આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની આગામી પેટાચૂંટણી માટે શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ હર્ષદ ગોવિંદભાઈ પરમારને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતાં. હર્ષદ પરમાર ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના પુત્ર છે અને હાલમાં ચિખોદ્રા ગ્રામ પંચાયતના સરપંચ અને આણંદ તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ તરીકે સેવા આપે છે.કોંગ્રેસ સહિતના બીજા પક્ષોએ હજુ સુધી આ પેટાચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી નથી.

ઉમરેઠ પેટાચૂંટણી માટે મતદાન 23 એપ્રિલ, 2026 ના રોજ યોજાશે અને પરિણામોની જાહેરાત સાથે 4 મે, 2026ના રોજ યોજાશે. ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકના કારણે આકસ્મિક નિધન થયું હતું. તેમના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. તેઓ 2017થી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં હતાં અને 2022માં ફરીથી ચૂંટાયા હતાં.

ભાજપ હાઈકમાન્ડે સહાનુભૂતિ અને સ્થાનિક સમીકરણોને ધ્યાને રાખીને ગોવિંદ પરમારના વારસાને આગળ ધપાવવા તેમના પુત્ર હર્ષદ પરમાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ મતવિસ્તારમાં 2.4 લાખથી વધુ નોંધાયેલા મતદારો છે. સ્થાનિક ચૂંટણી મૂલ્યાંકન મુજબ ઠાકોર-ક્ષત્રિય સમુદાયનું પ્રમાણ આશરે 54 ટકા છે.

/* */

2022માં રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં, ચાર ટર્મના ધારાસભ્ય ગોવિંદ પરમારે NCPના જયંત પટેલ ઉર્ફે બોસ્કીને 25,000 થી વધુ મતોથી હરાવ્યા હતાં.૧૮૨ સભ્યોની ગુજરાત વિધાનસભામાં, ભાજપ પાસે ૧૬૧ બેઠકો, કોંગ્રેસ પાસે ૧૨, આપ પાસે ૫, સમાજવાદી પાર્ટી પાસે ૧ અને બે અપક્ષ છે.