RT-PCR negative test mandatory for air passengers from 5 countries in India from today
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિશ્વમાં અને ખાસ કરીને ચીનમાં કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે ભારતે પહેલી જાન્યુઆરીથી પાંચ દેશોના વિમાન મુસાફરો માટે નેગેટિવ કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. આ દેશોમાં ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઈલેન્ડ અને જાપાનનો સમાવેશ થાય છે. મુસાફરોએ વિમાનમાં બેસતા પહેલા નેગેટિવ કોરોના ટેસ્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે.

1 જાન્યુઆરી, 2023થી એરલાઇન્સને આ નિયમોનો સમાવેશ કરવા માટે તેમની ચેક-ઇન કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવા પડશે અને એર સુવિધા પોર્ટલ પર સ્વ-ઘોષણા ફોર્મ સબમિટ કર્યું હોય તેવા જ મુસાફરોને જ બોર્ડિંગ પાસ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 30 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં આવતા મુસાફરો માટે સુધારેલી કોવિડ માર્ગદર્શિકા જારી કરી હતી. મુસાફરીના 72 કલાક પહેલા આરટી-પીસીઆર ટેસ્ટ કરવાનો રહેશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં આવતા 2 ટકા મુસાફરોના રેન્ડમ કોરોના ટેસ્ટનો નિયમ પણ અમલી રહેશે.

વિશ્વના વિવિધ દેશોમાં અને ખાસ કરીને ચીનમાં કોરોના વાયરસ ચેપના વધતા જતા કેસો અને આ પાંચ દેશોમાં SARS-CoV-2ના ફેલાવા અંગેના અહેવાલો વચ્ચે આ નિર્ણયો લેવામાં આવ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શુક્રવારે તમામ એરલાઇન્સ, એરપોર્ટ ઓપરેટરો અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને નવી માર્ગદર્શિકા સંબંધિત માહિતી આપી હતી.

LEAVE A REPLY

fourteen + fifteen =