એર ઇન્ડિયાએ 19 રૂટ પર નેરો-બોડી વિમાનો સાથે સંચાલિત 118 વિકલી ફ્લાઇટ્સમાં અસ્થાયી રૂપે ઘટાડો કરવાની રવિવાર, 22 જૂને જાહેરાત કરી હતી. આ ઘટાડો ઓછામાં ઓછા 15 જુલાઈ સુધી અમલી રહેશે. કંપનીએ ત્રણ રૂટ પરની ફ્લાઇટ્સને પણ સ્થગિત કરી હતી. અગાઉ એર ઇન્ડિયાએ વાઇડ બોડી વિમાનથી સંચાલિત ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

એક નિવેદનમાં એરલાઇને જણાવ્યું હતું કે તે તેના એકંદર નેરો-બોડી નેટવર્કમાં 5 ટકાથી ઓછાનો કામચલાઉ ઘટાડો કરશે. આ સ્વૈચ્છિક નિર્ણયને કારણે 3 રૂટ પર એર ઇન્ડિયાની સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે અને 19 રૂટ પર ફ્રીક્વન્સી ઘટાડવામાં આવી છે. આ ફેરફારો ઓછામાં ઓછા 15 જુલાઈ 2025 સુધી અમલમાં રહેશે.

ત્રણ રૂટ પર સાત વીકલી ફ્લાઇટ્સમા બેંગલુરુ-સિંગાપોર, પુણે-સિંગાપોર અને મુંબઈ-બાગડોગરા (AI551/552) ઓછામાં ઓછા 15 જુલાઈ સુધી સસ્પેન્ડ રહેશે. દિલ્હી-બેંગલુરુ અને દિલ્હી-મુંબઈ સહિત અન્ય વિવિધ રૂટ પર ફ્લાઇટ્સ ઘટાડવામાં આવશે.

 

LEAVE A REPLY