(@dgpgujarat X/ANI Photo)

અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયા બોઇંગ 787-8 ડ્રીમલાઇનરના મેન્ટેનન્સની કામગીરી તૂર્કીની કંપની સંભાળતી હોવાના અહેવાલને તુર્કીએ નકારી કાઢ્યાં હતાં. તુર્કીના ડિરેક્ટોરેટ ઓફ કોમ્યુનિકેશન્સ સેન્ટર ફોર કાઉન્ટરિંગ ડિસઇન્ફોર્મેશને જણાવ્યું હતું કે બોઇંગ 787-8 પેસેન્જર વિમાનનું ટર્કિશ ટેકનિકે મેન્ટેનન્સ કર્યા હોવાનો દાવો ખોટો છે.

ડિરેક્ટોરેટે વધુમાં જણાવ્યું હતું કે તુર્કી ટેકનિક દ્વારા ક્રેશ થયેલ વિમાન જાળવવામાં આવ્યું હોવાનો દાવો ખોટી માહિતી રજૂ કરે છે, જેનો હેતુ તુર્કી-ભારત સંબંધો અંગે લોકોના અભિપ્રાય સાથે છેડછાડ કરવાનો છે. ૨૦૨૪ અને ૨૦૨૫માં એર ઇન્ડિયા અને ટર્કિશ ટેકનિક વચ્ચે થયેલા કરારો હેઠળ, ફક્ત B777 પ્રકારના વાઇડ-બોડી એરક્રાફ્ટ માટે મેન્ટેનન્સ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. અકસ્માતમાં સામેલ બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર આ કરારના દાયરામાં આવતું નથી. આજ સુધી, ટર્કિશ ટેકનિકે આ પ્રકારના કોઈપણ એર ઇન્ડિયા વિમાનનું જાળવણી કાર્ય હાથ ધર્યું નથી.

ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં તુર્કીયેએ પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું, જેના કારણે ભારતે તુર્કીયેનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે એર ઈન્ડિયાએ પણ તુર્કિશ ટેકનિક સાથેના કરાર ખતમ કર્યા હતાં.

 

LEAVE A REPLY