રવિવારે પુરીમાં શ્રી જગન્નાથ મંદિરના રત્ન ભંડાર ખુલતા પહેલા ભક્તોની ભીડ જામી હતી (ANI Photo)

ઓડિશાના પુરીમાં આવેલા ૧૨મી સદીના જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ૨૫ માર્ચ, ૨૦૨૬ના રોજ લગભગ પાંચ દાયકા (૪૮ વર્ષ)માં પ્રથમ વખત ખોલવામાં આવ્યો હતો અને ભગવાન જગન્નાથના આભૂષણો ગણતરીની પ્રક્રિયા ચાલુ કરાઈ હતી.

રાજ્ય સરકારની મંજૂરી બાદ ઉચ્ચ-સ્તરીય સમિતિ કડક સુરક્ષા હેઠળ ઇન્વેન્ટરી પ્રક્રિયા શરૂ કરવા માટે આંતરિક ચેમ્બરમાં પ્રવેશી હતી.૧૯૭૮ પછી આ ખજાનાની પહેલી વખત ગણતરી કરાશે. આનાથી લાંબા સમયથી ચાલતી જાહેર જિજ્ઞાસા અને સલામતીની ચિંતાઓનો અંત આવશે.

આ કવાયત હીરા, નીલમ, માણેક અને 1,000 કિલોથી વધુ સોનાની વસ્તુઓ સહિતની અપાર સંપત્તિની યાદી બનાવવાનો પ્રયાસ છે. ભગવાન જગન્નાથ મંદિરના રત્ન ભંડારને લઈને અનેક રહસ્યો છે. મંદિર સંચાલકોએ જણાવ્યું હતું કે રત્ન ભંડારમાં ગણતરી પ્રક્રિયા બુધવારે બપોરે 12:09 કલાક અને 1:45 કલાક વચ્ચે શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન માત્ર સત્તાવાર વ્યક્તિને જ અંદર પ્રવેશવાની છૂટ આપવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મંદિરના સંચાલન, પૂજાપાઠ પર કોઈ જ અસર નહીં થાય.

આ પહેલા જુલાઈ 1978માં આ મંદિરના રત્ન ભંડારમાં ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, તે સમયે મંદિરમાં 128.38 કિલોગ્રામના 454 સ્વર્ણ મિશ્રિત આભૂષણો 221.53 કિલોગ્રામ વજનના 293 ચાંદી મિશ્રિત આભૂષણો અને અનેક રત્નો હતા. ગાઉ ગણતરીની પ્રક્રિયા 72 દિવસ સુધી ચાલી હતી. જોકે આ વખતે ઓછા સમયમાં ગણતરી થઈ જવાની આશા છે.