયક-સંગીતકાર હિમેશ રેશમિયા તેના નવા આલબમ સુરુર 2021ને રિલીઝ કરવા માટે તૈયાર છે. તેના પહેલા ટીઝર પોસ્ટરમાં તેની આઈકોનિક કેપ અને માઈક હશે.

Read More...

આયુષ્માન બનશે વીર સાવરકર?

સ્વ.સુશાંત સિંહ રાજપૂતના મિત્ર અને ફિલ્મ નિર્માતા સંદીપ સિંહે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી હતી. સંદીપ સિંહ હવે સ્વતંત્રતા સેનાની વીર સાવરકર પર ફિલ્મ બનાવે છે અને તેનું દિગ્દર્શન મહેશ માંજરેકર કરશે.

Read More...

ગદરઃ એક પ્રેમ કથાને યાદ કરે છે સની

સની દેઓલની ફિલ્મી કારકિર્દીમાં ‘ગદર: એક પ્રેમ કથા’નું ખૂબ જ મોટું યોગદાન છે. તે કહે છે કે તેણે કદી પણ નહોતું વિચાર્યું કે ‘ગદર: એક પ્રેમ કથા’નાં સંવાદો અને ગીતો ખૂબ જ લોકપ્રિય બની જશે.

Read More...

પરેશ રાવલથી પ્રભાવિત છે સુનિલ શેટ્ટી

એક સમયે સુનિલ શેટ્ટીએ બોલીવૂડમાં એક્શન હીરો તરીકે પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું હતું. પછી તેણે રોમેન્ટિક અને કોમેડી ફિલ્મોમાં પણ તેણે નસીબ અજમાવ્યું હતું. જોકે, તેની હેરાફેરી જેવી કોમેડી ફિલ્મોને આજે પણ લોકો પણ યાદ કરે છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store