પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતના સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં અલગ અલગ માર્ગ અકસ્માતોમાં ત્રણ કિશોરો સહિત પાંચ લોકોના મોત થયા હતાં અને ત્રણ અન્ય ઘાયલ થયા હતાં.

સુરેન્દ્રનગરમાં મોટરસાઇકલ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં દિવ્યાંશ પરમાર (૧૮), ઇમરાન મોવર (૧૬) અને અફઝલ સિપાઈ (૨૨)ના મોત થયા હતા. આ ત્રણેય સુરેન્દ્રનગર શહેરના રહેવાસી હતા. અકસ્માતમાં તેમના ઘટનાસ્થળે મોત થયા હતાં. ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરાઈ હતી.

શનિવારે રાત્રે અમરેલી જિલ્લાના સાવરકુંડલા-મહુવા રોડ પર એક કારે મોટરસાયકલોને ટક્કર મારતાં એક મહિલા અને 14 વર્ષના છોકરાનું મોત થયું હતું અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા.સાવરકુંડલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સી.એન. કુગાસિયાએ જણાવ્યું હતું કે, અજાણ્યો વાહન ચાલક વાહન છોડીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. શનિવારે રાત્રે સાવરકુંડલા શહેરની બહાર આવેલા એક રેસ્ટોરન્ટમાં એક પરિવારના ત્રણ સભ્યો રાત્રિભોજન માટે ગયા હતા અને બે મોટરસાઇકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા.કોઈ કારણોસર, તેઓ સાવરકુંડલા-મહુવા રોડ પર ખોટી બાજુએ વાહન ચલાવી રહ્યા હતા ત્યારે એક કારે તેમને ટક્કર મારી. ૫૮ વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતકોની ઓળખ વનિતા જોશી (58) અને જય જોશી (14) તરીકે થઈ હતી, પરિવારના અન્ય ત્રણ સભ્યો ઘાયલ થયા હતાં.

LEAVE A REPLY