અમદાવાદમાં અષાઠી બીજની વહેલી સવારે નીકળેલી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા દરમિયાન રથયાત્રામાં સામેલ 17 હાથીમાંથી એક નર હાથી બેકાબૂં બન્યો હતો અને તેનાથી થોડા સમય માટે ભક્તોમાં નાસભાગ મચી હતી અને તેનાથી એક ભક્ત ઘાયલ થયો હતો. અચાનક જ આ હાથી રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયો હતો. મહામતે હાથી પર નિયંત્રણ મેળવ્યું હતું.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (કંટ્રોલ રૂમ) કોમલ વ્યાસે જણાવ્યું હતું કે ખાડિયા વિસ્તારમાં એક હાથી સાંકડી ગલીમાં ઘૂસી ગયો હતો અને એક વ્યક્તિને અડફેટે લીધો હતો. ઘાયલ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ વિધ્ન આવ્યું હોવા છતાં રથયાત્રા સમયપત્રક મુજબ આગળ વધી હતી.
રથયાત્રામાં કુલ 17 ગજરાજ હતા અને તેમાંથી માત્ર એક જ નર હાથી હતો. શોભાયાત્રા ખાડિયા દરવાજા પર પહોંચી ત્યારે નર હાથી અચાનક જોરથી વાગતા સંગીત અને સીટીના અવાજને કારણે ઉશ્કેરાઈ ગયો હતો અને દોડવા લાગ્યો અને નિર્ધારિત માર્ગ પરથી ભટકી ગયો હતો.
વાયરલ થયેલા વીડિયોમાં, હાથી બેરિકેડ તોડીને ભીડમાં ઘૂસીને એક સાંકડી ગલીમાં પ્રવેશતો જોઈ શકાય છે.”ટ્રાન્ક્વીલાઈઝરની મદદ વિના હાથીને ઝડપથી કાબૂમાં લેવામાં આવ્યો હતો. ત્યારબાદ નર અને બે માદા હાથીઓને તે જ જગ્યાએ બાંધી દેવામાં આવ્યા હતાં.
