10 killed 4 injured in road accident near Vadodara
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સુરત-અમદાવાદ હાઈવે પર વડોદરા નજીક મંગળવારે બપોરે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે બાળકો સહિત ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા અને ચાર લોકો ઘાયલ થયા હતા. ફાયરબ્રિગેડ અને એરફોર્સની ટીમે છકડાનાં પતરાં કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા. ડેડ બોડીઓ કોલ્ડરૂમમા પોષ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.

દરજીપુરા નજીક હાઇવે પર બપોરે 12 વાગ્યાના અરસામાં બનેલા બનાવની પ્રાથમિક વિગત એવી છે કે, સુરત તરફથી આવી રહેલું કન્ટેનર અમદાવાદ તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન દરજીપુરા બ્રિજ પાસે કારને બચાવવા જતા કન્ટેનરના ચાલાકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને તેનાથી પેસેન્જર ભરેલા એક છકડાને અડફેટમાં લીધો હતો અને ત્યારબાદ ટેન્કર અને છકડો રસ્તાની એક બાજુએ ઉતરી જઈ એરફોર્સની કમ્પાઉન્ડમાં ઘૂસી ગયા હતા.

ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ત્યારે કેટલાક લોકો છકડામાં જીવતા હતા જ્યારે કેટલાક લોકો ના ચગદાઈ જવાથી મોત થયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા કટર વડે છકડાના પતરા કાપીને સૌથી પહેલા ચાર ઇજાગ્રસ્તોને બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

3 × two =