(ANI Photo/Sansad TV)

ભારતીય ચૂંટણી પંચ (ECI)એ  15 રાજ્યોમાંથી રાજ્યસભાની 56 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજવાની સોમવારે જાહેરાત કરી હતી. ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે. ગુજરાતના રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયા, અમીબેન યાજ્ઞિક, નારાયણ રાઠવા અને પરષોત્તમ રૂપાલાની મુદત પૂરી થઈ રહી છે.

ચૂંટણી પંચે સોમવારે જણાવ્યું હતું કે રાજ્યસભામાં 15 રાજ્યોમાં 56 બેઠકો ભરવા માટે દ્વિવાર્ષિક ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાશે. રાજ્યસભાના 50 સભ્યો 2 એપ્રિલે નિવૃત્ત થાય છે, જ્યારે છ સભ્યો 3 એપ્રિલે નિવૃત્ત થાય છે.

રાજ્યસભાના સભ્યોની મુદત છ વર્ષની હોય છે અને સાતત્ય સુનિશ્ચિત કરવા માટે દર બે વર્ષે એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થતાં હોય છે.

જે રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે તેમાં ઉત્તર પ્રદેશ (10), મહારાષ્ટ્ર (6), બિહાર (6), પશ્ચિમ બંગાળ (5), મધ્યપ્રદેશ (5), ગુજરાત (4), કર્ણાટક (4)નો સમાવેશ થાય છે. , આંધ્રપ્રદેશ (3), તેલંગાણા (3), રાજસ્થાન (3), ઓડિશા (3), ઉત્તરાખંડ (1), છત્તીસગઢ (1), હરિયાણા (1), અને હિમાચલ પ્રદેશ (1)નો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

four × five =