Reliance Group will build a hotel near the Statue of Unity

મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે બિઝનેસના નવા ક્ષેત્રમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહી હોવાનું સમચાર સૂત્રો જણાવે છે. કહેવાય છે કે કંપની દ્વારા મધ્ય ગુજરાતના કેવડિયા ખાતે નર્મદા નદી પર નિર્માણ પામેલા ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ પાસે હોટેલ અને રીસોર્ટ બનાવવાનું આયોજન કરી રહી છે. રીલાયન્સ ગ્રુપ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું વિચારે છે. રીલાયન્સ જૂથની આ નવી કંપની દેશમાં અનેક સ્થળોએ આ પ્રકારની સુવિધા ઊભી કરવાનું વિચારે છે. છેલ્લા ચાર વર્ષમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની લાખો લોકોએ મુલાકાત લીધી છે.

LEAVE A REPLY

one × four =