પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓએ સોમવાર, 16 જૂને પુષ્ટિ આપી હતી કે કોકપિટ વોઈસ રેકોર્ડર મળી આવ્યું છે. જે અકસ્માતના સંભવિત કારણને શોધવામાં મદદ કરવા માટે એક મહત્વપૂર્ણ શોધ છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ પુષ્ટિ આપી હતી કે દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું ફક્ત ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) જ મળ્યું છે.
અગાઉ વિમાનનું બ્લેકબોક્સ પણ મળ્યું હતું. વિમાનના બંને બ્લેક બોક્સ મળી આવ્યા બાદ તપાસકર્તાઓ માટે ક્રેશનું કારણ શોધવાનું સરળ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ પીકે મિશ્રાએ રવિવારે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સિવિલ હોસ્પિટલમાં ઘાયલોના ખબર અંતર પૂછ્યાં હતાં. મિશ્રાએ અમદાવાદમા સર્કિટ હાઉસ ખાતે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી તથા કેન્દ્ર અને રાજ્ય સરકારો, AAIB અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચાલી રહેલા રાહત, બચાવ અને તપાસ પ્રયાસો અંગે ચર્ચા કરી હતી.
AAIB એ વિગતવાર તપાસ શરૂ કરી છે, અને યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ હેઠળ સમાંતર તપાસ કરી રહ્યું છે, કારણ કે વિમાન અમેરિકન બનાવટનું હતું.

LEAVE A REPLY