પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગાંધીનગરમાં રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે શુક્રવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં 1,052 લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે, જેમાં 80% મૃતકો 11 થી 25 વર્ષની વય જૂથના હતાં.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં 1,052 જેટલા લોકો હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા છે. તેમાંથી લગભગ 80%  લોકો 11 થી 25 વર્ષની વય જૂથમાં હતા અને આ વિદ્યાર્થીઓ અને યુવાનો મેદસ્વી પણ ન હતા. 108 એમ્બ્યુલન્સ સેવાને દરરોજ 173 કાર્ડિયાક ઇમરજન્સી કોલ્સ મળે છે. યુવાનો ભયમાં જીવી રહ્યા છે કારણ કે મોટાભાગના હાર્ટ એટેક પીડિતો તેમની વય જૂથના હતા. છેલ્લા છ કે સાત મહિનામાં ક્રિકેટ રમતી વખતે અથવા ગરબામાં ભાગ લેતી વખતે હાર્ટ એટેકને કારણે લોકો મૃત્યુ પામ્યાં હતાં.

LEAVE A REPLY

three × 2 =