Why did Ayushmann Khurrana reduce the fee?
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

સ્વ.સુશાંત સિંહ રાજપૂતના મિત્ર અને ફિલ્મ નિર્માતા સંદીપ સિંહે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી હતી. સંદીપ સિંહ હવે સ્વતંત્રતા સેનાની વીર સાવરકર પર ફિલ્મ બનાવે છે અને તેનું દિગ્દર્શન મહેશ માંજરેકર કરશે. હવે આ ફિલ્મ અંગે એવું જાણવા મળ્યું છે કે, ફિલ્મમાં સ્વાતંત્ર સેનાની વીર સાવરકરના પાત્ર માટે આયુષ્માન ખુરાનાનો સંપર્ક કરવામાં આવ્યો છે.

સૌથી રસપ્રદ વાત તો એ છે કે, આ પાત્ર માટે રાજકુમાર રાવનું પણ નામ આગળ આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આયુષ્માન ખુરાના અને રાજકુમાર રાવ વચ્ચે આ રોલ માટે રસપ્રદ સ્પર્ધા ચાલી રહી છે. નિર્માતા-દિગ્દર્શકને વીર સાવકરના પાત્રને યોગ્ય ન્યાય આપી શકે તેવો દમદાર અભિનેતાની જરૂર છે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, આયુષ્માન ખુરાના અને રાજકુમાર રાવ વચ્ચેની હોડમાં આયુષ્માન બાજી મારી જાય તેવી પૂરી શક્યતા છે. બોક્સ ઓફિસ પર આ બન્નેની સરખામણીમાં આયુષ્માને વધુ સારા પરિણામ આપ્યા છે. જોકે કહેવાય છે કે, આયુષ્માને આ ફિલ્મ સાઇન કરી લીધી છે. જોકે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.