ખામેનેઇ
ઈરાને સોમવારે આયાતુલ્લાહ અલી ખામેનેઇના અનુગામી તરીકે તેમના પુત્ર મોજતબા ખામેનેઇને સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત કર્યા હતાં (West Asia News Agency)/Handout via REUTERS/File Photo

ઈરાને સોમવારે આયાતુલ્લાહ અલી ખામેનેઇના અનુગામી તરીકે તેમના પુત્ર મોજતબા ખામેનેઇને સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત કર્યા હતાં. ઇરાન-ઇઝરાયેલના હુમલા પછી 28 ફેબ્રુઆરીએ અલી ખામેનેઇનું મોત થયાના એક સપ્તાહ પછી ઇરાનને આ જાહેરાત કરી હતી. ઇરાનની આ હિલચાલથી અમેરિકા-ઇઝરાયેલ સાથેનું તેનું યુદ્ધ વધુ વકરવાની શક્યતા છે.

ઈરાનના સુરક્ષા દળોમાં પ્રભાવ ધરાવતા અને તેમના પિતાના નેતૃત્વ હેઠળ વિશાળ વ્યાપારી નેટવર્ક ધરાવતા મૌલવી મોજતબાની નવા નેતાની પસંદગી 88 મૌલવીઓની બનેલી એક સંસ્થા દ્વારા નિર્ણાયક મતદાન પછી કરાઈ હતી.
એસેમ્બ્લીએ જણાવ્યું હતું કે નિર્ણાયક મતદાન દ્વારા ઇસ્લામિક નિષ્ણાતોની સભાએ આયાતુલ્લાહ સૈયદ મોજતબા હુસેની ખામેનેઇને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનની પવિત્ર શાસન વ્યવસ્થાના ત્રીજા નેતા તરીકે નિયુક્ત કર્યા હતાં. આનાથી મોજતબાને ઇસ્લામિક રિપબ્લિકમાં તમામ મામલાઓમાં અંતિમ નિર્ણય આપવાનો અધિકાર મળે છે.

મોજતબાની નિમણૂકથી અમેરિકાના અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો ગુસ્સો વધવાની શક્યતા છે, જેમણે રવિવારે કહ્યું હતું કે નવા નેતાની પસંદગીમાં વોશિંગ્ટનનો હાથ હોવો જોઈએ. જો તેમને અમારી મંજૂરી નહીં મળે તો તેઓ લાંબા સમય સુધી ટકી શકશે નહીં. અગાઉ ઇઝરાયલે પણ ધમકી આપી હતી કે જે નવા નેતાની પસંદ થશે તેને પણ ટાર્ગેટ કરાશે.

બીજી તરફ અમેરિકન સૈન્યએ રવિવારે અહેવાલ આપ્યો હતો કે એક અઠવાડિયા પહેલા ઇરાનના વળતા હુમલા દરમિયાન થયેલા ઘાયલ થયેલા તેના સાતમા અમેરિકન સૈનિકનું મૃત્યુ થયું છે.ઈરાનના યુએન રાજદૂતના જણાવ્યા અનુસાર, યુએસ-ઇઝરાયલી હુમલાઓમાં ઓછામાં ઓછા 1,332 ઈરાની નાગરિકો માર્યા ગયા છે અને હજારો ઘાયલ થયા છે.

અગાઉ ટ્રમ્પે જણાવ્યું હતું કે તહેરાને બિનશરતી શરણાગતિ સ્વીકારીને અમેરિકાને સ્વીકાર્ય હોય તેવા નેતાની પસંદગી કરવી પડશે.

ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે ઈરાન બિનશરતી શરણાગતિ ન સ્વીકારે ત્યાં સુધી કોઇ ડીલ થશે નહીં. શરણાગતિ તથા એક મહાન અને સ્વીકાર્ય નેતાની પસંદગી પછી અમે અને અમારા ઘણા સાથી અને ભાગીદારો દેશો ઈરાનને વિનાશમાંથી બહાર લાવવા માટે અથાક મહેનત કરીશું. તેને આર્થિક રીતે પહેલા કરતાં વધુ મોટું, સદ્ધર અને મજબૂત બનાવીશું.

LEAVE A REPLY