REUTERS/Dado Ruvic/Illustration/File Photo

ભારતને રાહત થાય તેવી એક જાહેરાતમાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)એ સ્પષ્ટતા કરી હતી કે તેને માત્ર અમેરિકા, ઈઝરાયેલ, યુરોપ તથા તેમના પશ્ચિમ સહયોગી દેશો માટે જ હોર્મુઝની ખાડી બંધ કરી છે અને આ સિવાયના દેશોના ઓઇલ ટેન્કરને અટકાવવામાં આવશે નહીં.

આઈઆરજીસીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કાયદા અને સંલગ્ન ઠરાવો મુજબ યુદ્ધના સમય દરમિયાન હોર્મુઝની ખાડીમાં જહાજોની અવરજવરને છૂટ આપવાનો ઈરાનનો અબાધિત અધિકાર છે. આ સમુદ્રી માર્ગમાંથી પસાર થનારા અમેરિકા, ઈઝરાયેલ, યુરોપ તથા પશ્ચિમી દેશોના તેમના સહયોગીઓના જહાજોને ચોક્કસપણે તોડી પડાશે. ઇરાનની આ જાહેરાત પછી ભારતે ખામેનેઇની મોત અંગે પણ શોક વ્યક્ત કર્યો હતો.

અગાઉ ઈરાને જણાવ્યું હતું કે, તે માત્ર ચાઈનીઝ ધ્વજ ધરાવતાં જહાજોને જ હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપશે. વિદેશી બાબતોના નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર ચીન સાથેના ઈરાનના સંબંધોને પગલે આ મંજૂરી અપાઈ છે.

અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલાં હુમલાં બાદ ઈરાને હોર્મુઝની ખાડીમાંથી ઓઈલ ટેન્કર્સના પરિવહન પર પ્રતિબંધ મુક્યો હતો. ઈરાને જણાવ્યું હતું કે, તે આ સમુદ્રી માર્ગમાંથી પસાર થતાં દરેક ટેન્કર પર હુમલો કરી તેને નષ્ટ કરશે. જેને પગલે મોટાભાગની શિપિંગ કંપનીઓએ આ માર્ગમાંથી ઓઈલ ટેન્કરો મોકલવાની અનિચ્છા વ્યક્ત કરી હતી અને ઓઈલ અને ગેસના પરિવહન માટે અન્ય લાંબા માર્ગોએ શિપ મોકલવાની યોજના ઘડી રહી છે.

 

LEAVE A REPLY