(ANI Photo)

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશે શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ જીવતા બહાર આવવામાં સફળ રહ્યાં, કારણ કે વિમાનનો તે ભાગ જ્યાં તેઓ બેઠા હતાં તે જમીનની નજીક હતો. તેમની સીટ ૧૧એ વિમાનના ડાબી બાજુએ ઇમરજન્સી દરવાજાની નજીક હતી અને તેનાથી બહાર નીકળી જવામાં સફળતા મળી હતી.

ગુજરાતને અડીને આવેલા દરિયાકાંઠાના શહેર દીવના મૂળ વતની વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કે, વિમાન જેવું રન-વે પર સ્પીડથી ટેક ઓફ કરવાની તૈયારીમાં હતું, ત્યારે જ કંઈક અજીબ અનુભવ થયો. અચાનક 5-10 સેકન્ડ માટે વિમાન અટકી ગયું હતું. બાદમાં અચાનક ગ્રીન અને વ્હાઇટ લાઇટ્સ ઓન થઈ ગઈ. જાણે એવું લાગ્યું કે, પાયલટે માંડ-માંડ પ્લેનને ટેક ઓફ કરાવ્યું હોય. બાદમાં સ્પીડમાં જ પ્લેન સીધું હોસ્ટેલની બિલ્ડિંગમાં જઈને અથડાયું. મારી આંખો સામે જ આખું પ્લેન બળીને ખાખ થયું હતું.

તેમણે જણાવ્યું હતું કે મારી સીટ પ્લેનના જે હિસ્સામાં હતી. તે હિસ્સો જ બિલ્ડિંગના નીચલા હિસ્સા સાથે અથડાયો હતો. ઉપરના હિસ્સામાં આગ લાગી હતી. અનેક લોકો ફસાયા હતા. હું મારી સીટ સાથે જ નીચે પટકાયો હતો. દરવાજો તૂટી જતાં હું સીટ સાથે પટકાયો, મારી સામે થોડી ખુલ્લી જગ્યા હોવાથી હું માંડ-માંડ તેમાંથી બહાર નીકળ્યો. વિમાનની બીજી બાજુમાં દિવાલ હોવાથી ત્યાંથી કોઈ બહાર નીકળી શક્યું ન હતું. મારી આંખો સામે જ બે એર હોસ્ટેસ, એક અંકલ-આંટી અને બધું જ બળી રહ્યું હતું. મેં બહાર આવીને જોયું તો ચારેબાજુ આગ અને ધુમાડાના ગોટે-ગોટા હતા. જો મને બહાર નીકળવામાં થોડી સેકન્ડ વધુ થઈ હોત તો હું પણ…

LEAVE A REPLY