મહાવીર ફાઉન્ડેશન સંઘે તા. 10 ફેબ્રુઆરીના રોજ મુંબઇના ભિવંડી તપોવન સંઘ ખાતે યોજાયેલા એક ખાસ દિક્ષા સમારોહમાં મુમુક્ષુ શીલ કુમાર (પ. પૂ. શ્રી હેમરિદ્ધિ વિજયજી મહારાજ) અને સંયમ કુમાર (પ. પૂ. શ્રી હેમસિદ્ધિ વિજયજી મહારાજ)નું બહુમાન કર્યું હતું. આ પવિત્ર કાર્યક્રમ આચાર્ય ભગવંત શ્રી હેમપ્રભસૂરિશ્વરજી મહારાજની આદરણીય ઉપસ્થિતિથી શોભાયમાન થયો હતો અને તેમના આશીર્વાદથી આ પ્રસંગમાં આધ્યાત્મિક મહત્વ ઉમેરાયું હતું.

ખૂબ જ આધ્યાત્મિક અને ગર્વભર્યા પ્રસંગમાં ભારત, યુકે અને વિશ્વના અન્ય દેશોના જૈન સમુદાયના 5,000થી વધુ ભક્તો જોડાયા હતા અને વિશ્વભરમાંથી જબરદસ્ત પ્રતિસાદ જોવા મળ્યો હતો. મહાવીર ફાઉન્ડેશન સંઘના લગભગ 100 સભ્યોએ દિક્ષા લેનાર બન્ને મુમુક્ષુ પરત્વે તેમનો આદર અને ભક્તિ વ્યક્ત કરી હતી.

આ સમારોહ જૈન પરંપરાના હૃદયમાં રહેલા સમર્પણ, ત્યાગ અને શ્રદ્ધાના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. ભક્તોએ આ મેળાવડાને ભક્તિ અને એકતાથી ભરેલો ભાવનાત્મક અને ઉત્થાનકારી અનુભવ ગણાવ્યો હતો.

આયોજકોએ કાર્યક્રમની સફળતામાં ફાળો આપનારા તમામ ઉપસ્થિતો અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેને સંઘ માટે ખરેખર યાદગાર અને ધન્ય ક્ષણ ગણાવી હતી.

LEAVE A REPLY