પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમદાવાદમાં જીન્સ બનાવતી કંપનીની કાડ ધોવાની ટાંકીમાં ઉતરેલા ત્રણ શ્રમિકોના કથિત રીતે મોત થયા હતાં. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા હતાં. પોલીસે આ ઘટનાની તપાસ ચાલુ કરી હતી.

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ખોડિયારનગર પાસે જીન્સ ફેક્ટરીમાં આ ઘટના બનીવ હતી. મૃતકોની ઓળખ સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર તરીકે થઈ હતી. મૃતકોના પરિવારજનોનો આક્ષેપ કર્યો હતો કે કંપનીની બેદરકારીના કારણે મૃતકોના મૃતદેહ આખી રાત ટાંકીમાં રહ્યાં હતાં.

પ્રાથમિક માહિતી અનુસાર, ત્રણેય મૃતક નાઇટ શિફ્ટ દરમિયાન કામ કરી રહ્યા હતાં, સફાઇ માટે તેઓ વૉશિંગ ટાંકીમાં પડ્યા હતાં, પરંતુ બહાર આવવામાં નિષ્ફળ ગયા હતા અને રાતભર ટાંકીમાં જ રહ્યા હતાં.

અમદાવાદના વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ઘટનાનાક્રમ અને સુરક્ષા પ્રોટોકોલમાં સંભવિત ખામી શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. આ એક દુઃખદ ઘટના છે. અમે શ્રમિકો ટાંકીની અંદર કેવી રીતે પહોંચ્યા અને ત્યાં શું કરતા હતા? ત્યાં સુરક્ષાની શું સુવિધા હતી તે વિશે તપાસ કરી રહ્યા છીએ. હાલ પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY