Why not yet a case of criminal liability in the Morbi disaster?
રવિવાર, 30 ઓક્ટોબર, 2022 ના રોજ મોરબીમાં મચ્છુ નદી પરનો જૂનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો .(PTI Photo)

મોરબીમાં રવિવાર, 30 ઓક્ટોબરે ફરી એકવાર મોટી હોનારત સર્જાઈ હતી. રિનોવેશન પછી તાજેતરમાં જ ખુલ્લો મૂકવામાં આવેલો મચ્છુ નદી પરનો પ્રખ્યાત ઝૂલતો પુલ તૂટી પડતા આશરે 400 લોકોના પાણીમાં પડ્યા હતા અને 60 લોકો ડુબી ગયા હતા. મૃતકોમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થતો હતો. સ્થાનિક ચેનલોના અહેવાલો મુજબ 95 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને મોતના આકડામાં વધારો થવાની શક્યતા છે. 170 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. પ્રધાન બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં 60 લોકોના મોત થયા છે અને 50થી 60 લોકો લાપતા બન્યા છે. મોરબીની આ દુર્ઘટનાએ મચ્છુ ડેમ દુર્ઘટનાની યાદ તાજી કરી હતી.

આ દુર્ઘટના પગલે મોટાપાયે પુરજોશમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દિવાળીની રજાઓમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. બ્રિજ પર વધુ લોકો હોવાથી પુલ બે ભાગમાં કટકા થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ હતી. ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે.

વહીવટીતંત્રે કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર જાહેર કર્યા હતા. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી હતી. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન કાર્યાલય (PMO) ટ્વીટ કર્યું હતું કે મોરબીની દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે વાતચીત કરી છે. તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમોની મોકલવાની સૂચના આપી છે. તેમણે પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવાની સૂચના આપી છે.

દુર્ઘટના અંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું હતું કે મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું. આ ઝૂલતો પુલ રૂ2 કરોડના ખર્ચે રિનોવેશન પછી નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પુલ રિનોવેશન માટે સાત મહિના બંઘ કરવામાં આવ્યો હતો.

મોરબી હોનારત અંગે ભારતના રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓએ દુઃખ કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુઃખ વ્યક્ત કર્યું હતું. રાષ્ટ્રપતિએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘મોરબીમાં થયેલી દુર્ઘટનાએ મને ચિંતિત કરી દીધી છે. મારી સંવેદના અને પ્રાર્થનાઓ અસરગ્રસ્તો સાથે છે. રાહત અને બચાવના પ્રયાસોથી પીડિતોને રાહત મળશે.

વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) શ્રેણીબદ્ધ ટ્વીટમાં જણાવ્યું હતું કે PM નરેન્દ્ર મોદીએ મોરબીમાં દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેકના વ્યક્તિના નજીકના સંબંધીઓ માટે PMNRF (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ) તરફથી રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દુર્ઘટના અંગે પોતાના ટ્વીટમાં લખ્યું કે, “મોરબીમાં થયેલી દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. મેં આ અંગે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી છે. સ્થાનિક વહીવટીતંત્ર સંપૂર્ણ તૈયારી સાથે રાહત કાર્યમાં લાગેલું છે. NDRF પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી જશે. ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાનો વહીવટીતંત્રને આદેશ આપવામાં આવ્યો છે.

આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટનાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. હું આવા મુશ્કેલ સમયમાં તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને અપીલ કરું છું કે તેઓ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને શક્ય તમામ મદદ કરે અને ગુમ થયેલા લોકોની શોધમાં મદદ કરે.

LEAVE A REPLY

17 + three =